SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત [49] ૪૯ ઇતિહાસ, તત્ત્વચિંતન, બોધપ્રધાન સાહિત્ય, ભાષા-શાસ્ત્ર ઇત્યાદિ સમજવાનાં છે. લલિત સાહિત્યમાં રસ કેન્દ્ર સ્થાને હોય છે અને એ કલ્પના, ઊર્મિ, સૌંદર્ય ઈત્યાદિ તત્ત્વો વડે શોભે છે. જૈનોને હાથે સર્જાયેલા સંસ્કૃત સાહિત્યની વિશાળતાનો મને પૂરેપૂરો ખ્યાલ નહિ હોવાથી અને એવો ખ્યાલ આપનારું કોઈ વિશિષ્ટ સાધન પણ નહિ જણાયાથી એકબાજુ આ સાહત્યિના ઇતિહાસનું કલેવર ધારવા કરતાં વધારે વધી ગયું એથી અને બીજી બાજુ આ પુસ્તક એક જ હસે અને તે પણ સત્વર પ્રકાશિત કરવાનો પ્રબંધ થઈ શકે તેમ ન હતું એથી પૃ.૧-૪૮ છપાઈ જતાં એ ત્રણ હમે પ્રસિદ્ધ કરવાનું નક્કી કરાયું અને એને લઈને “અજૈન કૃતિઓનાં જૈન વિવરણો” નામનું જે અંતિમ પ્રકરણ હતું તેને, ત્રણે પરિશિષ્ટોને તેમજ આ ઉપોદ્ધાતના ખાસ કરીને મૂલ્યાંકનરૂપ અંશને ત્રણ ભાગોમાં વિભક્ત કરવાની યોજના હાથ ધરાઈ. એ યોજના મુજબ પ્રસ્તુત પુસ્તક ત્રણ વિભાગમાં પ્રસિદ્ધ થનાર છે. પ્રથમ વિભાગમાં “સાર્વજનીન સાહિત્ય' નામના પ્રથમ ખંડનો સોંશે સમાવેશ કરાયો છે. બીજા વિભાગમાં ધાર્મિક સાહિત્ય' નામના દ્વિતીયખંડના પ્રથમ ઉપખંડ નામે ‘લલિત સાહિત્યને સ્થાન અપાયું છે, અને ત્રીજા (અંતિમ) વિભાગમાં એ ખંડના બાકીના ઉપખંડોને લગતું નિરૂપણ રજૂ કરાયું છે. જૈનોના “શ્વેતાંબર અને દિગંબર' એ બે વિભાગો આજે પણ મોજુદ છે અને સુપ્રસિદ્ધ છે, P૨૧ પરંતુ એક વેળા ‘પાપનીય' તરીકે ઓળખાવાતા જૈનો પણ હતા, એ ત્રણેના સાહિત્યનો પૃથક્ પૃથ૬ પરિચય ન આપતાં એ ત્રણેના સાહિત્યનો એક સાથે સામટો સૈકાદીઠ મેં વિચાર કર્યો છે. શ્વેતાંબરોનો, યાપનીયોનો તેમજ દિગંબરોનો ફાળો કેટકેટલો છે એ સહેલાઇથી જુદો જાણી શકાય તે માટે મેં પરિશિષ્ટમાં એ રીતે નોંધ લીધી છે. જૈનોએ જે જાતજાતના વિષય પરત્વે કૃતિઓ સંસ્કૃત ભાષામાં રચી છે. એના મુખ્ય બે વિભાગો પાડી શકાય. (૧) મૂળ કૃતિઓ અને (૨) વિવરણાત્મક કૃતિઓ. બીજા વિભાગના ચાર પેટાવિભાગો પડાય. (૧) જૈન સંસ્કૃતકૃતિઓ અંગેનાં સંસ્કૃત વિવરણો. (૨) જૈન પાઈયકૃતિઓ પરત્વેનાં સંસ્કૃત વિવરણો. (૩) અજૈન સંસ્કૃતકૃતિઓ ઉપરનાં સંસ્કૃત વિવરણો. (૪) એજૈન પાઠયકૃતિઓ પરત્વેનાં સંસ્કૃત વિવરણો. આમ એકંદર પાંચ પ્રકારનું જે સંસ્કૃત સાહિત્ય જૈનોએ રચ્યું છે તેને કયા ક્રમે રજૂ કરવું એ પ્રશ્ન મને આ કાર્ય મેં સ્વીકાર્યું તેવામાં મૂંઝવતો હતો. એનું એક કારણ એ હતું કે જે અજૈન કૃતિઓ ઉપર જૈન વિવરણો મળે છે તે મૂળ પ્રકૃતિઓનો ખપ પૂરતો પરિચય તો જરૂર જ આપવો એવી પ્રકાશનસંસ્થા તરફથી મુનિશ્રી યશોવિજયજીએ દર્શાવેલી સબળ ઈચ્છાને મારે માન આપવાનું હતું. ૧. આને લઈને અંતિમ પ્રકરણનાં નિમ્નલિખિત ત્રણ પ્રકરણો પડાયાં છે (અ) અજૈન લાક્ષણિક સાહિત્યમાં જૈન સંસ્કૃત વિવરણો. (આ) અજૈન સાહિત્યમાં જૈન સંસ્કૃત વિવરણો. (ઇ) અજૈન દાર્શનિક સાહિત્યમાં જૈન સંસ્કૃત વિવરણો. ૨. વિચારો ગઉડવહની હરિપાલકૃત ટીકા અને સંહયરાસ નામની મુસ્લિમ કૃતિના વિવરણો. ૪ (ભા.૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy