SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ [58]. જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ પરત્વે શી સ્થિતિ હતી તે વિષે ચોક્કસ માહિતી યથેષ્ટ પ્રમાણમાં મળતી નથી એમ વિદ્વાનોનું કહેવું છે. એમ કહેવાય છે કે આ યુગના બે ચીની મુસાફરો પૈકી એકે દક્ષિણ ભારતના થોડાક દિગંબરો વિષે સૂચન કર્યું છે તેને બાજુએ રાખીએ તો સમગ્ર જૈન સમાજ, શ્રમણ સુમદાય, સાહિત્ય કે સ્થાપત્ય વિષે ભાગ્યે જ કશી નોંધ લીધી છે. ચૈત્યવાસીઓની માલિકીનાં જિનમંદિરોમાંથી ઉત્કીર્ણ સામગ્રી ભાગ્યે જ મળી શકે. કેટલાક પ્રાથમિક વિદેશી સંશોધકોએ કેટલાંયે જૈન સ્તૂપો, ગુફાઓ, પ્રતિમાઓ વગેરેને “બૌદ્ધીમાની લેવાની ભૂલ કરી છે એમ વિન્સન્ટ સ્મિથ અને ડૉ. સલીટ જેવાએ કહ્યું છે. શ્રમણાદિનો ફાળો- ઉપલબ્ધ જૈન સાહિત્ય જોતાં એમ ભાસે છે કે જૈન સાહિત્ય એ P-૩૭ મુખ્યતયા જૈન શ્રમણોએ-નિગ્રંથોએ આ ક્ષેત્રમાં સેવેલા પરિશ્રમનું મનોરમ ફળ છે. જૈન ગૃહસ્થોનો શ્રાવકવર્ગનો ફાળો પ્રમાણમાં અલ્પ છે. પુરુષ અને સ્ત્રી એમ બે જાતિનો વિચાર કરતાં દરેક દેશમાં જોવાય છે તેમ અહીં આપણા દેશમાં પણ લેખિકાઓની સંખ્યા ગણીગાંઠી છે. જૈન સાહિત્યના સર્જનમાં ભાગ્યે જ દસેક સ્ત્રીઓનો હિસ્સો હશે. પ્રથમ-આદર્શ તૈયાર કરનાર તરીકે પણ નારીઓની સંખ્યા ગણીગાંઠી જોવાય છે. એમાં ઉપમિતિભવપ્રપંચાકથાનો પ્રથમ-આદર્શ તૈયાર કરનાર ગણા સાધ્વી જેવી વિદૂષી બહુ જ થોડી છે. ‘જેન ગૃહસ્થોની કૃતિઓ- જૈન ગૃહસ્થો એટલે ગર્ભશ્રીમંત જ એમ નહિ. એમાંના ઘણા ખરાને તો આજીવિકા અર્થે પોતાના કુટુંબ પરિવારના નિર્વાહ માટે પરિશ્રમ કરવાનો હોય. વળી અનેકવિધ સાંસારિક પ્રવૃત્તિઓમાં એમને ભાગ લેવાનો હોય. આને લઇને સાહિત્યની યથેષ્ટ ઉપાસના માટે-વિદ્યાવિલાસી જીવન જીવવા માટે-એમને પૂરતો સમય કયાંથી મળે? આ ઉપરાંત તેઓ જે કૃતિ રચે તેના પ્રચાર માટે પણ એમને કોઈ ઉદાર દિલના ધનાઢચનો કે કોઈ રાજા જેવાનો આશ્રય લેવાનો રહે. વિશેષમાં એમણે રચેલી કૃતિ સચવાઈ રહે એવો પ્રબંધ પણ ભાગ્યે જ થઈ શકે. આવી પરિસ્થિતિમાં વિક્રમની ૧૮મી સદીની પર્વે થઈ ગયેલા જૈન ગૃહસ્થોએ રચેલી કૃતિઓ જે થોડીક પણ મળે છે તે આનંદનું ચિહ્ન ગણાય. આવી પાઇયકૃતિઓમાં કવિવર ધનપાલની પાઈયલી નામમાલા, P-૩૮ ઉસભપંચાસિયા ઇત્યાદિ કૃતિઓ, ભાંડાગારિક નિમિચંદ્ર ૧૬૧ ગાથામાં રચેલું સંક્રિસયગપયરણ અને એમનું પાસનાહથોર અને ઠક્કર ફેરુની દવપરિખા, વત્થસારાયરણ વગેરે કૃતિઓનો સમાવેશ થાય છે. સંસ્કૃતકૃતિઓ રચનારા તરીકે નીચે મુજબનાં નામ ગણાવી શકાય. ૧. જુઓ પ્રાચીન જૈન લેખસંગ્રહના દ્વિતીયવિભાગની પ્રસ્તાવના (પૃ.૧૧). ૨. યવનચંગ (Yuan Chwang) ર્ક હ્યુએન સંગ અને Hien Tsang) ઇત્સિંગ. ૩. શ્વેતાંબરીય આગમિક સાહિત્ય આ સમયમાં સર્જાયું છે પણ અનાગમિક સાહિત્યનું શું ? ૪. આ સંબંધમાં ‘દક્ષિણવિહારી' અમરવિજયજીના શિષ્ય સ્વ. ચતુરવિજયજીએ “જૈન ગૃહસ્થોની સાહિત્યસેવા” એ નામના લેખમાં વિસ્તારથી વિચાર કર્યો છે. આ લેખ “જૈન સત્યપ્રકાશ” (વ. ૭, અં. ૧-૩, પૃ. ૧૬૪-૧૭૪)માં છપાયો છે. એમાં પાર્થપરાક્રમવ્યાયોગ રચનાર પ્રશ્નાદનદેવનો ઉલ્લેખ છે તો શું તેઓ જૈન છે ? અલ્લાદ પાર્શ્વજિનસ્તોત્ર રચ્યાનો આ લેખમાં ઉલ્લેખ છે. ૫. એમના પુત્ર તે “ખરતરમ્ ગચ્છના જિનપતિસૂરિ પછી એ ગચ્છના નાયક બનેલા જિનેશ્વરસૂરિ (વિ. સં. ૧૨૪૫-વિ. સં. ૧૩૩૧) છે. ૬-૭. આ બે કૃતિઓ તેમજ આ નેમિચંદ્ર અપભ્રંશમાં રચેલું “જિણવલ્લહસૂરિ-ગુરુગુણવષ્ણણ' ષષ્ટિશતક પ્રકરણમાં છપાયાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy