SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ [56] જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ P-૩૩ નામો નાગરી લિપિ અનુસાર અકારાદિ ક્રમે મેં આપ્યાં છે. તેમ કરતી વેળા સંસ્કૃત-અંગ્રેજી અને સંસ્કૃત-ગુજરાતી જેવા કોશોમાં દૃષ્ટિગોચર થતી પદ્ધતિ મેં સ્વીકારી છે અને એથી સાર્થ ગુજરાતી જોડણીકોશ જેવોમાં અકારાદિ ક્રમ માટે અપનાવાયેલી પદ્ધતિથી અંશતઃ અને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં અનુસારાયેલી પદ્ધતિથી અધિક પ્રમાણમાં ભિન્નતા રહે છે. અટકને પ્રાધાન્ય- આધુનિક સમયના ગૃહસ્થોને તેમની અટક દ્વારા સંબોધવાની આજકાલ પ્રથા હોવાથી તેમજ કેટલાકનાં પૂરા નામ જાણવામાં નહિ હોવાથી મેં એમની નોંધ લેતી વેળા એમની અટકને અગ્રસ્થાન આપ્યું છે. કેટલીક વ્યક્તિઓનાં નામ પ્રથમ પરિશિષ્ટમાં (‘ગ્રંથકાર' તરીકે) તેમજ ત્રીજા પરિશિષ્ટમાં પણ અપાયાં છે. આમ આ નામ બેવડાવાનું કારણ એ છે કે વ્યક્તિનો ગ્રંથકાર તરીકે નિર્દેશ હોય ત્યારે એનું નામ એ નામાવલીમાં અને એ વ્યક્તિનો ઇતર સ્વરૂપે નિર્દેશ હોય ત્યારે એનું નામ ત્રીજા પરિશિષ્ટમાં આપવું સમુચિત હોવાથી મેં તેમ કર્યું છે. એક જ વાક્યમાં બંને જાતનો નિર્દેશ હોય તેવા પ્રસંગે પ્રાયઃ “ગ્રંથકાર” તરીકે જ નોંધ લીધી છે. “સંસ્કૃત” શબ્દનો ઉલ્લેખ ત્રીજા પરિશિષ્ટમાં નથી. આનું કારણ એ છે કે આ સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ હોઈ એ નામ તો લગભગ પ્રત્યેક પૃષ્ઠ ઉપર સહજ આવે એટલે એ નોંધવાનો શો અર્થ ? વિવરણોનાં વિશિષ્ટ નામો- સંસ્કૃત કે પાઈયમાં રચાયેલી કૃતિના સંસ્કૃતમાં કરાતા સ્પષ્ટીકરણને વિવિધ નામે ઓળખાવાય છે. જેમકે 'ટીકા, વૃત્તિ, વિવૃત્તિ, વિવરણ, વ્યાખ્યા અને બાલાવબોધ. આ પૈકી વૃત્તિ શબ્દ વૃત્ ધાતુ ઉપરથી તેમજ વિવૃત્તિ અને વિવરણ એ બે શબ્દો વૃ ધાતુ ઉપરથી ઉદ્ભવ્યા છે. શબ્દાર્થ પૂરતા સંક્ષિપ્ત વિવેચનને “અવચૂરિ' કે “અવચૂર્ણિ' કહે છે. એને માટે “અવચૂરિકા' અને “અવચૂર્ણિકા' શબ્દ પણ વપરાય છે. “ટિપ્પણી” અને “ટિપ્પન' એ એના પર્યાય ગણાય છે. કેટલાક ટીકા રચનાર પોતાની ટીકાનો ટીકા જેવા સામાન્ય નામે ઉલ્લેખ ન કરતાં એનું વિશિષ્ટ નામ યોજે છે. આવી પ્રથાને લઈને કેટલાક ગ્રન્થનાં વિવરણોનાં વિશિષ્ટ નામ મળે છે. એથી એ વિવરણોની નોંધ મેં તે તે ગ્રન્થના પેટામાં ન લેતાં એનાં સ્વતંત્ર નામે જ કરી છે. વિશેષમાં આ વિવરણાત્મક ગ્રન્થ છે, નહિ કે મૌલિક એ દર્શાવવા મેં (ફૂદડી) જેવા ચિહ્નથી એ નામ અંકિત કર્યું છે. (આ) મૂલ્યાંકન “નિવેદન” અંગે મારું વક્તવ્ય આગળ ચલાવું તે પૂર્વે “મૂલ્યાંકન”નો વિષય હવે હું હાથ ધરું છું. એ પૂર્ણ થતાં નિવેદનને લગતી બાકીની બાબત રજૂ કરીશ. ગ્રંથપ્રણયનનો હેતુ- પ્રાચીન સમયના જૈન શ્રમણવર્યોને “ગ્રંથકાર' બનવાની કે કહેવડાવવાની P-૩૪ ૧. આ પદ્ધતિ શાસ્ત્રીય નથી તેમજ સમુચિત પણ નથી એવું મારું નમ્ર મંતવ્ય છે. ૨. હિન્દી ટીકાઓ-સ્પષ્ટીકરણને ભાષાટીકા, વચનિકા ઇત્યાદિ નામે ઓળખવાય છે. ૩. કેટલીકવાર ‘વિવૃત્તિ' શબ્દ પણ વપરાયેલો જોવાય છે. ૪. સામાન્ય રીતે આ ગુજરાતીમાં હોય છે. એને “ટબ્બો' પણ કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy