SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ કાશિકા (લ. વિ. સં. ૭00)- એ જયાદિત્ય અને વામનના સંયુક્ત પરિશ્રમનું ફળ છે. પતંજલિકૃત મહાભાષ્ય અને ભર્તુહરિકૃત વાક્યપદય પછીની, અષ્ટા.ને અંગેની મહત્ત્વની કૃતિ તરીકે આનો ઉલ્લેખ કરાય છે. આ વૃત્તિમાં મહાભાષ્યને અનેક સ્થળે ન અનુસરતાં, પ્રાચીન વૃત્તિઓનું P ૨૬૯ અનુસરણ કરાયું છે. ઇત્સિંગના મતે જયાદિત્યનું અવસાન વિ. સં. ૭૧૮ની આસપાસમાં થયું હતું. સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૩૩૪) પ્રમાણે વામન વિ. સં. ૭૦૦ની પહેલાં થયાં છે. કાશિકાવિવરણ-પંજિકા– આ પંજિકાના કર્તાનું નામ જિનેન્દ્રબુદ્ધિ છે. એમને કેટલાક વિદ્વાનો બૌદ્ધ ગણે છે. “જૈ. સિ. ભા.” (વર્ષ ૮, પત્ર ૫૮)માં એઓ જૈન' હોવાની સંભાવના કરાઈ છે. એમની આ પંજિકા એ ઉપર્યુક્ત કાશિકાની સૌથી પ્રાચીન વ્યાખ્યા છે. એને “ન્યાસ' પણ કહે છે. આના ઉપર મહામિશ્રની ટીકા છે. આ ઉક્તિના સંગ્રહરૂપ "કૃતિની બે હાથપોથીઓનો પરિચય D c G C M (Vol. II, pt. 1)માં ક્રમાંક ૩૮૬ અને ૪૧૭ તરીકે અપાયો છે. પ્રારંભમાં ભારતીના સ્મરણપૂર્વકનું પદ્ય છે. ત્યાર બાદ વિભક્તિનું સ્વરૂપ ગદ્યમાં આલેખાયું છે. પાઇય શબ્દોનાં સંસ્કૃત સમીકરણો (દા. ત. રાફ ક્રિય અને નડું જ્ઞાયતે ) આ કૃતિનો મહત્ત્વનો અને સૌથી મોટો અંશ છે. પદવ્યવસ્થા- આના કર્તા વિમલકીર્તિ છે. એમણે પાણિનિકૃત અષ્ટા. પ્રમાણે સંસ્કૃત ધાતુઓનાં પદ જાણવાના નિયમો સૂત્રોને પદ્યાત્મક સ્વરૂપ આપી રજૂ કર્યા છે. એમણે પોતાને વિદ્વાન' કહ્યા છે. ટીકા (વિ. સં. ૧૬૮૧)- આ ૩૩૦૦ શ્લોક જેવડી ટીકાના કર્તા ઉદયકીર્તિ છે. એઓ “ખરતર’ ગચ્છના સાધુકીર્તિના શિષ્ય વિમલતિલકના શિષ્ય સાધુસુન્દરના શિષ્ય થાય છે. એમણે આ ટીકા બાલજનોના બોધાર્થ વિ. સં. ૧૬૮૧માં રચી છે. એના અંતમાં એમણે છ પદ્યની પ્રશસ્તિ આપી છે. આની મૂળ સહિતની એક હાથપોથી વિ. સં. ૧૭૧૩માં સુખસાગરગણિના શિષ્ય સમયહર્ષને માટે લખાયેલી મળે છે. આ હાથપોથીનો અવતરણપૂર્વક પરિચય “પદવ્યવસ્થાસૂત્રકારિકા સટીકા” નામથી D C G C M (Vol. II, pt. 1, pp. 191-193)માં અપાયો છે. ૧. ભારતીય સાહિત્યમાં એવી કેટલીક કૃતિઓ છે કે જે દ્વિકક છે. જેમકે સ્કન્દ અને મહેશ્વરે મળીને રચેલી નિરુક્તની ટીકા. ૨. સં. વ્યા. ઇ. (ભા ૧, પૃ. ૩૩૩) પ્રમાણે કાશિકા જે આજે ઉપલબ્ધ છે તેની પાંચ અધ્યાય પૂરતી રચના જયાદિત્યની છે અને બાકીની વામનની છે. અસલમાં બંનેએ પૃથક્ પૃથક્ આઠે અધ્યાયની વૃત્તિ રચી હશે. (જુઓ સં. વ્યા. ઈ. (પૃ. ૩૩૬). જયાદિત્યની અપેક્ષાએ વામનની રચના વિશેષ પ્રૌઢ છે. ૩. કાશિકા કરતાં પ્રાચીન એવી કુણિ નામની વૃત્તિમાં ગણપાઠને સ્થાન નથી, જ્યારે આ કાશિકામાં છે. ૪. આ પંજિકા શ્રીશચન્દ્ર ચક્રવર્તીએ ઇ. સ. ૧૯૧૩-૧૯૨૫માં છપાવી છે. જુઓ DCGCM (Vol. II, pt. I, p. 56). પ. જુઓ પૃ. 54. ૬. આ ભાગમાં વૈદિક અને પાણિનીય વ્યાકરણોને લગતી હાથપોથીઓનો પરિચય ડૉ. શ્રીપાદ કૃષ્ણ બેલ્વલકરે આપ્યો છે. એમાં ઉક્તિરત્નાકરને સ્થાન અપાયું છે એટલે એ પાણિનીય વ્યાકરણને લગતી કૃતિ ગણાય. એ હિસાબે મેં એની અહીં નોંધ લીધી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy