SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ P-૨૬ પર [52] જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ (૩) આ કૃતિઓ કંઈ કોઈ લલિત કાવ્યની પાદપૂર્તિરૂપ નથી કે જેથી એ સાહિત્યના નિરૂપણના પ્રસંગે એનો વિચાર કરી શકાય. ત્યાશ્રય-કાવ્ય- કેટલાક જૈન ગ્રંથકારોએ ભટ્ટિકાવ્યની જેમ લ્યાશ્રય-કાવ્ય રચ્યાં છે અને એ દ્વારા વ્યાકરણના વિષયને સ્થાન આપ્યું છે. આ પરિસ્થિતિમાં એ પ્રશ્ન કોઇ ઉઠાવે કે આ પુસ્તકના ત્રીજા પ્રકરણમાં “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિકૃત ન્યાશ્રયકાવ્યને અને સત્તરમાં પ્રકરણમાં જિનપ્રભસૂરિકૃત વેચાશ્રયકાવ્યને કેમ સ્થાન અપાયું નથી? આનો ઉત્તર એ છે કે આ જાતનાં કાવ્યોમાં વ્યાકરણ ઉપરાંત કાવ્યતત્ત્વ પણ અગ્રસ્થાન ભોગવે છે એટલે એકીવખતે તો ગમે તે એકને જ પ્રાધાન્ય આપી એનો પરિચય આપી શકાય. વિશેષમાં આ કૃતિઓનાં નામમાં “કાવ્ય' એવો અંશ જોડી એનો જેમ વ્યવહાર કરાય છે તેમ વ્યાકરણ જોડીને કરાતો નથી. વળી કાવ્યોના પરિચય માટે દ્વિતીયખંડનો પ્રથમ ઉપખંડ છે જ એટલે અહીં એ યાશ્રય-કાવ્યોનો પરિચય આપ્યો નથી. તેમ છતાં જો આ ન્યૂનતા જ જણાતી હોય તો આ ઉપાદ્યાત દ્વારા એની હું નોંધ તો લઉં છું. ઐવિધગોષ્ઠી- આ કૃતિ વ્યાકરણ, છંદ, કાવ્યશાસ્ત્ર અને તર્ક એમ ચાર વિષયોને સ્પર્શે છે એટલે એનો પરિચય અહીં કે દ્વિતીયખંડના દ્વિતીય ઉપખંડમાં આપી શકાય. આ બે વિકલ્પમાંથી મેં બીજો વિકલ્પ સ્વીકાર્યો છે, કેમકે આ કૃતિમાં તત્ત્વનું-દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપનું નિરૂપણ સૌથી વધારે પ્રમાણમાં છે. તેમ છતાં બાકીના ત્રણ વિષયની સંક્ષિપ્ત રૂપરેખા તો પૃ. ૩૦૧-૩૦૨, ૩૦૪ અને ૩૦પ-૩૦૬ મેં આલેખી છે. કૃતિઓના પરિચયની પદ્ધતિ- આ પુસ્તકમાં મેં જે વિવિધ કૃતિઓનો પરિચય આપ્યો છે તેમાં સ્વતન્ત્ર જૈનકૃતિનો પરિચય આપતી વેળા મેં સૌથી પ્રથમ એનાં નામાંતર હોય તો તે સાથે સાથે દર્શાવી એના રચના સમયનો-એના ગ્રંથકારે નિર્દેશેલા કે કામચલાઉ અનુમનાયેલા સમયનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ એના કર્તાનું નામ મળતું હોય તો તેનો નિર્દેશ કરી એમના ગુરુ વગેરેની અને સાંસારિક સંબંધી માહિતી જાણવામાં હોય તો તેની તેમજ એમની અન્ય કૃતિની નોંધ લીધી છે. અમુક અમુક ગ્રન્થકારની કૃતિઓની સંખ્યા ઘણી મોટી હોય એવે પ્રસંગે મેં એ કૃતિઓનાં નામ ગણાવ્યાં નથી, કેમકે તેમ કરવા જતાં એ પૈકી જેટલી કૃતિઓ પ્રકાશિત થયેલી હોય તેની નોંધ મારે મેં સ્વીકારેલી પદ્ધતિ અનુસાર ટિપ્પણીમાં કરવી પડે અને એમ કરવા જતાં તો ગ્રન્થના મૂળ લખાણ અને ટિપ્પણીનું સમતોલપણું જળવાઈ ન રહે. ગ્રન્થકાર વિષે પરિચય આપ્યા બાદ એની પ્રસ્તુત કૃતિના બાહ્ય કલેવરનો-એના શાબ્દિક P-૨૭ ૧. આ સિદ્ધહેમચંદ્ર નામના વ્યાકરણમાંના સંસ્કૃત અને પાઇય ભાષાને લગતા નિયમો ઉપર પ્રકાશ પાડે છે. સાથે સાથે એ [મૂલરાજથી માંડી] “પરમાત’ કુમારપાલને અંગે માહિતી પૂરી પાડે છે. ૨. આ કાતંત્ર વ્યાકરણની દુર્ગસિંહે રચેલી વૃત્તિના સ્પષ્ટીકરણની ગરજ સારે છે. એમાં શ્રેણિકનારેશ્વરનું ચરિત્ર આલેખાયું છે. ૩. નામ અને ભાષા એ પણ શાબ્દિક સ્વરૂપનાં અંગ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy