SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત [59] ૫૯ P-૩૯ અંનતપાલ (દિ.), આજડ, આશાધર (દિ.), આસડ (શ્રીમાળી), *આહ્વાદ (મંત્રી), કુમારપાલ (નૃપતિ), ચંડાલ (પોરવાડ વણિક,) જગદેવ (પોરવાડ વણિક), જગદેવ (પોરવાડ વણિક), ઠક્કર ફેરુ, દલપતિરાય, દુલર્ભરાજ (જગદેવના પિતા,) ધનદ (મંડન મંત્રીના કાકાના પુત્ર), ધનંજય (દિ.), ધનપાલ (વિપ્રો, ધર્મશ્રેષ્ઠી, નંદલાલ, નરપતિ, નેમિચંદ્ર, પાનંદ, મંડન (મંત્રી શ્રીમાળી), મન્મથસિંહ, માઘસિંહ, યશપાલ (મંત્રી, મોઢ), "યશોવર (મંત્રી), વસ્તુપાલ (મહામાત્ય વણિક), વાડ્મટ (બાયડ), વાડ્મટ (દિ?), વિક્રમસિંહ, “વિજયપાલ (પોરવાડ વૈશ્ય, સિદ્ધપાલના પુત્ર), “શિવનાગ (કરોડપતિ), *શ્રીપાલ (પ્રજ્ઞાચક્ષુ, પોરવાડ વૈશ્ય, વિજયપાલના પિતામહ અને સિદ્ધપાલના પિતા), સંગ્રામસિંહ (ભંડારી, ઓસવાલ) અને સિદ્ધપાલ (શ્રીપાલના પુત્ર). વિશિષ્ટ બાબત- પ્રસ્તુત પુસ્તક એ એક પ્રકારનો ઇતિહાસ છે એટલે એમાં કાલક્રમને પ્રાધાન્ય આપવાની નીતિને મેં સ્વીકારી છે અને તદનુસાર મેં વિવિધ વિષયોને લગતી કૃતિઓનો સૈકાદીઠ વિચાર કર્યો છે, પણ જો હું આટલેથી જ અટકું તો એ સવશે પરિપૂર્ણ ન ગણાય. આથી અહીં નીચે મુજબની બે બાબત આલેખું છું. (૧) સૈકાદીઠ સાહિત્યનો ફાલ- આ દ્વારા હું પ્રાયઃ પ્રત્યેક. સૈકામાં-યુગમાં કયા કયા વિષયના ક્ષેત્રમાં કેવું કેવું અને કેટકેટલું ખેડાણ થયું છે તે સૂચવીશ. (૨) વિષયદીઠ વિકાસક્રમ- પ્રત્યેક વિષયની સાંગોપાંગ છણાવટ અને રજૂઆતને લક્ષ્યમાં લેતાં એનો જયાં વિકાસક્રમ દર્શાવી શકાય ત્યાં એની ચર્ચા કરવાનો ઇરાદો રખાયો છે. આ જાતનું સાંગોપાંગ આલેખન તે તે વિષયનો પરિપૂર્ણ અભ્યાસ માંગી લે છે એટલે એ મહાભારત કાર્યને તો હું પહોંચી વળું તેમ નથી. એથી એની આછી રૂપરેખા આલેખી અને કેટલીકવાર તો થોડુંક માર્ગદર્શન કરીને મારે વિરમવું પડે તેમ છે. એમાં મારી શક્તિની, સમયની અને સાધનોની મર્યાદા કારણભૂત છે. આ ન્યૂનતા દૂર કરવા માટે હું વિશેષજ્ઞોને સાદર વિનવું છું. જૈન મૌલિક ગ્રંથોનું મૂલ્યાંકન- આ પ્રથમખંડમાં સત્તર પ્રકરણો અને એની પુરવણી છે. એ દ્વારા મેં જે ગ્રંથોનો પરિચય આપ્યો છે તેના મુખ્ય બે વર્ગ પાડી શકાય. (૧) મૌલિક અને ૯૨) વિવરણાત્મક. પહેલાં સોળ પ્રકરણમાં મેં મુખ્યત્યા મૌલિક જૈન ગ્રંથોની અને સાથે સાથે એ પૈકી જેનું જેનું વિવરણાત્મક સાહિત્ય હોય તેના તેના એ સાહિત્યની પણ નોંધ લીધી છે, જ્યારે સત્તરમાં-અંતિમ પ્રકરણમાં તો આ કાર્ય મેં કેવળ અજૈન ગ્રંથો પૂરતું જ કર્યું છે અહીં તો હું મોટે ભાગે જૈન મૌલિક સંસ્કૃત ગ્રંથોનો જ વિચાર કરીશ. પંદર વિષયો અને એને અંગેની કૃતિઓની સંખ્યા- આ ખંડમાં “વ્યાકરણ'થી માંડીને નીતિશાસ્ત્ર' સુધીના પંદર વિષયોને મેં સ્થાન આપ્યું છે. એનાં નામ તેમજ એને અંગેની મૌલિક જૈન સંસ્કૃતકૃતિઓ તથા જૈન વિવરણથી વિભૂષિત અજૈનકૃતિઓની સંખ્યા નીચે મુજબ છે. ૧. *ફૂદડી જેવા આ ચિહ્નથી અંકિત ગૃહસ્થની કૃતિ આ ખંડમાં નોંધાઈ નથી. ૨. વિક્રમની સત્તરમી સદી સુધીમાં ગુજરાતીમાં કૃતિ રચનારા પૈકી કેટલાકના નામ હું નીચે મુજબ ગણાવું છું. અમીપાલ, ઋષભદાસ, ખીમો, ગોડીદાસ, ભીમ (ભાવસાર), લીબો, વચ્છ (ભંડારી), વસ્તિક, વાનો, શાન્તિદાસ, સોલાણ અને હીરાણંદ, P-૪૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy