SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ P-૨૨ ૫૦ [50] જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ઉપર્યુક્ત પાંચ પ્રકારના સાહિત્ય પૈકી પાઇય કૃતિનાં સંસ્કૃત વિવરણોરૂપ બે પ્રકારને બાજુએ રાખતાં બાકીના ત્રણના ક્રમને અંગે નીચે મુજબના ત્રણ માર્ગ અને સૂર્યા હતા. (૧) સૌથી પ્રથમ જૈન ગ્રન્થકારની મૂળ કૃતિનો પરિચય આપી સાથે સાથે જ એ વિષયની જે અજૈનકૃતિને લક્ષીને જે વિવરણાત્મક સાહિત્ય એમણે યોર્યું હોય તેનો વિચાર કરવો અને એ રીતે પ્રત્યેક વિષયનું તે ગ્રન્થકાર પૂરતું સળંગ વક્તવ્ય રજૂ કરવું. (૨) પ્રકરણના બે વિભાગો પાડી બીજા વિભાગમાં અજૈનકૃતિના વિવરણાત્મક સાહિત્યનો ઉલ્લેખ કરવો. | (૩) વિવિધ વિષયોને લગતી જે જે અજૈનકૃતિઓ ઉપર જૈન વિવરણો છે તેનો પુસ્તકનાં અંતમાં એક સામટો એક સ્વતંત્ર પ્રકણરૂપે પૂર્વે ચર્ચાયેલા વિષયના ક્રમે વિચાર કરવો. અહીં જે ત્રણ માર્ગ સૂચવાયા છે તે પૈકી પ્રથમ માર્ગ ગ્રહણ કરાય તો અજૈનકૃતિઓનો સંક્ષિપ્ત પરિચય તે સ્થળે આપવાની વાત તો જતી કરવી પડે. નહિ તો આ પુસ્તકની યોજના પાછળનો આશય યથાયોગ્ય સ્વરૂપે જળવાઈ ન રહે અને જૈનોનો અજૈનકૃતિઓને અંગે જે મહત્ત્વનો ફાળો છે તેનો ભાગ્યે જ ખ્યાલ આવે. બીજો માર્ગ પસંદ કરાય તો તેમાં બે વાંધા આવે. (૧) કાલક્રમે વિષયની અખંડિતતા જળવાઈ ન રહે અને (૨) જૈનોનો અજૈનકૃતિઓને અંગેના ફાળાનો ખ્યાલ તો આવે પણ એ કટકે કટકે રજૂ થતો હોવાથી એનો એકદમ પરિપૂર્ણ ખ્યાલ ન આવે. ત્રીજો માર્ગ સ્વીકારવાથી જૈનોનો ફાળો તો સમગ્રપણે જોવા જાણવાની તક મળે પરંતુ “જૈન” અને “જૈન” એવા સાહિત્ય અંગે પણ ભેદો પડાય તેનું શું ? એવો પ્રશ્ન કોઈ ઉઠાવે. આનો ઉત્તર એ છે કે એ ભેદો તો સમગ્ર સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ લખનાર ન પાડે તો હજી ચાલે, પરંતુ પ્રસ્તુત પુસ્કનું નામ જ અને ઉદેશ કહી આપે છે તેમ એ બે ભેદો તો જૈનોના ફાળાના મૂલ્યાંકન અંગે જરૂરી જ છે એટલે પાડવા જ પડે. આમ આનું સમાધાન થઈ શકે એટલે પહેલા બે માર્ગ કરતાં આ ત્રીજો માર્ગ સમુચિત જણાય છે. આમ એક યા બીજી રીતની જે આપત્તિ ત્રણે માર્ગ માટે સૂચવી શકાય તેનો તોડ મેં એમ કાઢ્યો છે. કે કોઈપણ વિષયનો સળંગ પરિચય આપતી વેળા જે અજૈનકતિને અંગે વિવરણાત્મક સાહિત્ય હોય તેની તેના પ્રણેતાના ઉલ્લેખ વેળા નોંધ કરવી, પરંતુ મૂળકૃતિના નામોલ્લેખ ઉપરાંત એ વિષે વિશેષ કશું ત્યાં ન કહેતાં અજૈન કૃતિઓનાં જૈન સંસ્કૃત વિવરણોને અંગે લખાયેલ સ્વતંત્ર પ્રકરણ જોઈ લેવાની ભલામણ જરૂર જણાય તો ટિપ્પણ દ્વારા કરવી. આ પુસ્તકમાં જે સાહિત્ય રજૂ થયું છે તેની ભાષાના સંસ્કૃત અને પાઇય એ બે ભેદને લઈને વિવરણોના બે પ્રકારો પડે છે. (૧) સંસ્કતકૃતિઓનાં સંસ્કૃત વિવરણો અને (૨) પાઠયકૃતિઓનાં સંસ્કૃત વિવરણો. આ બંનેનું નિરૂપણ ભેગું આપવું કે કેમ એ પ્રશ્ન પણ પ્રસ્તુત પુસ્તકની યોજના વિચારતાં ઉપસ્થિત થયો હતો. એનો તોડ મેં એવો કાઢ્યો છે કે બંનેને પૃથસ્થાન આપવું જેથી ચંદ્રર્ષિ અને શીલાંકસૂરિ જેવાને એ દ્વારા સ્થાન મળી રહે, કેમકે આ સૂરિઓની એક સંસ્કૃત સ્વતંત્ર રચના કે સંસ્કૃત ગ્રન્થના વિવરણરૂપ રચના હજી સુધી તો મળી આવી નથી. આને લઇને “જૈન P-૨૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy