SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત [55] ૫૫ શ્વેતાંબરની સાથે સાથે લીધી છે, કેમકે એક તો એ સંપ્રદાયની કૃતિઓ અલ્પ પ્રમાણમાં છે અને બીજું એનાં મંતવ્યોનો ઝોક શ્વેતાંબરીય સિદ્ધાન્ત તરફનો છે. શ્વેતાંબર ગ્રંથકારો પૈકી મુનિવરોનાં નામ પ્રથમ પરિશિષ્ટમાં આપતી વેળા મેં કૌંસમાં P-૩૧ યથાશક્ય એમના ગચ્છનો નિર્દેશ કર્યો છે. આમ કરવાનું કારણ એ છે કે ગચ્છદીઠ ફાળાની તારવણી કરવી હોય તો તે સુગમ થઈ પડે. અભારતીય નામો ગુજરાતીમાં દર્શાવતી વેળા મેં એના શુદ્ધ ઉચ્ચાર જાણવાની તક મળે એ માટે અંગ્રેજી જોડણી પણ આપી છે. જૈન ગ્રંથથી અત્ર ત્રણ પ્રકારના ગ્રંથ અભિપ્રેત છે. (૧) જેના કર્તા જૈન હોય અને જેનો વિષય જૈનધર્મ કે સાહિત્ય હોય. (૨) જૈના કર્તા જૈન હોય પરંતુ જેની રચના અજૈન કૃતિને ઉદેશીને હોય. પછી એ લખાણ એ મૂળ (અજૈન) કૃતિના વિવરણ, અનુવાદ, સારાંશ કે પરિચયરૂપે હોય. (૩) જેના લેખક અજૈન હોય પરંતુ વિષય જૈનધર્મ કે સાહિત્યને લગતો હોય. આ વિવક્ષાને લક્ષ્યમાં લેતાં અને શ્વેતાંબરત્વને પ્રાધાન્ય આપતાં નીચેની હકીકત ફલિત થાય છે. (૧) લેખક શ્વેતાંબર હોય અને લખાણ શ્વેતાંબર મંતવ્યને અનનુસરતું હોય તો તે લખાણ શ્વેતાંબરકૃતિ' ગણાય. (૨) લેખક દિગંબર હોય અને લખાણ દિગંબર મતને અનુરૂપ હોય તો તે લખાણ “દિગંબરકૃતિ’ ગણાય. (૩) લેખક અજૈન હોય અને વિષય પણ અજૈન સંપ્રદાય અનુસાર હોય તો તે “અજૈનકૃતિ' ગણાય. (૪-૫) લેખક શ્વેતાંબર હોય અને લખાણ દિગંબર કે અજૈનકૃતિને લગતું હોય તો તે “શ્વેતાંબરકૃતિ’ - ગણાય. જેમકે અષ્ટસહસ્ત્રીવિવરણ અને રઘુવંશની ટીકા. (૬) લેખક અજૈન કે દિગંબર હોય પણ લખાણ શ્વેતાંબર મંતવ્ય કે સાહિત્યને લગતું હોય તો તે P-૩૨ “શ્વેતાંબરકૃતિ’ ગણાય. દા. ત. જિનરત્નકોશ અને મણિ. ગ્રંથકાર અથવા ગ્રંથ જૈન છે કે અજૈન એનો નિર્ણય જ્યાં થઈ શક્યો નથી એવા પ્રસંગે એનો “જૈન' તરીકે કામચલાઉ નિર્દેશ કર્યો છે. એવી રીતે જ્યાં શ્વેતાંબર કે દિગંબર વિષે અંતિમ નિર્ણય થઇ શક્યો નથી ત્યાં તેને શ્વેતાંબર ગણી લઈ નિર્દેશ કરાયો છે. નામોનો વિનિમય- ગ્રંથકારોનાં અને ગ્રંથોના નામોની સંપ્રદાય દીઠ તારવણી કરવા માટે પૂરતાં સાધનો મને નહિ મળવાથી એ બનવા જોગ છે કે જે કેટલાંક નામોને મેં જૈન તરીકે નોંધ્યાં હોય તે ખરી રીતે અજૈનનાં હોય અને એવી રીતે શ્વેતાંબર અને દિગંબર નામો માટે પણ બનવા પામ્યું હોય. આ પરિસ્થિતિમાં નામોની જે ફેરબદલી કરવાની રહે છે તે સૂચવવાનું કાર્ય હાલ તુરત તો હું સાધનસંપન્ન સુજ્ઞજનોને ભળાવું છું. અકારાદિ ક્રમ- પરિશિષ્ટોમાં અંગ્રેજી વગેરે વિદેશી ભાષામાં લખાયેલાં નામો સિવાયનાં ૧. આ નામો ગુજરાતી અને હિન્દીમાં નિર્દેશાયેલાં નામ પછી રોમન લિપિમાં તે તે પરિશિષ્ટના અંતમાં અપાયાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy