SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત [47] ૪૭ સાહિત્ય નામના મારા પુસ્તકમાં તેમજ આ પ્રસ્તુતમાં પણ કરી શક્યો છું. એવી રીતે આગમોનું દિગ્દર્શન નામનું મારું પુસ્તક પણ મને પ્રસ્તુત પુસ્તક લખવામાં અંશતઃ ઉપયોગી નીવડ્યું છે. ‘પાઇય’ના અર્થની વ્યાપક્તા–જૈન સાહિત્યના પાઇય, સંસ્કૃત અને દ્રાવિડ એમ ભાષાદૃષ્ટિએ મુખ્ય ત્રણ ખંડો પડે છે. ‘પાઇય’નો અર્થ વ્યાપક સ્વરૂપે વિચારાય તો એ ભાષાથી મરટ્ઠી (માહારાષ્ટ્રી), સોરસેણી (શૌરસેની), માહી (માગધી), પેસાઇ (પૈશાચી), અને ચૂલિયાપેસાઇ (ચૂલિકાપૈશાચી) એ પાંચ જ કે એ ઉપરાંત અવઢ (અપભ્રષ્ટ) નામની છઠ્ઠી ભાષા કે પાલિ શુદ્ધાં સમજવાની છે એમ નહિ, P-૧૭ પરંતુ આપણા દેશની વિવિધ પ્રાદેશિક ભાષાઓ સુધી એના ક્ષેત્રનો વિસ્તાર છે. પાલિ અને પ્રાદેશિક ભાષાઓને બાદ કરતાં અન્ય ભાષાઓમાં રચાયેલી કૃતિઓ વિષે મેં ઉપર્યુક્ત બે પુસ્તકમાં વિચાર કર્યો છે અને એ દ્વારા અઢમાગહી (અર્ધમાગધી) વગેરે પાઇય ભાષામાં રચાયેલા સાહિત્ય પૂરતો સામાન્ય પરિચય તો હું જગત્ સમક્ષ રજૂ કરી શક્યો છું. આમ મેં પ્રથમ ખંડ માટે નમ્ર પ્રયાસ કર્યો છે. બીજો ખંડ એટલે જૈન ગ્રન્થકારોએ સંસ્કૃત ભાષામાં સર્જેલું વિવિધ અને વિપુલ સાહિત્ય. આનો પરિચય થોડે ઘણે અંશે પણ આ પુસ્તક પૂરો પાડે છે. એ તૈયાર કરવાનું કામ “શ્રીમુક્તિ-કમલ-જૈન-મોહન-માલા''ના કાર્યાધિકારી શ્રીલાલચંદ નંદલાલ વકીલ તરફથી તા. ૬-૮'-૫૨ ને રોજ સોંપાયું હતું અને મેં તમામ લખાણ તા. ૧૬-૧૨’-૫૩ને રોજ એમને પહોંચતું કર્યું હતું. ગયે વર્ષે સપ્ટેમ્બર માસમાં એનું મુદ્રણ કાર્ય શરૂ કરાયું હતું. મને અભિલાષા–ત્રીજો ખંડ દ્રાવિડભાષામાં ગુંથાયેલા સાહિત્યને લગતો છે એટલે એનો ઇતિહાસ તો હું સ્વતન્ત્રપણે હાલ તુરંત આલેખી શકું તેમ નથી. આથી અત્યારે તો મારે પ્રાદેશિક ભાષાઓમાંખાસ કરીને ગુજરાતીમાં રચાયેલી જૈન કૃતિઓનો વિષયદીઠ ઇતિહાસ તૈયાર કરવાનું કામ બાકી રહે છે. આ માટે ઉપયોગી થઇ પડે એવા મારા કેટલાક લેખો પ્રસિદ્ધ થયા છે અને કેટલાક છપાયા વિનાના મારી પાસે છે. આ તેમજ બીજી આવશ્યક સામગ્રી એકત્રિત થતાં આ ઇતિહાસનું કાર્ય પણ કરી શકાય. જો આ સંસ્થા કે અન્ય કોઇ એનો પ્રકાશનાર્થે પ્રબંધ કરવા તૈયાર થશે તો એ હું સાનંદ હાથ ધરીશ. યોજના- પ્રસ્તુત પુસ્તક મેં બે ખંડમાં વિભક્ત કર્યું છે અને એનાં સાર્વજનીન સાહિત્ય' અને “ધાર્મિક સાહિત્ય” એવાં નામ અનુક્રમે યોજ્યાં છે. “સાર્વજનીન” શબ્દ જ સૂચવે છે તેમ આ ખંડમાં રજૂ કરાયેલા વિષયો સૌ કોઇને માટેના છે તેમજ સૌ કોઇને ઉપયોગી થાય તેવા છે. એમાં સાંપ્રદાયિકતાને માટે અવકાશ નથી. આમ એ બિનસાંપ્રદાયિક (secular) છે. બાકી એ વાત તો સાચી છે કે લેખકની પોતાની ધાર્મિક માન્યતાઓનું આછું પ્રતિબિમ્બ તો કોઇપણ કૃતિમાં પ્રકટ કે પ્રચ્છન્ન સ્વરૂપે પ્રાયઃ પડે જ. "( ૧. આના પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ મેં પૂરો પાડ્યો છે. ૨. ‘કલિકાસર્વજ્ઞ’હેમચન્દ્રસૂરિએ સિદ્ધહેમચન્દ્ર (અ.૮, પા. ૧, સૂ.૩)માં આ ભાષાને ‘આર્ષ પ્રાકૃત' કહી છે. ૩. ‘દ્રાવિડ'થી કાનડી, તામિલ, તેલુગુ અને મલયાલમ એ ચાર ભાષા ગણાવાય છે. પ્રો. એ. ચક્રવર્તીએ "Jaina Literature in Tamil" નામનો નિબંધ લખ્યો છે અને એ જૈન સિદ્ધાંત ભવન'' તરફથી આરાથી ઇ. સ. ૧૯૪૩માં છપાવાયો છે. ૪. “સાર્વજનીન''નો અર્થ સર્વજનોને હિતકારી એવો પણ થાય છે પણ એ અર્થ અહીં સર્વાંશે અભિપ્રેત નથી. અહીં તો સાર્વજનિક એ અર્થમાં મેં આનો પ્રયોગ વિશેષતઃ કર્યો છે. Jain Education International For Personal & Private Use Only P-૧૮ www.jalnelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy