SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ P ૨૩૪ પ્રકરણ ૧૫ : વિજ્ઞાન ‘વિજ્ઞાનનો સામાન્ય અર્થ ‘વિશિષ્ટ જ્ઞાન’ એમ થાય છે. વળી આ શબ્દના બીજા પણ અર્થ કરાય છે : (૧) શાસ્ત્રીય જ્ઞાન, (૨) અનુભવ-જ્ઞાન અને (૩) બ્રહ્મજ્ઞાન. અહીં તો હું આ શબ્દ ભૌતિકશાસ્ત્ર, રસાયન-શાસ્ત્ર, જીવ-શાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, ખનિજ-શાસ્ત્ર, ધાતુ-શાસ્ત્ર એમ વિવિધ વૈજ્ઞાનિક શાખાઓને અંગેના ગ્રંથો એ અર્થમાં વાપરું છું. અન્ય શબ્દોમાં કહું તો જેને અંગ્રેજીમાં સાયન્સ (science) કહે છે તેને લગતા ગ્રંથો એમ અહી હું ‘વિજ્ઞાન” શબ્દથી સૂચવું છું. કલાકલાપ (લ. વિ. સં. ૧૨૮૦)- ચ. પ્ર. (પૃ. ૧૨૬)માં “વાયડ’ ગચ્છના જિનદત્તસૂરિના શિષ્ય અમરચન્દ્રસૂરિની કૃતિઓ ગણાવાઇ છે. એમાંની એકનું નામ અહીં કલાકલાપ એમ અપાયું છે અને એનો “શાસ્ત્ર' તરીકે ઉલ્લેખ કરાયો છે. શું એમાં ૭૨ કે ૬૪ કળાઓનું નિરૂપણ હશે ? ક્ષેમેન્દ્ર કલાવિલાસ રચ્યો છે તેના જેવી આ કૃતિ હશે ? કલાકલાપની એકે હાથપોથી હજી સુધી તો મળી આવી નથી એટલે એ કૃતિના વિષય વિષે ખાતરીથી શું કહેવાય ? મૃગ-પક્ષિ-શાસ્ત્ર (લ. વિ. સં. ૧૩૨૫)- આના કર્તા હંસદેવ છે. એઓ શૌડદેવના આશ્રિતકૃપાપાત્ર (protege) થાય છે. ઈ.સ.ની ૧૩મી સદીમાં વિદ્યમાન આ હંસદેવે બે ખંડમાં ૧૭૧૨ શ્લોકમાં આ કૃતિ રચી છે. પ્રાણિ-વિદ્યા (Zoology)ના આ વિરલ પુસ્તકની એક હાથપોથી ત્રિવેન્દ્રમના “રાજમહેલપુસ્તકાલયમાં છે. આ પુસ્તકમાં પશુ-પંખીના આયુષ્ય વિષે ઉલ્લેખ છે. એની સંક્ષિપ્ત નોંધ “જૈ. સ. પ્ર.” (વ. ૯, અં. ૭, પૃ. ૩૪૦)માં લેવાઈ છે. અંગ્રેજી અનુવાદ- આ શ્રીસુન્દરાચાર્ય પ્રકાશિત કર્યો છે. જુઓ જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ ('ભા. ૫) “લાક્ષણિક સાહિત્ય” (પૃ. ૨૫૦) આમાં અપાયેલી “સહાયક ગ્રંથોની સૂચીમાં મારા ત્રણ પુસ્તકનો ઉલ્લેખ છે. તે પૈકી એક તે જૈ. સં. સા. ઈ. (ખંડ ૧) છે. બીજાં બે પુસ્તકો તે આગમોનું દિગ્દર્શન અને પા. ભા. સા. છે. ઉપર્યુક્ત, ભા. ૫માં સંસ્કૃત ઉપરાંત પાઇય કૃતિઓનો પણ પરિચય અપાયો છે. P ૨૩૫ ગજ-પ્રબંધ, ગજ-પરીક્ષા યાને હસ્તિપરીક્ષા (લ. વિ. સં. ૧૨૧૫)- આના કર્તા જગદેવના પિતા દુર્લભરાજ હોવાનું મનાય છે. શું ૧૫૦૦ શ્લોક‘જેવડી જે કૃતિનો ઉલ્લેખ જૈ. ગ્રં. (પૃ. ૩૬૧)માં છે તે જ આ છે ? શું એમાં પાલકાપ્યના હસ્યાયુર્વેદનો ઉપયોગ કરાયો છે ? તુરંગ-પ્રબંધ (લ. વિ. સં. ૧૨૧૫)- આના કર્તા જગદેવના પિતા દુર્લભરાજ હોવાનું મનાય છે. ૧. આ ભાગ “પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન” તરફથી સને ૧૯૬૯માં પ્રકાશિત થયો છે. એના લેખક પં. અંબાલાલ પ્રે. શાહ છે. [બૃહદ્ ઇતિહાસના સાતેય ભાગનું પુનર્મુદ્રણ એ જ સંસ્થા દ્વારા થયું છે. આ ભાગોનો ગુજરાતી અનુવાદ આ. સોમચન્દ્રસૂરિ મ. સા. ના માર્ગદર્શન મુજબ થઈ રહ્યો છે.] ૨. આમાં હાથીનાં લક્ષણ, વર્ણ, લગભગ ૧૮૦ રોગો અને એની ચિકિત્સા, હાથીના પાલન, એને પકડવાની રીત ઇત્યાદિ વિષે નિરૂપણ છે. આ ચાર સ્થાનમાં કુલ ૧૬૦ અધ્યાયમાં રચાયેલી કૃતિ પૂનાની “આનંદાશ્રમ ગ્રન્થમાલા''માં પ્રસિદ્ધ કરાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy