SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ P ૨૪૧ તો કેટલાક આને વૈદિક 'હિંદુઓની કૃતિ ગણે છે. એ ગમે તે હો, પણ એ ઉપરથી એ વાત ફલિત થાય છે કે આ કૃતિ સર્વમાન્ય-સર્વધર્મસંમત થઈ શકે તેવી છે અને થઈ છે. આના ઉપર નીચે મુજબનું વિવરણાત્મક સાહિત્ય છે – (૧) વૃત્તિ- આ ૨૧૩૪ શ્લોક જેવડી છે. એનો પ્રારંભ ‘ઇન્દ્રાદિત્યદીપથી'' થી થાય છે. એની રચના યશોઘોષના શિષ્ય હેમપ્રભ વિ. સં. ભુવન-શ્રુતિ-રવિ એટલે ૧૨૭૩માં કરી છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૭૬)માં ઉલ્લેખ છે. પં. લાલચન્દ્ર ગાંધીએ તો એમના લેખમાં વિ. સં. ૧૨૨૩નો ઉલ્લેખ કર્યો છે. (૨) ટીકા- આ ૭૩૨૬ શ્લોક જેવડી ટીકાના કર્તા “રુદ્રપલ્લીયમ્ ગચ્છનાં સંઘતિલકના શિષ્ય દેવેન્દ્ર છે. એમણે આ ટીકા વિ. સં. ૧૪૨૯માં રચી છે અને પ્રત્યેક પ્રશ્નને અંગે એકેક કથા આપી છે. (૩) વૃત્તિ- આ મુનિભદ્ર રચી છે. HIL (Vol. I, p. 559, fn.) માં મણિભદ્રનો ઉલ્લેખ છે તે શું સાચો છે ? (૪) ટીકા- આના કર્તાનું નામ જાણવામાં નથી. રૂપાંતર–ભવ્યોત્તમ મુનિએ આ પ્રશ્નોત્તરરત્નમાલાનું રૂપાંતર પાઇયનું કર્યું છે. શાઇફનર P ર૪૨ (Schiefner) દ્વારા તિબેટી રૂપાંતર તિબેટીમાં અને જર્મનમાં સંપાદિત કરાયું છે. ઈ. સ. ૧૮૬૭માં "ફ્રેન્ચ અનુવાદ છપાયો છે. સમાનનામક કૃતિ- ઉત્તમર્ષિની એક કૃતિનું નામ પ્રશ્નોત્તર-રત્નમાલા છે. નીતિશાસ્ત્ર (લ. વિ. સં. ૧૩00)- આના કર્તા તિલકપ્રભસૂરિ છે. એઓ ‘પૂર્ણિમા' ગચ્છના દેવસૂરિના શિષ્ય થાય છે. એમણે સુભાષિતાવલી રચી છે. આ બંને કૃતિનો ઉલ્લેખ અજિતપ્રભસૂરિએ વિ. સં. ૧૩૦૭માં રચેલા શાંતિનાથચરિત્રની પ્રશસ્તિ (શ્લો.)માં કર્યો છે. ઉપર્યુક્ત તિલકપ્રભસૂરિએ આ નીતિશાસ્ત્ર રચ્યું તે પૂર્વે ભાવનાસાર રચ્યો હતો. નીતિધનદ (વિ. સં. ૧૪૯૦)- આના કર્તા ધનદ છે. એમને ધન્યરાજ અને ધનરાજ પણ ૧. કેટલાક આ કૃતિના કર્તા તરીકે શુક યતીન્દ્રનો ઉલ્લેખ કરે છે. ૨. જુઓ (HIL (Vol. || pp. 557-560) મંજૂશ્રી, ગણેશ અને મહાવીર’ને ઉદેશીને પણ મંગલાચરણો જોવાય છે. કોઈકે કર્તા તરીકે શંકરાચાર્યનો ઉલ્લેખ કર્યો છે. ૩. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૪૦. ૪. પવોલિનિએ કરેલું પાઇઅ રૂપાંતર GSAI (II pp. 153-163)માં છપાયું છે. ૫. એ રૂપાંતર પેટ્રોપોલીથી ઈ. સ. ૧૮૫૮માં પ્રસિદ્ધ થયું છે. ૬.Indische Streifen (I, pp. 210. ff) માં બે રૂપાંતરોના જર્મન અનુવાદો પ્રસિદ્ધ થયા છે. ગ્લો. ૮, ૧૦, ર૬ અને ૨૭નો વિન્તર્નિન્સ કરેલો અંગ્રેજી અનુવાદ HIL (Vol. II, pp. 559-560)માં અપાયો છે. ૭. "Indian Historical Quarterly (V, p. 1431)માં ઈ. સ. ૧૯૨૯માં વિધુશેખર ભટ્ટાચાર્યનો લેખ છપાયો છે. ૮. આ તેમજ શંગાર-ધનદ અને વૈરાગ્ય-ધનદ એ ત્રણે શતકો “કાવ્યમાલા” (ગુ. ૧૩)માં ઈ. સ. ૧૯૧૬માં મુદ્રિત થયાં છે. ૯. આ કૃતિને જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૧૬)માં નીતિ-શતક કહી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy