SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ [54] જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ P.૨૯ P-૩૦ (8) Jinaratnakos'a [An Alphabetical Register of Jaina Works & Authors Vol. 1) આ પુસ્તક પ્રો. હરિ દામોદર વેલણકરે અંગ્રેજીમાં રચ્યું છે. એમાં એમણે જૈનોના મુખ્યતયા સંસ્કૃત અને પાઇયમાં રચાયેલા પ્રકાશિત તેમજ અપ્રકાશિત ગ્રન્થોની અકારાદિ ક્રમે નોંધ લીધી છે. પ્રકાશિત ગ્રંથો માટે પ્રકાશકના નામ, પ્રકાશનવર્ષ ઇત્યાદિનો અને અપ્રકાશિત ગ્રન્થોની હાથપોથીઓ માટે ભંડારોનો એમણે ઉલ્લેખ કર્યો છે. માનાર્થ પ્રયોગ- આજથી સોએક વર્ષ પૂર્વે થઈ ગયેલા ગ્રન્થકારો, રાજમહારાજાઓ વગેરેને અંગે કેટલાક વિદ્વાનો તરફથી સામાન્ય રીતે એકવચનનો પ્રયોગ કરાતો જોવાય છે. મેં ગ્રન્થકારો પૂરતી તો આ પ્રથા અપનાવી નથી અર્થાત્ એમને વિષે મેં માનાર્થે બહુવચનનો પ્રયોગ કર્યો છે અને એ દ્વારા મેં એમના પ્રત્યેનો મારો આદર તેમજ એમની કૃતિ પ્રત્યેનો મારો અનુરાગ વ્યક્ત કર્યો છે. આધુનિક શ્રમણવર્ગ મોટે ભાગે જૈન મુનિવરોનાં નામ આગળ “શ્રી” શબ્દ યોજે છે. આ સંબંધમાં મેં આ શબ્દ વિદ્યમાન તેમજ આજથી લગભગ અડધા સૈકાની અંદર કાલધર્મ પામેલા મુનિવરો માટે યોજ્યો છે. બાકી એથી પ્રાચીન મુનિવરોનો નિર્દેશ કરતી વેળા મેં એ શબ્દ વાપર્યો નથી. તેમ છતાં એમને અંગેનું મારું બહુમાન એક યા બીજી રીતે દર્શાવવા મેં પ્રયાસ કર્યો છે. “શ્રી”- કેટલીવાર મુનિવરોનાં નામમાં “શ્રી” એ માનાર્થક શબ્દ નહિ હોઈ એમના અંશરૂપે એ જોવાય છે. જેમકે શ્રીચંદ્ર. આજે એનો એ પ્રમાણે નિર્ણય કરવામાં કોઇ કોઇવાર મુશ્કેલી નડે છે એટલે આવા સંયોગમાં “શ્રી” શબ્દ નહિ વાપરવાનો મારો નમ્ર મત આવકાર્ય ગણાશે. આ પુસ્તકને બને તેટલે અંશે પરિપૂર્ણ અને ઉપયોગી બનાવવાના હેતુથી મેં ત્રણ પરિશિષ્ટો આપ્યાં છે. (૧) ગ્રંથકારોની સૂચી, (૨) ગ્રંથોની અને લેખોની સૂચી અને (૩) પ્રકીર્ણક વિશેષ નામોની સૂચી, પ્રથમ સૂચીને મેં ત્રણ વર્ગમાં વિભક્ત કરી છે. (અ) શ્વેતાંબર અને યાપનીય, (આ) દિગંબર અને (ઈ) અજૈન. બીજી સૂચી માટે પણ આ પદ્ધતિ મેં સ્વીકારી છે. ત્રીજી સૂચીમાં તીર્થંકરોનાં, જાતજાતના સંપ્રદાયના, અનુયાયીઓનાં, મુનિવરોનાં, ગચ્છોનાં, નૃપાદિક ગૃહસ્થોનાં, બિરુદોના, ભૌગોલિક સ્થળોનાં, સંપાદકોનાં, પ્રકાશકોનાં, પ્રકાશન-સંસ્થાઓનાં, સામયિકોનાં, સંસ્કૃત ભાષાના કેટલાક પ્રકારનાં પ્રકાશકોનાં, તેમજ કેટલીક સંસ્કૃત ભાષાઓનાં નામ અપાયાં છે. વિશેષમાં વિરસંવત્ અને શકસંવત્ એ બે સંવતોની તેમજ ભારતની આધુનિક પ્રાદેશિક ભાષાઓમાં તથા વિદેશી ભાષાઓમાં રચાયેલાં ભાષાંતર (અનુવાદ) અને રૂપાંતરોની તેમજ પ્રસ્તાવનાની નોંધ આ પરિશિષ્ટમાં મેં લીધી છે. યાપનીય સંપ્રદાયના ગ્રંથકારો અને ગ્રંથોની નોંધ બીજા બેની જેમ સ્વતંત્ર રીતે ન લેતાં મેં ૧. આ પુસ્તકનો પ્રથમ ખંડ (વિભાગ) “ભાં. પ્રા. સં. મં.” તરફથી "Government Oriental Series Class c No. 4" તરીકે પૂનાથી ઈ. સ. ૧૯૪૪માં પ્રસિદ્ધ કરાયો છે. બીજો વિભાગ હજી સુથી અપ્રકાશિત છે. કન્નડમાં રચાયેલા જૈન ગ્રંથોની-ખાસ કરીને એના પ્રણેતાઓની નોંધ આર. નરસિંહાચાર્યે કર્ણાટકકવિચરિતમાં ત્રણ વિભાગમાં લીધી છે. એ બેંગ્લોરથી ઇ. સ. ૧૯૨૪ અને ત્યાર પછી પ્રકાશિત થયા છે. ૨. આ કસગત લખાણ મૂળ લેખકનું છે. ૩ કેટલીક વાર કૃતિઓના અને પ્રકાશકસંસ્થાઓનાં નામ આગળ પણ “શ્રી શબ્દનો વ્યવહાર કરાયેલો જોવાય છે પણ મેં એની સ્વતંત્ર નોંધ લેતી વેળા “શ્રી” શબ્દ ત્યાંથી જતો કરી એને પાછળ સ્થાન આપ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy