SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧ P ૨૩૭ ધનુર્વિદ્યા અને એની વૃત્તિ- આ કૃતિઓ વિષે જૈ. ગ્રં. (પૃ. ૩૬૨)માં ઉલ્લેખ છે. શું આ બંને કૃતિ સંસ્કૃતમાં છે અને એના કર્તા જૈન છે ? સમસ્તરત્નપરીક્ષા- આ નામ ઉપરથી એમ જણાય છે કે એમાં તમામ જાતનાં રત્નોની પરીક્ષાનું નિરૂપણ હશે. આ ૬૦૦ શ્લોક જેવડી કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૬૩)માં છે. સંગ્રામસિંહે બુદ્ધિસાગરમાં રત્નાદિની પરીક્ષાનો વિષય ચર્ચો છે. રયણપરિખા (લ. વિ. સં. ૧૩૭૦)- આ નામની એક કૃતિ ઠક્કર ફેરએ “કલિકાલચક્રવર્તી અલાઉદીન ખીલજીના રાજયમાં પોતાના પુત્ર હેમપાલને બોધ કરાવવા માટે રચી છે. એ પ્રાકૃતમાં છે. હીરક-પરીક્ષા– આ કોઈ દિગંબરે ૯૦ શ્લોક જેવડી રચેલી કૃતિનું નામ વિચારતાં એમ લાગે છે કે હીરાની પરીક્ષા કેમ કરવી એ બાબત આ કૃતિમાં ચર્ચાઈ હશે. P ૨૩૮ ધાઉપ્પત્તિ (ધાતંત્પત્તિ) (લ. વિ. સં. ૧૩૭૫)- આના કર્તા ઠક્કર ફરુ છે. શું આ કૃતિ સંસ્કૃતમાં મષી-વિચાર- જેસલમેરના ભંડારમાં આ કૃતિની હાથપોથી હોવાનો અને એમા તાડપત્ર તેમજ કાગળ ઉપર લખવા માટે કામમાં લેવાની શાહી (મષી) કેમ બનાવવી એ હકીકત હોવાનો ઉલ્લેખ જૈ. ગ્રં. (પૃ. ૩૬૨)માં છે. આ સંબંધમાં કેટલીક માહિતી જૈન ચિત્ર કલ્પદ્રુમમાંનું વિદ્વદ્વલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીનું લખાણ (પૃ. ૩૭-૪૫) પૂરી પાડે છે. લેખ-પદ્ધતિ– આની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૩૮)માં છે. લેખન-પ્રકાર-જૈ. ગ્રં. (પૃ. ૩૬૨)માં આ કૃતિ વિષે ઉલ્લેખ છે. વિજ્ઞાન-ચંદ્રિકા વિજ્ઞાનાર્ણવ અને વિજ્ઞાનાર્ણવોપનિષદુ– આ ત્રણે કૃતિની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૫૫)માં છે. સુિવર્ણ-રુણ્યસિદ્ધિશાસ્ત્રસંપા. જે. સી. સિકંદર. ઇ. સ. ૧૯૯૮. પ્રકા. પં. સુખલાલજી ગ્રંથમાલા.] ૧. કેટલાંક રત્નોનાં નામ અભિ. ચિ. (કાંડ ૪, શ્લો. ૧૨૯-૧૩૪)માં અપાયાં છે. ગ્લો. ૧૨૯ની સ્વોપ વિવૃતિમાં વાચસ્પતિના નામથી રત્નની આઠ જાતિ ગણાવાઈ છે : (૧) હીરો, (૨) મોતી, (૩) સુવર્ણ, (૪) રૂપું, (૫) ચન્દન (૬) શંખ, (૭) ચર્મ અને (૮) વસ્ત્ર. વિવિધ જાતનાં રત્નોનો-હીરા, મોતી વગેરેનો અનેક આકૃતિઓ અને ચિત્રો સહિત પરિચય જી. એફ. હર્બર્ટ સ્મિથકૃત (Gem-stones and their distinctive characters) નામના પુસ્તકમાં અપાયો છે. એની “મેથુએન એન્ડ કંપની લિમિટેડ” તરફથી લંડનથી બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૧૩માં પ્રકાશિત કરાઈ છે. ૨. એમની અન્ય કૃતિઓ માટે જુઓ પૃ. ૧૯૪, ૧૯૬, ૧૯૯ અને ૨૩૮. ૩. આ કૃતિની નોંધ પ્રો. પિટર્સને એમના ચોથા હેવાલમાં લીધી છે. એનો ક્રમાંક ૧૫૦૪ છે. ૪. આ નામ મેં યોજયું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy