SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ : અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર) : પ્રિ. આ. ૧૬૯-૧૭૧] વિવેક યાને પલ્લવ- આ નામની એક વૃત્તિ વિબુધમન્દિરગણિએ રચ્યાનું કહેવાય છે. એનો પ્રારંભ “વત્ પત્નન વિવૃત” થાય છે. મારા લખાણને લક્ષીને પ્રા, પી. આર. વોરાએ કલ્પલતાવિવેક અંગેની પોતાની પ્રસ્તાવના (પૃ. ૨૧૬-૧૭)માં ચર્ચા કરી છે. આ પ્રસ્તાવનામાં કલ્પલતા, પલ્લવ અને વિશેષતઃ ક. વિ. વિષે વિસ્તૃત અને મહત્ત્વપૂર્ણ માહિતી અપાઇ છે. એ અંગ્રેજીમાં હોઈ મુખ્યતયા એના આધારે હું ખાસ ખપપૂરતી વિગતો ગુજરાતીમાં રજૂ કરું છું – કલ્પલતા (ઉ. વિ. સં. ૧૨00)- આ અલંકારશાસ્ત્રને લગતી કૃતિ છે. એ અદ્યાપિ મળી આવી નથી. એમાં પુરોગામીઓની કૃતિઓમાંથી કારિકાઓને, સ્વરચિત કારિકાઓને તેમ જ વિવેચનોને સ્થાન અપાયું છે. પ્રસ્તુત કૃતિ નિમ્નલિખિત ચાર પરિચ્છેદોમાં વિભક્ત છે – (૧) દોષ-દર્શન, (૨) ગુણ-વિવેચન, (૩) જબ્દાલંકાર દર્શન અને (૪) અર્થાલંકાર-નિર્ણય. કલ્પલતા ઉપર જે પલ્લવ કિવા કલ્પલ્લવ નામની વૃત્તિ રચાઈ છે તે અત્યારે તો અનુપલબ્ધ છે એટલે એમાં કલ્પલતાના કે આ વૃત્તિના કર્તા વિષે માહિતી અપાઈ હોય તો તે અપ્રાપ્ય છે. ક. વિ. માંથી પણ આ સંબંધમાં કશો પ્રકાશ પડતો નથી. સદ્ભાગ્યે પ્ર. ન. ત. ના દ્વિતીય સૂત્રની વૃત્તિ નામે સ્થા. ૨. આ કલ્પલત્તા કે પછી પલ્લવનું એક પદ્ય ઉપસ્થિત કરે છે તેમ જ એના પ્રણેતા વિષે થોડીક માહિતી પૂરી પાડે છે. એ પદ્ય નીચે મુજબ છે : "सूर्यचन्द्रमसौ यत्र चित्र खद्योतपोतकौ । नित्योदयजुषे तस्मै परस्मै ज्योतिषे नमः ॥" આ આદ્ય પદ્ય હોય એમ લાગે છે એ મંગલાચરણરૂપ જણાય છે. પ્રણેતાને લગતો ઉલ્લેખ નીચે મુજબ છે : "५श्रीमदम्बाप्रसादसचिवप्रवरेण कल्पलतायां तत्सङ्केतेकल्पपल्लवे च प्रपञ्चितमस्ति तत एवावसेयम्." આ ઉપરથી ત્રણ બાબતો ફલિત થાય છે :(૧) કલ્પલતાના કર્તાનું નામ “અંબાપ્રસાદ” છે. (૨) એઓ સચિવપ્રવર છે. આથી તેઓ મુખ્ય મંત્રી હોવાનું અનુમનાય છે. (૩) કલ્પલતા તેમ જ કલ્પપલ્લવ એ બંનેના કર્તા એક જ છે. પ્ર. ચ. (ભૃગ ૨૧, પૃ. ૧૭૨)માં અંબ(બા) પ્રસાદનો “મંત્રી' તરીકે ઉલ્લેખ છે. વિશેષમાં એ મંત્રીને અંગે અહીં બે બાબતો અપાઈ છે – છે.આ કૃતિના સંપાદક મુરારિ લાલ નાગર અને હરિશંકર શાસ્ત્રી છે અને એના પ્રસ્તાવનાકાર પ્રા. પ્રદ્યુમ્ન રે. વોરા છે. આ કૃતિ “લા. દ. વિદ્યામંદિર” તરફથી ઇ. સ. ૧૯૬૮માં પ્રકાશિત કરાઈ છે. પ્રારંભમાં મંત્રી અંબાપ્રસાદ અને એની પત્ની સીતાદેવીની પ્રતિકૃતિ અપાઇ છે. અંતમાં પાંચ પરિશિષ્ટો છે. ૨. અહીં પં. ૧૨માં ‘પલ્લવ' છપાયું છે તે “પલ્લવશેષ જોઇએ. ૩. જુઓ કલ્પલતાવિવેકનું આદ્ય પદ્ય. ૪. ક. વિ. (પૃ. ૩૨૦)માં “કલ્પપલ્લવ' તરીકે આનો નિર્દેશ છે. ૫. “ શરણે મહામત્વિશ્રીમન્નાપ્રતિપ્રતિનિવિદ્ધ.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy