SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ P.૧૩ ઉપોઘાતો ઉપોદઘાત, પ્રસ્તાવના અને ભૂમિકા એ સામાન્ય રીતે પર્યાયવાચક શબ્દો ગણાય છે. તેમ છતાં ઉપોદઘાત' એ વધારે ગૌરવશાળી શબ્દ ગણાય છે. એને માટે અંગ્રેજીમાં ઇન્ટ્રોડકશન (Introduction) શબ્દ વપરાય છે. ‘ઉપાદ્યાત' એ ગ્રંથનું મહત્ત્વનું અંગ છે. આના સમર્થનાર્થે એટલું જ કહેવું બસ થશે કે નિર્યુક્તિકાર ભદ્રબાહુ સ્વામી એ જે આવસ્મયની નિજજુત્તિ રચી છે. તેનો પ્રારંભ એના અંશરૂપ વિશ્થાનિસ્તુત્તિ (ઉપોદ્યાત-નિયુક્તિ)થી કરાયો છે. ‘ઉપોદ્યાત' એ ગ્રંથના પ્રવેશદ્વારની ગરજ સારે છે અને સાથે સાથે એના હાર્દ ઉપર પ્રકાશ પાડે છે-એના નિષ્કર્ષની રજૂઆત કરે છે. આ બાબતોને લક્ષ્યમાં રાખી હું અહીં ઉપોદઘાત લખું છું. સૌથી પ્રથમ હું એને બે વિભાગોમાં વિભક્ત કરું છું. (૧) નિવેદન અને (૨) મૂલ્યાંકન. નિવેદન દ્વારા મેં કઈ પરિસ્થિતિમાં આ પુસ્તક રચવાનું માથે લીધું-એને અંગે મારી શી તૈયારી હતી તેમજ આ પુસ્તકની રચના મેં કઇ પદ્ધતિએ કરી છે. એ બે મુખ્ય બાબતો હું વિચારવા ઇચ્છું છું. તેમ કર્યા પછી “મૂલ્યાંકન” રૂપ બીજા વિભાગમાં હું ચાર બાબત વિચારીશ. (૧) જૈન સંસ્કૃત સાહિત્યમાં શ્રમણવર્ગ અને શ્રાવક-વર્ગમાંથી કોનો કેવો અને કેટલો ફાળો છે? (૨) જૈન સંસ્કૃત સાહિત્યનો યુગદીઠ ફાલ શો છે ? - એ સાહિત્યનાં વિવિધ અંગોનો વિકાસક્રમ કેવો છે ? (૪) એનો નિષ્કર્ષ કેવો છે ? (અ) નિવેદન ઉત્થાનિકા- આ પૃથ્વી ઉપરના સમસ્ત જીવોમાં મનુષ્યો એની વાણી અને વિચારશક્તિને લઈને અગ્રસ્થાન ભોગવે છે. આ બે અમૂલ્ય સાધનોના સદુપયોગ દ્વારા એ સમગ્રવિશ્વનું કલ્યાણ કરી શકે એવું એનામાં સામર્થ્ય છે, પરંતુ એના આવિર્ભાવમાં બાહ્ય પરિસ્થિતિની અનુકૂળતા પણ જેવો તેવો ભાગ ભજવતી નથી. સુયોગ- સામાન્ય મનુષ્યોનો વિચાર કરીશું તો જણાશે કે એની શક્તિનો વિકાસ એની ઐચ્છિક પ્રવૃત્તિને પલ્લવિત, પુષ્મિત અને ફલિત કરવા માટે કેવું સ્થાન મળે છે તે ઉપર આધાર રાખે છે. સૌ કોઇને સર્વદા આંતરિક યોગ્યતા અને માનસિક વલણ અનુસાર જ કાર્યો કરવાનાં મળે એવો સુયોગ સાંપડવો મહામુશ્કેલ છે. સદ્ભાગ્યે મારા જીવનના એક ક્ષેત્રમાં તો મને આ જાતનો સુયોગ ઓછેવત્તે અંશે પણ પ્રાપ્ત થયો છે. ઐચ્છિક વિષય તરીકે “ગણિત’ પસંદ કરી બી.એ.ની પરીક્ષામાં અને આગળ જતાં એમ. એ. માટે પણ એ જ વિષય ચાલુ રાખી એ પરીક્ષામાં પણ હું ઉત્તીર્ણ થયો. પરીક્ષાની દૃષ્ટિએ તો ગણિતના અભ્યાસની આ પૂર્ણાહૂતિ ગણાય. મારું ગણિતનું જ્ઞાન કટાઈ ન જાય એટલું જ નહિ પણ એમાં હું ઉત્તરોત્તર વૃદ્ધિ કરી શકું એવો સુયોગ પણ મને એમ.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તરત જ સને ૧૯૧૮માં ગણિતના અધ્યાપક તરીકે મુંબઈની વિલ્સન કૉલેજમાં મારી નિમણુંક થવાથી મળ્યો. P-૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy