SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ P. ૨૬૫ પ્રકરણ ૧૭ : અજૈન લાક્ષણિક સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો સમસ્ત વિશ્વના સાહિત્યને આપણે જૈન અને અજૈન એમ બે વર્ગમાં વિભક્ત કરી શકીએ. અજૈન સાહિત્ય એ જૈન સાહિત્ય કરતાં અતિશય વિપુલ છે. એ સાહિત્યના ભારતીય અને અભારતીય એમ બે વિભાગ પાડી શકાય. અત્ર ભારતીય સાહિત્ય પ્રસ્તુત છે. એના સર્જનમાં વૈદિક હિંદુઓ અને બૌદ્ધોનો મુખ્ય ફાળો છે. અહીં "અજૈન સાહિત્યથી મુખ્યતયા આ બે જ સંપ્રદાયોના લાક્ષણિકાદિ સાહિત્યને અંગેના નીચે મુજબના વિષયોની કેટલીક કૃતિઓ અભિપ્રેત છે : (૧) વ્યાકરણ, (૨) કોશ, (૩) છંદ, (૪) અલંકાર, (૫) ગણિત, (૬) નિમિત્ત, (૭) વૈદ્યક, (૮) નીતિ, (૯) શ્રવ્ય કાવ્ય (૧૦) દશ્ય કાવ્ય, (૧૧) ન્યાય અને (૧૨) યોગ. ‘શ્રવ્ય' કાવ્યથી મહાકાવ્ય, ખંડ-કાવ્ય અને ગદ્યાત્મક કાવ્ય એમ ત્રણ સમજવાનાં છે. આમ અહીં મુખ્ય ૧૨ વિષયો છે અને પેટા-વિષયોને ભિન્ન ગણાતાં ૧૪ થાય છે. આ પૈકી હું અહીં પહેલા આઠ વિષયની કૃતિઓનો ક્રમવાર વિચાર કરું તે પૂર્વે “જૈન માનસ” વિષે થોડોક ઉલ્લેખ કરીશ. P. ૨૬૬ જૈન માનસ- “જૈન માનસ’ એટલે અનેકાંતવાદનું ક્રીડાંગણ. આથી તો આત્મૌપજ્યની અનુપમ ભાવનાથી ઓતપ્રોત જૈન શ્રમણો ગમે તે દર્શનની અને ગમે તે વિષયની ઉત્તમ કોટિની કૃતિઓનું સંવર્ધન અને સંરક્ષણ કરતાં જરા યે સંકોચ ન અનુભવે એ સ્વાભાવિક છે. વિશેષ આનંદની વાત તો એ છે કે અજૈન મંતવ્યો અનુસાર કાવ્ય રચતાં પણ એઓ ખંચાયા નથી એટલું જ નહિ પણ એને પોતાના સાંપ્રદાયિક રંગથી રંગવાનું અનુચિત પગલું એમણે ભર્યું નથી. આમ એમણે ઉદારતાની સાચી લહાણી કરી છે અને સાહિત્યની સર્વદેશીય સેવા બજાવી છે. સમ્ય-શ્રુત અને મિથ્યા-શ્રુતની વ્યાખ્યાનો (૧) વિષય અને પ્રણેતા તેમજ (૨) અધિકારી એમ બે રીતે વિચાર થઈ શકે છે અને મિથ્યા-શ્રુતને પણ સમ્યગ્દષ્ટિ સમ્યકુ-શ્રુત તરીકે પરિણાવી શકે છે. જૈન દર્શનની આવી આદર્શ નીતિને લઈને જૈન શ્રમણો એમ સાચે જ માનતા હતા અને આજે યે માને છે કે સાહિત્ય અને વિજ્ઞાન એ કોઈનાં બાપીકાં ક્ષેત્ર નથી; સમસ્ત વિદ્યાવ્યાસંગી જનોનો એના ઉપર અધિકાર છે. ૧. મુસ્લિમ, પારસી અને ખ્રિસ્તી કોમની કૃતિઓ પૈકી ફક્ત એક મુસ્લિમની અને તે પણ અપભ્રંશમાં જ રચાયેલી કૃતિ પર જૈન વિવરણ છે. એવી રીતે ભાષાની દૃષ્ટિએ મુખ્યતયા સંસ્કૃત અને કવચિત્ પાઇય કૃતિઓ ઉપર વિવરણો છે. આથી કરીને દ્રાવિડ કૃતિઓ ઉપર જૈનોએ સંસ્કૃતમાં વિવરણો રચ્યાં હોય તો તે વાત અહીં જતી કરાઈ છે. ૨. શ્રવ્ય અને દશ્ય કાવ્ય વિષે દ્વિતીય ખંડના પ્રથમ ઉપખંડમાં અને ન્યાય અને યોગ વિષે એ દ્વિતીય ખંડના દ્વિતીય ઉપખંડમાં વિચાર કરાયો છે. ૩. આ બાબત મેં “જૈન દર્શનનું તુલનાત્મક દિગ્દર્શન” નામના મારા લેખ (લેખાંક ૨, પૃ. ૧૭૧)માં દર્શાવી છે. આ લેખના લેખાંક ૧-૬ “હિંદુ મિલનમંદિર” (વર્ષ ૮, અં. ૨-૭)માં છ કટકે છપાયા છે. આ લેખ મેં ગુજરાતીમાં રચેલાં ૧૪૦ સૂત્રો અને એના વિવરણરૂપ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy