SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત [51] ૫૧ પાઈયકૃતિઓનાં સંસ્કૃત વિવરણો” એ નામથી મેં એક પૃથક્ પ્રકરણ રચ્યું છે, અને એ વિવરણોનો ઉલ્લેખ પર્વેનાં પ્રકરણોમાં યથાસ્થાન તે તે પાઇયકતિઓના વિવરણકારનો સૈકો વિચારતી વેળા શક્ય હતું ત્યાં કર્યો છે. જૈનોનાં સંસ્કૃત વિવરણોથી વિભૂષિત અજૈન પાઠયકૃતિઓ ગણીગાંઠી છે, અને તે પણ કાવ્યોને અંગેની જ હોય એમ લાગે છે. આથી એને માટે સ્વતંત્ર પ્રકરણ ન યોજતાં મેં “અજૈન “લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો” નામના પ્રકરણમાં એનો સમાવેશ કર્યો છે. સંસ્કૃત કાવ્યોનો વિષય પૂર્ણ થતાં એના પછી આને સ્થાન આપ્યું છે. આ પુસ્તકનો વિષય જૈન સંસ્કૃત સાહિત્ય છે એટલે એમાં સમસંસ્કૃત કૃતિઓનું નિરૂપણ P-૨૪ તો હોય જ અને છે, પરંતુ એવી પણ કેટલીક જૈનકૃતિઓ છે કે જે સંપૂર્ણતયા સંસ્કૃતમાં નથી. આવી કૃતિઓમાં (૧) અર્ધસંસ્કૃત, (૨) સંસ્કૃત વગેરે અનેક (બે કરતાં વધારે) ભાષાઓમાં રચાયેલી કૃતિઓ એટલે કે અનેકભાષાત્મક (Poly-glot) કૃતિઓ, (૩) ચૂણિઓ અને (૪) મુખ્યતયા પાઇપમાં રચાયેલી પરંતુ કોઇ કોઇવાર, સંસ્કૃતિમાં કંડિકાઓ રજૂ કરતી કૃતિઓનો-ધવલા વગેરેનો સમાવેશ થાય છે. આ ચારે જાતની કૃતિઓ પૈકી છેલ્લી બે જાતની કૃતિઓને મેં અહીં સ્થાન આપ્યું નથી. રે પહેલી બેના વિચાર માટે મેં સ્વતંત્ર પ્રકરણ ન યોજતાં એનો યથાસ્થાન નિર્દેશ કર્યો છે. કેમકે એની સંખ્યા અલ્પ છે અને એનો સંબંધ કાવ્યો સાથે-મુખ્યતયા સ્તુતિસ્તોત્રો સાથે છે. તેમ છતાં આની એક સળંગ નોંધ હોય તો સારું એમ વિચારી સમસંસ્કૃત અર્ધસંસ્કૃત અને અનેકભાષાત્મક કૃતિઓની ક્રમવાર સૂચી બીજા વિભાગમાં મેં આપી છે. લલિત સાહિત્યના નિરૂપણને અંગે મને જે ચાર પ્રશ્નો સ્કૂર્યા હતા અને એનો મેં જે તોડ કાઢ્યો હતો તે બાબતને પ્રસ્તુત પુસ્તક ત્રણ વિભાગમાં પ્રસિદ્ધ કરવાનું નક્કી થતાં મેં અહીંથી જતી કરી દ્વિતીય વિભાગના ઉપોદ્યાતમાં સ્થાન આપ્યું છે. સાધ્ય અને સાધન- સાહિત્યની સૃષ્ટિનાં બે મુખ્ય અંગ છે. (૧) સાહિત્યનું સર્જન અને (૨) એને માટેના આવશ્યક બોધની સામગ્રી. આમાં સામગ્રીરૂપ સાહિત્યને એક રીતે સાધ્યની કોટિમાં મૂકી શકાય તો બીજી રીતે વિચારતાં એને સાધનની કોટિમાં સ્થાન અપાય. આથી એમ કહી શકાય કે વ્યાકરણ, કોશ, છંદ અને અલંકારને અંગેના ગ્રન્થો એ સાધ્ય તેમજ સાધન બંનેની ગરજ સારે છે અને તેમ હોવાથી-એ સાધનરૂપ હોવાથી પ્રસ્તુત સાહિત્યના ઈતિહાસમાં મેં એનાથી શરૂઆત કરી છે. વિજ્ઞાન' નામના પંદરમાં પ્રકરણમાં વિવિધ વિષયોને લગતી કૃતિઓ આપતી વેળા મેં વિષયની પ્રાયઃ મહત્તા કે વ્યાપકતાને લક્ષ્યમાં રાખી વિષયોનો ક્રમ ગોઠવ્યો છે અને એ ક્રમ લક્ષ્મીને કાલક્રમ રાખ્યો છે. એમાં મેં એક જ વિષયની કૃતિઓનો એકસાથે પરિચય આપ્યો છે. સત્તરમાં (અંતિમ) પ્રકરણમાં વ્યાકરણના સૂત્રોથી ગર્ભિતકૃતિઓને તેમજ અમરકોશના આદ્ય પદ્યની પૂર્તિરૂપ કૃતિને પણ મેં સ્થાન આપ્યું છે, જો કે આ કૃતિઓ તે તે મૂળ અજૈન ગ્રન્થોનાં વિવરણરૂપ નથી. આનાં ત્રણ કારણ છે (૧) આ પ્રકારની કતિઓની સંખ્યા ગણીગાંઠી છે. (૨) આ કૃતિઓનું પરિમાણ અલ્પ છે. ૧. આ જાતની કૃતિઓની નોંધ મેં પાઈપ (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય (પૃ.૨૧૫-૨૧૮)માં લીધી છે. P-૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy