SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ : પાકશાસ્ત્ર P ૨૩૩ જૈન દૃષ્ટિએ જીવોના બે પ્રકાર છે : (૧) શરીરી ને (૨) અશરીરી શરીરી જીવોને દેહ હોવાથી એ ટકી રહે તે વાસ્તે–એનાથી જીવી શકાય તે માટે એને આહાર લેવો પડે છે. દરેક જાતના જીવનો આહાર એકસરખો ન જ હોય તે સ્વાભાવિક છે. તેમાં યે મનુષ્ય બુદ્ધિશાળી પ્રાણી છે એટલે એ તો કેવળ આરોગ્યની જ દૃષ્ટિએ આહારનો વિચાર ન કરે પણ એમાં યે વિવિધતા અને મનોરમતા લાવવા મથે. આવા કોઈ પ્રયત્નના પરિણામે રસોઈની કળા ઉભવી અને વિકસી હશે. એને અંગેનું વ્યવસ્થિત ગ્રંથસ્થ લખાણ તે “પાકશાસ્ત્ર” યાને ‘સૂપશાસ્ત્ર' કહેવાય છે. આ જાતની કૃતિઓ ભિન્ન ભિન્ન ભાષામાં રચાયેલી મળે છે. સંસ્કૃત કૃતિઓ પૈકી 'નલપાકદર્પણ અને ક્ષેમશર્માએ વિ. સં. ૧૬૦૫માં રચેલા *ક્ષેમકુતૂહલ ગણાવી શકાય. ગુજરાતીમાં પાકશાસ્ત્રને લગતી જાતજાતની કૃતિઓ છે. વળી જે જૈન સાહિત્ય કાનડીમાં રચાયું છે તેમાં સૂપશાસ્ત્ર સંબંધી કૃતિ છે. પરંતુ સંસ્કૃતમાં આવી કોઈ કૃતિ કોઈ જૈન ગૃહસ્થ-શ્રાવિકાએ પણ રચી હોય એમ જણાતું નથી. વસુદેવહિંડીમાં જે “પોરાગમ' એવો ઉલ્લેખ છે તે શું પાકશાસ્ત્ર છે કે એના કોઈ એક અંગરૂપ વિષય સાથે સંબદ્ધ છે ? ગમે તે હો પણ એ સંસ્કૃતમાં છે કે કેમ અને એની રચના જૈનને હાથે થયેલી છે કે કેમ એ પ્રશ્ન તો ઊભા જ રહે છે. શ્રી હિમાંશુવિજયજીના લેખો (પૃ. ૪૮૪-૪૮૮)માં પ્રગટ કરવા યોગ્ય ગ્રંથોની નોંધ મુનિ હિમાંશુવિજયજીએ આપી છે. તેમાંથી કેટલાક..... અપશબ્દ ખંડન : કીર્તિચન્દ્ર (પાટણ), અપૌરુષેય-દેવનિરાકરણ યશોદેવ (પાટણ), એક સમયજ્ઞાનદર્શનવાદ (કોડાય), દૃષ્ટાન્તદૂષણ ડિક્કન કોલેજ-પુના), નાસ્તિકનિરાકરણમ્ (લીંબડી), પંચદર્શનખંડન (કોડાય), વેદખંડન (પાટણ), વેદબાહ્ય નિરાકરણ : હરિભદ્રસૂરિ : ડક્કન-પુના), દ્વિજવદનચપોટિકા : હેમચન્દ્રસૂરિ (લાલબાગ), સર્વજ્ઞવાદસ્થલ ડિક્કન-પુના), ધર્મોત્તર ટિપ્પણ : મલ્લવાદી : (જેસલમેર), મંગલપાદ : યશોવિજયજી, સિદ્ધાન્તતર્કપરિષ્કાર યશોવિજયજી, સ્યાદ્વાદમંજૂષા : યશોવિજયજી, પાંડિત્યદર્પણ : ઉદયચન્દ્ર : જેસલમેર, લીલાવતીસાર મહાકાવ્ય-જિનરત્નસૂરિહ (જેસલમેર), અલંકારવર્ણન : નરેન્દ્રપ્રભ (અમદાવાદ), કાવ્યાસ્નાય-અમરચન્દ્ર, વાગભટ્ટાલંકારવૃત્તિ-જિનપવર્ધન-કુમુદચન્દ્ર (અમદાવાદ) - રાજહંસોપાધ્યાય (અમદાવાદ), ઋષભોલ્લાસકાવ્ય (અમદાવાદ), કવિગુહ્યકાવ્ય-રવિધર્મ : (જેસલમેર), ચન્દ્રદૂતકાવ્ય જંબૂકવિ, નલોદયકાવ્ય રવિદેવ ડિક્કન-પુના), નેમિદૂત વિક્રમ (લિંબડી). . [વિશેષ યાદી પેજ નં : ૧૮૫ ઉપર] ૧. આ “ચૌખપ્પા સંસ્કૃત સિરીઝમાં છપાયેલા છે. ૨. આ “આયુર્વેદીય ગ્રન્થમાળામાં વૈદ્ય જાદવજી ત્રિકમજીએ છપાવેલ છે. એનો સંક્ષિપ્ત પરિચય શ્રી દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીએ આયુર્વેદનો ઇતિહાસ (પૃ. ૨૨૭)માં આપ્યો છે. ૩. આની એક સૂચી મેં રસોઈનું રસાયણ નામના પુસ્તકના અવલોકનમાં આપી છે. એ અવલોકન “માનસી” (વ. ૧૦, એ. ૩)માં છપાયું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy