SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ : અજૈન વ્યાકરણનાં જૈન વિવરણો : [પ્ર. આ. ૨૬૫-૨૬૮] ૧૬૫ ફાળો- અજૈન કૃતિઓને અંગે જૈનોનો જે ફાળો છે તેમાં મોટે ભાગે વિવરણો છે. એની સંખ્યા લગભગ ૨૦૦ની છે. આનાથી અજૈન કાવ્યોની પાદ-પૂર્તિઓની સંખ્યા ઉતરતી છે અને એનાથી પણ અલ્પ સંખ્યા કેટલીક અજૈન કૃતિઓના સંક્ષેપ કે સારાંશરૂપ રચનાઓની છે. (૧) વ્યાકરણ P. ૨૬૭ 'અષ્ટાધ્યાયી (ઉ. ઇ. સ. પૂ. ચોથી સદી) – ઉપલબ્ધ સંસ્કૃત વ્યાકરણોમાં આ સૌથી પ્રાચીન છે. એ આઠ અધ્યાયોમાં વિભક્ત કરાયેલું હોવાથી એને અષ્ટાધ્યાયી કહે છે. એના પ્રત્યેક અધ્યાયમાં ચાર ચાર પાદ છે. આ વ્યાકરણમાં આશરે ૪૦૮૦ સૂત્રો છે. ચીની મુસાફર હ્યુએનસંગને મતે આ વ્યાકરણનું પરિમાણ ૧૦૦૦ શ્લોકનું છે. આ વ્યાકરણ અષ્ટક, વૃત્તિસૂત્ર તેમજ શબ્દાનુશાસન પણ કહે છે. આ વ્યાકરણ કાળ અને ઉપસર્જન વગેરેની પરિભાષાઓથી રહિત છે. શંકરાચાર્ય દ્વારા પ્રશસિત આ વ્યાકરણના પ્રણેતાનાં દાક્ષીપુત્ર, શાલાતુરીય, પાણિનિ ઇત્યાદિ વિવિધ નામો છે તેમાં અંતિમ નામ વિશેષતઃ પ્રચલિત છે અને એને લઈને તો એમના વ્યાકરણને ‘પાણિનીય' કહે છે. આ વ્યાકરણને અંગે પાઠાંતરો જોવાય છે. કેટલાક તો પાણિનિના સ્વકીય પ્રવચનભેદથી ઉદ્ભવ્યાં છે. આ પ્રવચન-ભેદને લઇને અષ્ટા.ની લઘુસૂત્ર-પાઠ અને બૃહસૂત્ર-પાઠ એમ બે વાચનાઓ મળે છે. પાણિનિએ પોતે ગણપાઠ, ધાતુપાઠ, ઉણાદિસૂત્ર અને લિંગાનુશાસન અષ્ટા.નાં પરિશિષ્ટ રૂપે ? ૨૬૮ રચ્યાં છે. પાણિનિએ આપિશલ વ્યાકરણનો મુખ્યતયા ઉપયોગ કર્યો છે. અને એમના પુરોગામી વૈયાકરણનાં અનેક સૂત્ર અપનાવ્યાં છે. પ્રાતિશાખ્યોમાં અને શ્રૌતસૂત્રોનાં અનેક સૂત્ર પાણિનીય સૂત્ર સાથે સમાનતા ધરાવે છે. પાણિનિની પૂર્વે છંદોબદ્ધ વ્યાકરણ હશે એમ લાગે છે. શબ્દાવતાર– આ અા. ઉપરનો ન્યાસ છે. આ ન્યાસ હજી સુધી તો મળી આવ્યો નથી. આનું પરિમાણ ૩OOOO શ્લોક હોવાનું કહેવાય છે. આ ન્યાસના કર્તા દિ. પૂજ્યપાદ છે. જુઓ પૃ. ૧૬. ૧. આ વ્યાકરણ જર્મન અનુવાદ સહિત વ્હોટલિંગે ઈ. સ. ૧૮૮૭માં પ્રકાશિત કર્યું હતું. ૨. જુઓ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૧૪૧). ૩. એમણે બ્રહ્મસૂત્ર ઉપર શારીરક-ભાષ્ય, દસ મુખ્ય ઉપનિષદો અને ભગવદ્ગીતા ઉપર ટીકા તેમજ અનેક સ્તોત્રો રચ્યાં છે. નવાઈની વાત એ છે કે પૂર્વે રચેલી કોઈ પણ કૃતિનો ત્યાર બાદ રચાયેલી કૃતિમાં પોતાના નામે ઉલ્લેખ નથી. જઓ Sanskrit Literature (The PE.N. Books. The Indian Literatures No. XII) નું પૃ. ૫૧. ૪. ‘શલાતુર’ એ પાણિનિના પૂર્વજોનું વતન ગણાય છે. ૫. અષ્ટા. (૧-૩-૨)ની કાશિકા-વૃત્તિ પ્રમાણે આ ચાર પરિશિષ્ટો ખિલ-ગ્રંથો છે. ૬, જુઓ સં. વ્યા. ઇ. (ભા. ૧, પૃ. ૧૫૯). ૭-૮, એજન (ભા. ૧, પૃ. ૧૫૮-૧પ૯). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy