SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૬ : નીતિશાસ્ત્ર P ૨૩૯ નીતિ' એ અનેકાર્થી શબ્દ છે. એના (૧) સદાચાર, (૨) આચરણને અંગેના નિયમો, (૩) ચાલચલગત, (૪) રાજનીતિ, (૫) પદ્ધતિ અને (૬) ધોરણ એમ વિવિધ અર્થ કરાય છે. આ પૈકી અંતિમ બે અર્થ તો અત્ર અપ્રસ્તુત છે. આચરણના નિયમોનું શાસ્ત્ર તેમજ રાજનીતિનું શાસ્ત્ર પણ નીતિશાસ્ત્ર' કહેવાય છે. વ્યવહારકુશળતાને પણ એમાં સ્થાન છે. વિશેષમાં બોધદાયક મિતાક્ષરી વર્ચનો-વાક્યોનો-નીતિસૂત્ર (maxim)નો-“સુભાષિતોનો પણ આ નીતિશાસ્ત્રમાં સમાવેશ કરાય છે. આમ વિવિધ બાબતો ઉપર નીતિશાસ્ત્ર પ્રકાશ પાડે છે. એને અંગેની કૃતિઓ હવે આપણે વિચારીએ તે પૂર્વે એ વાત નોંધી લઈશું કે “ધર્મ' એ અંગ્રેજી શબ્દ રીલિજીયન (religion) કરતાં વિશેષ વ્યાપક હોવાથી એમાં નીતિ (ethics)નો અંતર્ભાવ થાય છે, પરંતુ કેવળ નીતિમય જીવન એ કંઈ ધાર્મિક જીવન નથી એટલે કે નીતિને ધર્મ સાથે લેવાદેવા હોય જ એમ નહિ. તેમ છતાં નીતિમય જીવન જીવવું એ માનવતાના સોપાનનું પ્રથમ પગથિયું તો છે જ. (૧) સામાન્ય નીતિ P ૨૪૦ પ્રશ્નોત્તરરત્નમાલા યાને રત્નમલિકા (ઉ. વિ. સં. ૯૦૦)- આ ૨૯ પદ્યોની કૃતિનો વિષય સામાન્ય નીતિ છે અને એ પ્રશ્ન અને ઉત્તર દ્વારા ઘણી સુગમ સંસ્કૃત ભાષામાં ચર્ચાયો છે. આના કર્તા 'વિમલસૂરિ છે તો કેટલાકને મતે દિ. જિનસેનના અનુરાગી અમોઘવર્ષ છે." કેટલાક આને “બૌદ્ધ' કૃતિ ૧. સુભાષિતો સદાચારના ઘાતક અને પોષક છે. એને લગતા સંગ્રહને અંગ્રેજીમાં એન્થોલોજી (anthology) કહે છે. એમાં સૈકાઓનો અનુભવ મધુરી વાણીમાં વિશદ રીતે રજૂ કરાયેલો હોય છે. ૨. આ કૃતિ “કાવ્યમાલા” (ગુ. ૭)માં ઈ. સ. ૧૯૦૭માં (ત્રીજી આવૃત્તિ) છપાયેલી છે. દેવેન્દ્રકૃત ટીકા સહિત એ હીરાલાલ હંસરાજે જામનગરથી ઈ. સ. ૧૯૧૪માં છપાવી છે. ૩. જુઓ H I L (Vol. II, p. 559 fn.) ૪. કોઈ કોઈ એમને વીરસંવત્ પ૩૦માં પઉમચરિય રચનારા વિમલસૂરિ માને છે. વળી કેટલાક વિમલ'ને બદલે વિમલસૂરિ માને છે. વળી કેટલાક વિમલ'ને બદલે વિમલચન્દ્ર નામ રજૂ કરે છે. ૫. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૫૨૦). અહીં કહ્યું છે કે તિબેટી અનુવાદમાં અમોઘવર્ષનું નામ છે. આ સંબંધમાં પ લાલચન્દ્ર ગાંધીએ “આચાર્ય શ્રીવિજય-વલ્લભસૂરિ સ્મારક ગ્રંથ.” (પૃ. ૫૭-૬૫)માં છપાયેલા એમના લેખનામે “શ્વેતાંબર ગુરુ વિમલસૂરિની પ્રશ્નોત્તરરત્નમાલા”માં વિરુદ્ધ મત દર્શાવ્યો છે. તેમ કરવા માટે એમણે નીચે મુજબનાં કારણ આપ્યાં છે :(અ) પ્રશ્નોત્તરરત્નમાલાની ઘણી તાડપત્રીય હાથપોથીઓ પણ શ્વેતાંબરોના ભંડારોમાં જોવાય છે અને વિ. સં. ૧૨૨૩થી આ કૃતિના કર્તા શ્વેતાંબર વિમલ હોવાની પરંપરા જળવાઈ રહી છે. (આ)અમોઘવર્ષના નામવાળું પદ્ય આર્યાને બદલે અનુષ્ટ્રભૂમાં છે તે વ્યાજબી નથી. (ઈ) અમોઘવર્ષ દીક્ષા લીધા બાદ પોતાનો પૂર્વાવસ્થાના નામે-રાજા તરીકે ઉલ્લેખ કરે એ સમુચિત ન ગણાય. (ઈ) અમોઘવર્ષના નામવાળું પદ્ય કેટલું પ્રાચીન છે તેની તપાસ થવી ઘટે. () પ્રશ્નોત્તરરત્નમાલાના તિબેટી' અનુવાદમાં અમોઘવર્ષનું નામ મળે છે એ માટે પ્રમાણ દર્શાવાયું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy