SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત [57] ૫૭ જરા યે લાલસા હતી નહિ. એઓ તો પોતાના શિષ્ય પરિવારને આત્મોન્નતિમાં સહાયક થઈ પડે એવો બોધ સચોટ કરાવવા માટે સદા ઉત્સુક રહેતા. આથી પુથ્વગય (પૂર્વગત)થી જે જે વિષયનું કાર્ય સરે તેમ હતું તે તે વિષયમાં એમણે તે તે ગ્રંથો પોતાના શિષ્ય પરિવારના પઠન-પાઠન માટે પસંદ કર્યા અને એ દિશામાં નવીન ગ્રન્થો સર્જવા એઓ લલચાયા નહિ, પરંતુ, આગળ જતાં આ સ્થિતિમાં ફેર પડ્યો. સાંપ્રદાયિક સ્પર્ધા જાગી અને અજૈનો તરફથી જૈનોની સાહિત્યિક સંપત્તિ વિષે ટકોર થતાં પ્રત્યેક વિષયને અંગે સ્વતંત્ર ગ્રન્થ રચવાની એમને ફરજ પડી. એ પહેલાં એકંદર રીતે વિચારતાં એમ કહી શકાય કે જૈન દર્શનનાં મૂળભૂત મંતવ્યો વિષે ખોટા આક્ષેપો થવાથી અને ગેરસમજ ફેલાવાતી હોવાથી એના પ્રતિકારરૂપે જૈન શ્રમણોને તત્ત્વજ્ઞાન પરત્વે તાર્કિક દૃષ્ટિએ ગ્રન્થો રચવા માટે કલમ હાથમાં ઝાલવી પડી હતી. જૈન સાહિત્યના સર્જક શ્રમણોને ધન, કીર્તિ કે કહેવાતી સેવાની એષણા ન હતી. એમણે P-૩૫ પરોપકારાર્થે અને કેટલીક વાર સાહિત્યના અનુરાગની ખાતર ગ્રન્થો રચ્યા છે. એથી કરીને એમાં ગંભીરતા, સરળતા, સુબોધકતા અને સમુચિતતા આગળ તરી આવે છે. જૈન સાહિત્યની વિશાળતા અને વિવિધતા- આજે જે જૈન સાહિત્ય ઉપલબ્ધ છે તે જોતાં એમ બેધડક કહી શકાય કે ભારતીય વાડુમયની વિવિધ શાખાને સમૃદ્ધ કરવા માટે ઇસવી સનની પહેલી સદીની શરૂઆતથી માંડીને તે આજ દિન સુધી પ્રાય: પ્રત્યેક શતાબ્દીમાં જૈનો તરફથી એક યા બીજા સ્વરૂપે ફાળો અપાયો છે. આ સંબંધમાં હું પ્રો. મોરિસ વિંતર્નિન્સ (Mauri ce Winternitz)ના જર્મન પુસ્તકના અંગ્રેજી અનુવાદ નામે A History of Indian Literature (Vol. I. p. 483)માંની નિમ્નલિખિત કંડિકા રજૂ છું. "There is scarcely any province of Indian Literature in which the Jains have not been able to hold their own. Above all, they have developed a voluminous narrative Literature, they have written epics & novels, they have composed dramas & hymns; sometimes they have written in the simple language of the people, at other times they have competed, in highly elaborate poems, with the best masters of ornate court poetry, & they have also produced important works of Scholarship." | મધ્ય યુગનો અંધકાર-પટ- શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ (ઈ પછીની દસ શતાબ્દીઓ તેમજ છેલ્લી દસ શતાબ્દીઓને અંગે જૈનોની સામાજિક અને સાહિત્યિક પ્રવૃત્તિ ઉપર પણ પ્રકાશ પાડનારાં સાધનો સારા પ્રમાણમાં મળી આવ્યાં છે. એ બાદ કરતાં બાકીની શતાબ્દીઓ (ઇ.સ. ૪૭૩ ઇ. સ. ૯૫૬) ઉપર તો અંધકાર-પટ પથરાયો હોય એમ લાગે છે. આ લગભગ ૫૦૦ વર્ષનો વચગાળાનો સમય રાષ્ટ્રિય ઇતિહાસની દૃષ્ટિએ તો ખૂબ જાહોજલાલીવાળો જણાય છે. તેમ છતાં જૈન ધર્મની અને વિશેષત: તો શ્વેતાંબર સંપ્રદાયની સાહિત્ય અને સ્થાપત્ય ૭) P-૩૬ ૧. જુઓ પૃ. ૩૨-૩૩. R. Geschichte der Indischen Litteratur. ૩. ભારતવર્ષના ઇતિહાસમાં આ સમયને કેટલાક “મધ્યયુગ” તરીકે ઓળખાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy