SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫ : વિજ્ઞાન : પ્રિ. આ. ૨૩૪-૨૩૬] ૧૪૭ શાલિહોત્ર- આ ઘોડા પારખવાની વિદ્યાને અંગેની કૃતિ હશે. આ નામની ૧૩૮ શ્લોકની કૃતિ ભોજે રચી છે. અશ્વાદિગુણઆ નામથી એક કૃતિ જૈ. ગ્રં. (પૃ. ૩૬૧)માં નોંધાયેલી છે એમાં ઘોડા વગેરેના ગુણો વર્ણવાયા હશે. શ્વ-શકુનાધ્યાય- જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪00)માં આ કૃતિનું નામ શ્વાનશકુનાધ્યાય અપાયું છે. એ ઉપરથી મેં આ નામ યોજ્યું છે. આ કૃતિની નોંધ પત્તન સૂચી (ભાગ ૧, પૃ. ૧૨૬)માં છે. આ કૃતિમાં ૨૨ પદ્યો છે. એમાં કૂતરાની હિલચાલ ઉપરથી શુકન જાણવાની હકીકત અપાઈ છે. શ્વાન-સપ્તતિકા– આ નામની એક કૃતિ જૈ ગ્રં. (પૃ. ૩૫૭)માં નોંધાયેલી છે. શું એ સંસ્કૃતમાં છે? શ્વ-રુદિત– જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૮૬)માં “શુનરુત” નામની કૃતિની એક હાથપોથી સુરતના જૈનાનંદ પુસ્તકાલયમાં હોવાનો ઉલ્લેખ છે. એ હાથપોથી મેં જોઈ તો જણાયું કે એ એક પત્રની હાથપોથી છે અને એમાં ૨૫ પદ્યો છે. એના પ્રારંભમાં “શ્રીશ(9)શ્વર (૨) પાર્થ નાથાય નમ:' એમ છે. અંતમાં ‘તિ શુનરુતં સમi 1શ્રી ! છે || શ્રી !' એવો ઉલ્લેખ છે. પ્રારંભમાં આ કૃતિનું આદ્ય પદ્ય નીચે મુજબ છે : P ૨૩૬ “સ્થાને – પ્રવેશે વI(J)રામ્યન્તરેfપ વા|| ના વૈ હિત વિત્ર પ્રવક્ષ્યાગનુપૂર્વશ(:) T? It' આ કૃતિમાં પોતાના ઘરથી પ્રસ્થાન કે એમાં પ્રવેશ કરતી વેળા કૂતરાની પ્રવૃત્તિ કેવી છે તે ઉપરથી મળનારા ફળનો ઉલ્લેખ કરાયો છે. જેમ કે ગામમાં પેસતાં મનુષ્યના કરતાં પહેલાં જો કૂતરો પ્રવેશે તો એ મનુષ્યને ગામમાંથી ઇષ્ટ ભોજન અને સુખે નિવાસ મળે (શ્લો. ૩). જે વ્યક્તિને પ્રસ્થાનની વેળાએ કૂતરાનું મુખ માંસથી અથવા અન્ય ભક્ષ્યથી પૂર્ણ દેખાય તેને લાભ થાય અને એનું કાર્ય સિદ્ધ થાય (શ્લો. ૬). હરિત (લીલી વસ્તુ)ને મુખમાં રાખી કૂતરો દોડતો જોવાય તો રાજાની કૃપા અને ખ્યાતિ મળે અને ચિત્તવેલું કાર્ય સફળ થાય (શ્લો. ૧૩). પ્રસ્થાનના સમયે જો કૂતરો ડાબી બાજુથી જમણી બાજુ જાય તો પ્રસ્થાન દુ:ખકર જાણી ન કરવું (શ્લો. ૧૫). જો કૂતરો અકાળે વિસ્વર અને તીક્ષ્ણ રુદન કરતો હોય તો મોટો ક્ષય ઉપસ્થિત થશે એમ જાણવું (શ્લો. ૨૦). મધ્યાહ્નના સમયે ગામમાં ઊંચું મુખ રાખીને કૂતરો રડે તો આગનો ભય રહે (શ્લો. ૨૧) કાક-રુત– આ કૃતિની એક હાથપોથી અહીંના (સુરતના) જૈનાનંદ પુસ્તકાલયમાં હોવાનો ઉલ્લેખ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૩)માં છે. એ જોતાં જણાયું છે. કે આ લગભગ અઢીસો વર્ષ ઉપરની ગુજરાતી ભાષામાં લખાયેલી કૃતિ છે. એમાં કાગડાને ઉદેશીને ત્રણ પિંડ બનાવી જાતજાતના પ્રશ્નોના ઉત્તર વિચારાયા છે. ધનુર્વેદ-આ કૃતિની જૈ. ગ્રં. (પૃ. ૩૬૨)માં નોંધ છે. ૧. આ નામ મેં યોજયું છે. ૨. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪00)માં ૨૦ પાઠય પદ્યમાં રચાયેલી અને શ્વાનરુતશકુનવિચાર એવા નામાંતરવાળી શ્વાનરુત નામની કૃતિની નોંધ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy