SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ [48] જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ સાર્વજનીન સાહિત્ય એ સર્વદેશીય સાહિત્ય છે અને એમ હોવાથી એમાં નીચે મુજબનાં શાસ્ત્રોને મેં સ્થાન આપ્યું છે.' વ્યાકરણ, કોશ, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર), નાટ્યશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, કામશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, સ્થાપત્ય, મુદ્રાશાસ્ત્ર, વૈદક, પાકશાસ્ત્ર, વિજ્ઞાન અને નીતિશાસ્ત્ર. આ બધાં શાસ્ત્રો લાક્ષણિક સાહિત્યનાં અંગો ગણાય છે. એને અંગ્રેજીમાં "Technical Sciences" કહે છે. સમગ્ર સાહિત્યમાંથી સાર્વજનીન સાહિત્ય બાદ કરતાં બાકી જે રહે તેને મેં અસાર્વજનીન કે એકદેશીય કે સાંપ્રદાયિક ન કહેતાં ‘ધાર્મિક' કહ્યું છે. “સાંપ્રદાયિક' એવો પ્રયોગ ખોટો નથી, પણ P-૧૯ કેટલાકને એમાં અન્ય પ્રકારની ગંધ આવે છે. એથી મેં એ જતો કર્યો છે. ધાર્મિક સાહિત્યમાં પ્રાય: વિષયની મહત્તાની અપેક્ષાએ એમાં એના લેખકની ધર્મભાવનાનું વર્ચસ્વ વિશેષ હોય છે. એ લેખકને જે ધર્મ પ્રિય છે- આત્મોન્નતિ માટે એને જે માર્ગનું દર્શન કરાવવું ઉચિત જણાયું છે તે માર્ગને સચોટ રીતે રજૂ કરવાની એની પ્રબળવૃત્તિ હોય છે. આમ એ સાહિત્યધાર્મિક છે એટલે એ સર્વદેશીય નહિ પણ એકદેશીય છે અને સાંપ્રદાયિક છે, કેમકે ભિન્ન વાતાવરણમાં ઉછરેલા અને અન્ય માર્ગે મુક્તિ મેળવવાનો મનોરથ સેવનારને જૈનમાર્ગ રુચિકર ન જણાય તો તેમાં નવાઈ નહિ. આ ધાર્મિક સાહિત્ય” નામના દ્વિતીયખંડના મેં ચાર ઉપખંડ પાડ્યા છે. (૧) લલિત સાહિત્ય(Belles-Lettres), (૨) દાર્શનિક સાહિત્ય, (૩) અનુષ્ઠાનાત્મક સાહિત્ય અને (૪) અવશિષ્ટ સાહિત્ય. અન્ય રીતે વિચારતાં સમગ્ર ધાર્મિક સાહિત્ય”ના નવ વર્ગો પાડી શકાય. (૧) શ્રવ્ય કાવ્યો, (૨) દશ્ય કાવ્યો (નાટકો ઇત્યાદિ), (૩) ઐતિહાસિક સાહિત્ય, (૪) દાર્શનિક સાહિત્ય, (૫) ઔપદેશિક (Didactic) સાહિત્ય, (૬) આધ્યાત્મિક સાહિત્ય, (૭) મંત્રશાસ્ત્ર અને કલ્પ, (૮) વિધિવિધાન (ક્રિયાકાંડ) અને (૯) પ્રકીર્ણક. અહીં ‘શ્રવ્ય' કાવ્યોથી જિનચરિત્રો, પુરાણો અને અન્ય મહાકાવ્યો, કન્યાશ્રય-કાવ્યો, અને કસંધાનકાવ્યો, લઘુ-કાવ્યો, ખંડ-કાવ્યો, ચંપૂઓ અને સ્તુતિસ્તોત્રો તેમજ કથાઓ, ચરિત્રો અને પ્રબંધો સમજવાનાં છે. ઐતિહાસિક સાહિત્યમાં ઐતિહાસિક પ્રબંધો અને વિજ્ઞપ્તિપત્રો ઉપરાંત શિલાલેખો વગેરે ઐતિહાસિક સામગ્રીનો સમાવેશ કરાયો છે. દાર્શનિક સાહિત્યથી ખાસ કરીને ન્યાય અને તત્ત્વજ્ઞાન (દર્શનમીમાંસા) એ બે અભિપ્રેત છે. P-૨૦ સાહિત્યના (૧) લલિત અને (૨) લલિતેતર એમ પણ બે વિભાગ પડાય છે. તેમાં લલિત' સાહિત્યથી શ્રવ્ય અને દશ્ય કાવ્યો, વાર્તાઓ ઇત્યાદિ સમજવાનાં છે, જ્યારે લલિતેતર સાહિત્યથી ૧. વ્યાકરણ ઈત્યાદિ લાક્ષણિક સાહિત્ય ઉત્કીર્ણ સ્વરૂપે જણાતું નથી એથી એના ઉપખંડ પડાયા નથી. ૨. આ બે વિભાગ પાડી એના ઉપપ્રકારોની સમજણ શ્રી. ઈશ્વરલાલ, ૨. દવેએ રચેલો અને સને ૧૯૫૨માં પ્રકાશિત થયેલો ગુજરાતી સાહત્યિનો સંક્ષિપ્ત ઇતિહાસ (ભા. ૨, પૃ.૯) પૂરી પાડે છે. ૩. આમાં કથાઓ, ટુચકાઓ, નવલિકા, નવલકથા, મહાનવલ ઇત્યાદિનો સમાવેશ કરાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy