SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ [46] જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ P.૧૫ અભ્યાસ- ગણિતશાસ્ત્ર એ વિચારશક્તિને વ્યવસ્થિત, વિકસિત અને કેન્દ્રિત કરવામાં સબળ ફાળો આપે છે. આથી ગણિતજ્ઞને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં વિહરવું સુગમ થઈ પડે છે. ગમે તેમ પણ મને આ ક્ષેત્રે પ્રથમથી જ આકર્ષ્યા છે, એને લઈને “શાસ્ત્રવિશારદ' જૈનાચાર્ય સ્વ. વિજયધર્મસૂરિજીનું મુંબઇમાં ચાતુર્માસ થતાં એમના વિદ્વાન શિષ્યોના-ખાસ કરીને “ચાયતીર્થ” ન્યાયવિશારદ' ઉપાધ્યાય સ્વ.મંગળવિજયજી અને “ન્યાયવિશારદ' “ન્યાયતીર્થ' મુનિરાજશ્રી ન્યાયવિજયજીના જ્ઞાનનો આ દિશામાં મેં લાભ લીધો. એથી હું તત્ત્વજ્ઞાન અને સાહિત્યના વિશિષ્ટ અને સમુચિત અભ્યાસ માટે શ્રીગણેશ માંડી શક્યો. સને ૧૯૨૩માં “મુંબઈ વિદ્યાપીઠ” તરફથી ગણિતશાસ્ત્રને અંગે સંશોધનદાન (Research grant) મળતાં જૈન સાહિત્ય વિષે વિચારવાની મને અમૂલ્ય તક મળી. સાથે સાથે એ અરસામાં ઉપર્યુક્ત ન્યાયવિજયજીની ન્યાયકુસુમાંજલિના અંગ્રેજી અને ગુજરાતી અનુવાદો તેમજ સ્પષ્ટીકરણો તૈયાર કરવાનો લાભ મળતાં હું કલમ પકડતાં શીખ્યો. યોગ્યતા–મારા અભ્યાસને દઢીભૂત કરવા માટે અને એનો યથેષ્ટ વિકાસ સાધવા માટે મેં એક પછી એક નાની મોટી કૃતિઓ તૈયાર કરવા માંડી. તેમ થતાં જૈન સાહિત્યથી ધીમે ધીમે વધારે ને વધારે પરિચિત બનતો ગયો. અનેકવિધ ભાષાઓમાં રચાયેલા આ વિશાળ ક્ષેત્રને પહોંચી વળવા માટે મારામાં બળ હતું નહિં. પરંતુ મારી પરિસ્થિતિએ મને પુણ્યપત્તન (પૂના)ના “ભાંડારકર પ્રાચ્યવિદ્યા-સંશોધન-મંદિર” દ્વારા મુંબઈ સરકારની માલિકીની પાંચેક હજાર જૈન હસ્તલિખિત પ્રતિઓનું વિસ્તૃત અને વર્ણનાત્મક સૂચીપત્ર તૈયાર કરવા જેવું ભગીરથ કાર્ય ઉપાડવા પ્રેર્યો. આનું પરિણામ એ આવ્યું કે હું જૈન સાહિત્યના ઇતિહાસની આછી રૂપરેખા આલેખવા જેટલી શક્તિ મેળવી શક્યો. તેમ થતાં મેં જૈન સાહિત્યને “આગમિક' અને “અનાગમિક' એમ બે વર્ગમાં વિભક્ત કરી પ્રથમ વર્ગને અનુલક્ષીને એનો ઇતિહાસ અંગ્રેજીમાં આલેખ્યો, અને “મુંબઇ વિદ્યાપીઠ” તરફથી પ્રકાશનદાન (Publication grant) મળતાં એ સને ૧૯૪૧માં મેં પ્રસિદ્ધ પણ કર્યો. આ કાર્ય થતું હતું. તે દરમ્યાન અનાગમિક સાહિત્યનો પણ અંગ્રેજીમાં ઇતિહાસ રચવા માટેની સામગ્રી હું તૈયાર કરતો ગયો. આ ઇતિહાસનું કાર્ય તો આજે કેટલાંયે વર્ષો થયાં પૂરું થયું છે, પરંતુ એના પ્રકાશન-ખર્ચને પહોંચી વળવા જેવી મારી આર્થિક પરિસ્થિતિ નહિ હોવાથી એ આજે તો અપ્રકાશિત છે. આ કાર્ય ઉપાડી લેવા માટે મેં વિવિધ સંસ્થાઓને પત્રો લખ્યા તેમજ જૈન કોમને ઉદેશીને લેખ પણ લખ્યો, પરંતુ અત્યાર સુધી તો એના પ્રકાશન માટે કશો પ્રબંધ થયો નથી. એથી મને સ્વાભાવિક રીતે થોડોક તો ખેદ થાય જ ને? વિશેષ ખેદ તો એ થાય છે કે મુંબઈ વિદ્યાપીઠે આ પુસ્તક અંગે પ્રકાશન-દાન આપવાની બબ્બેવાર ઇચ્છા દર્શાવી છતાં તેનો હું લાભ લઇ શકયો નથી. અનાગમિક સાહિત્યના ઇતિહાસ માટે મેં લીધેલો પરિશ્રમ સર્વથા નિષ્ફળ ગયો નથી એ આનંદની વાત છે, કેમકે એમાં પીરસેલી સામગ્રીનો થોડોક ઉપયોગ પાઇય (પ્રાકૃત) ભાષાઓ અને P-૧૬ ૧. આનું નામ “અનાગમિક સાહિત્યનો ઈતિહાસ છે. એ લેખ “આત્માનંદ પ્રકાશ” (પુ.-૪૭ અં.૧૦)માં પ્રસિદ્ધ કરાયો છે. ૨. આના પ્રકાશનનો તમામ ખર્ચ મેં પૂરો પાડ્યો છે, જોકે પ્રકાશક તરીકે મારું નામ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy