SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧ વૈદ્યકકલ્પ અને વૈદ્યકસાર- આ બંનેની તાડપત્રીય પ્રતિ મળે છે પણ એના કર્તાનાં નામ જાણવામાં નથી. સિદ્ધયોગમાલા- આ ૫૦૦ શ્લોકની કૃતિના પ્રણેતા સિદ્ધર્ષિ છે. રસપ્રયોગ– આના કર્તા સોમપ્રભાચાર્ય છે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૨૯) પ્રમાણે એ વૈદ્યકનો ગ્રંથ છે. એમાં રસ વિષે નિરૂપણ તથા પારાના ૧૮ સંસ્કારનું વર્ણન હશે. ' 'રસચિન્તામણિ– અનંતદેવસૂરિએ ૯૦૦ શ્લોક જેવડી આ કૃતિ રચી છે. માઘરાજપદ્ધતિ- આ ૧૦OO0 શ્લોક જેવડી કૃતિના કર્તા માઘચન્દ્રદેવ છે. P ૨૩૨ સંદિગ્ધ કૃતિઓ સિદ્ધસાર – શું આ વૈદ્યક અંગેની જૈન કૃતિ છે ? આયુર્વેદ-મહોદધિ- આ ૧૧OO શ્લોક જેવડી કૃતિના કર્તા સુષેણ છે. શું એઓ જૈન છે ? ચિકિતો (? ત્સો)ત્સવ- આ ૧૭૦૦ શ્લોક પ્રમાણ કૃતિના કર્તા હંસરાજ છે. શું તેઓ જૈન છે? પ્રતાપકલ્પદ્રુમ- આ ૬000 શ્લોક જેવડી કૃતિ પ્રતાપસિંહદેવે રચી છે. જિ. ૨. કોમાં આની નોંધ નથી તો શું એના કર્તા અજૈન છે ? યોગરત્નસમુચ્ચય- આ ૪૫૦ શ્લોક જેવડી કૃતિના કર્તાનું નામ જાણવામાં નથી. શુ એઓ જૈન છે? વૈદ્યામૃત- આ ૨૦૦ શ્લોક જેવડી કૃતિ શ્રીધરદેવે રચી છે. શું એઓ જૈન છે ? રત્નસાગર- આ શું વૈદ્યકની જૈન કૃતિ છે? રત્નસાગર માટે જુઓ ઉપર્યુક્ત પુસ્તકનો ક્રમાંક ૧૯૧ રસરત્નદીપિકા- મલ્લરાજ મહીપતિની ૬00 શ્લોક જેવડી આ રચના છે. શું એઓ જૈન ? [રસરત્નસમુચ્ચય- કર્તા દેવચન્દ્રના શિષ્ય માણેક્યદેવ ૧૬મી સદીની આ રચનાનું પ્રકાશન પ્રાકૃત ભારતી અકાદમીએ ઇ.સ. ૧૯૮૬માં જે.સી.સિકદરે સંપાદિત કર્યું છે.] [લીલાવતીસાર- આ. જિનરત્નસૂરિ, સંપા. હરિવલ્લભ ભાયાણી. પ્રકા. લા. દ. વિદ્યામંદિર .સ. ૧૯૮૩.] તત્ત્વાર્થસૂત્ર (અભિનવ ટીકા) દીપરત્નસાગર. પ્ર. અભિનવશ્રુત પ્રકાશન. આરાધક વિરાધક ચતુર્ભગી ઉપા. યશોવિજયજી વિવેચન પ્રવીણચંદ્ર માતા પ્ર. ગીતાર્થ ગંગા. ૧. આ કૃતિ ભાષાટીકા સાથે વેંકટેશ્વર મુદ્રણાલયમાં છપાવાઈ છે. વિશેષ માટે પૃ. 143 ટિ. ૭ જુઓ.] ૨. શું આ દક્ષિણ ભારતમાં રચાયેલો નિઘંટુ છે ? ૩. આ નામની એક કૃતિ તીસટના પુત્ર ચન્દ્રટે રચી છે. ૪. આ નામની એક કૃતિ માણિકયભટ્ટના પુત્ર મોરેશ્વરે શકસંવત્ ૧૬૦૩માં રચી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy