SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત [53] ૫૩ સ્વરૂપનો એટલે કે એનાં પરિમાણ, વિભાગ અને રચના-શૈલીનો અને ત્યાર પછી એના આંતરિક કલેવરનો-આર્થિક સ્વરૂપનો અર્થાત્ એનાં વિષય, સંતુલન વિવરણ ઇત્યાદિનો મેં વિચાર કર્યો છે. વિવરણાત્મક સાહિત્યનો મૂળકૃતિ સાથે ઘણો ગાઢ સંબંધ હોવાથી મૂળકૃતિની સાથે સાથે જ, નહિ કે કાલાનુક્રમે પૃથક્ વિચાર કરાયો છે. ટિપ્પણમાં પ્રકાશનને અંગે અને સાક્ષીરૂપે કંઈ લખાણ હોય તો તેનાં નામ, સ્થળ ઈત્યાદિ વિષે મેં નોંધ લીધી છે. પ્રકાશનો- કેટલાક જૈન ગ્રંથ એક જ વ્યક્તિ કે સંસ્થાતરફથી ફરી ફરીને પ્રકાશિત કરાયા છે તો કેટલાક જૈન ગ્રંથનાં સંસ્કરણોના પ્રકાશક ભિન્ન-ભિન્ન છે. આમ જે કેટલાક ગ્રન્થ એક કરતાં વધારે વાર છપાયા છે એ દરેકની નોંધ કરવા માટે તે તે પ્રકાશન જોવા જાણવા મળે તેમ નહિ હોવાથી તેમજ આ પુસ્તકની મર્યાદા ઇત્યાદિ જોતાં એની આવશ્યકતા પણ નહિ જણાયાથી ઘણી ખરી વાર કોઈ એક જ પ્રકાશનની નોંધ લઈ મેં સંતોષ માન્યો છે. કેટલાક ગ્રંથો પ્રકાશિત હોવા છતાં તેના પ્રકાશનાદિનો ઉલ્લેખ અહીં ન થયો હોય એમ બનવા જોગ છે, કેમકે મુદ્રિત જૈન ગ્રન્થોનું વિગતવાર અદ્યતન સૂચીપત્ર પ્રસિદ્ધ કરાયું હોય એમ જણાતું નથી એટલું જ નહિ, પણ કેટલીયે જૈન સંસ્થાઓએ પોતપોતાનાં સૂચીપત્રો પણ સાહિત્યના ઇતિહાસ માટે કામ લાગે એવાં પ્રકાશિત કરેલાં જણાતાં નથી. આ પરિસ્થિતિમાં નિમ્નલિખિત પુસ્તકોની હું નોંધ લઉં છું. (૧) Essai de Bibliographie Jaina આ ફ્રેન્ચ કૃતિના રચનાર ડૉ. એ. ગેરિનો (Guerinot) છે. એમાં ઇ. સ. ૧૮૯૫ સુધીમાં છપાયેલાં જૈન પુસ્તકોની માહિતી અપાઈ છે. (૨) શ્રીશ્વેતાંબરીય જૈનગ્રન્થ માર્ગદર્શક (જૈન ગ્રન્થગાઈડ-આની યોજના શ્રીવિજયાનન્દસૂરિજી (આત્મરામજી મહારાજ)ના શિષ્ય ઉપાધ્યાય વીરવિજયજીના શિષ્ય વિનયવિજયજીએ કરી છે. એમાં એમણે પપ ગ્રન્થોનો પરિચય આપ્યો છે અને એમાં આલેખાયેલા લગભગ ૪૭૫ વિષયોનો એમણે ઉલ્લેખ કર્યો છે. વળી એમણે ગ્રન્થના કર્તા, પ્રકાશન, પ્રકાશનસ્થળ ઇત્યાદિની પણ નોંધ લીધી છે. (૩) મુદ્રિત જૈન શ્વેતાંબરાદિ ગ્રન્થ નામાવલિ (ગાઇડ)-આના યોજક શ્રીવર્ધમાન સ્વરૂપચંદ છે. આ કૃતિમાં સંસ્કૃત, પાઇય, ગુજરાતી વગેરે ભાષામાં રચાયેલાં ત્રણેકહજાર પુસ્તકોની અને કેટલાક નકશાની નોંધ છે. વિશેષમાં ડૉ.ગેરિનોના ઉપર્યુક્ત પુસ્તકમાં જે ગ્રંથકારો અને ગ્રન્થોનો ઉલ્લેખ છે તે બંનેની અલગ અલગ સૂચી અપાઈ છે. આ ઉપરાંત એ ફ્રેન્ચ વિદ્વાનની કૃતિ નામે Repertoire de Epigraphie Jaina આધારે કયા નગર કે ગામના કેટલા શિલાલેખ ઈ. સ. ૧૮૯૫ સુધીમાં છપાયા છે તેની અહીં નોંધ લેવાઈ છે. P.૨૮ ૧. આ કૃતિ “જૈન આત્મનન્દ સભા” એ ભાવનગરથી ઇ. સ. ૧૯૧૪માં પ્રસિદ્ધ કરી છે. ૨. આ કૌસગત લખાણ મૂળ લેખકનું છે, મારું નથી. ૩. આ કૃતિ “શ્રીમદ્ બુદ્ધિસાગર ગ્રંથમાલા”ના ગ્રંથાંક ૧૦૬ તરીકે “અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડલ” તરફથી ઈ. સ. ૧૯૨૬માં પ્રકાશિત કરાઇ છે. ૪. આ કૌંસગત લખાણ મૂળ લેખનું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy