SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ મૂળ કૃતિ પુરુષોત્તમદેવે રચેલા શબ્દભેદપ્રકાશના જેવી છે ? જો એમ જ હોય તો એમાં અગાર અને આગાર, અગા અને આગા, અરાતિ અને આરાતિ એમ જરા જરા ફેરફારવાળા એકાર્થક શબ્દોની સૂચી હશે. [પંડિત વિનયસાગર દ્વારા શ. મે. પ્ર.ની મુદ્રણયોગ્ય પ્રતિ તૈયાર કરવામાં આવી છે. એનું સંપાદન ટુંક સમયમાં થનાર છે.] નામસંગ્રહ, નામમાલાસંગ્રહ કિંવા વિવિક્તનામસંગ્રહ (લ. વિ. ૧૬૬૦)- આના કર્તા ઉપા. P ૧૧૯ ભાનુચન્દ્રગણિ છે. એઓ વિજયદાનસૂરિના શિષ્ય સકલચન્દ્રના શિષ્ય સૂચન્દ્રના શિષ્ય થાય છે. એમને વિ. સં. ૧૬૪૮માં લાહોરમાં “ઉપાધ્યાય' પદ મળ્યું હતું. એઓ મોગલ સમ્રાટુ અકબર આગળ દર રવિવારે સૂર્યસહસ્ત્રનામ બોલતા હતા. એ ઉપા.ને શાંતિચન્દ્ર નામે એક વિદ્વાન શિષ્ય હતા. આ ભાનુચન્દ્રમણિએ નીચે મુજબની કૃતિઓ રચી છેઃ (૧) (પ્રસ્તુત) નામમાલાસંગ્રહ, (૨) રત્નપાલકથાનક (લ. વિ. સં. ૧૬૬૨) અને (૩) સૂર્યસહસ્ત્રનામ. આ ઉપરાંત એમણે નિમ્નલિખિત ગ્રંથો ઉપર વૃત્તિ રચી છે (૧) કાદંબરી (પૂર્વાર્ધ), (૨) વસંતરાજશકુન, (૩) વિવેકાવિલાસ અને (૪) સારસ્વત વ્યાકરણ. પ્રસ્તુત નામમાલાને એના કર્તાના નામ ઉપરથી ભાનુચન્દ્રનામમાલા તરીકે કેટલાક ઓળખાવે છે એમ જૈ. ગ્રં. (પૃ. ૩૧૧)માં એ નામથી એની નોંધ જોતાં જણાય છે. આ નામમાલામાં અભિ. ચિ.ની P ૧૨૦ પેઠે છ કાંડ છે અને એનાં નામ પણ એ જ પ્રમાણે છે. આ નામમાલામાંથી કેટલાંક અવતરણો “ભાનુચન્દ્રમણિચરિત (પૃ. પ૬)માં અપાયાં છે. ૧. આ ૫૪ પદ્યની નાનકડી કૃતિ “દે, લા. જૈ. પુ. સં.” તરફથી પ્રકાશિત “અભિધાનચિન્તામણિકોશ”ની આવૃત્તિમાં છપાઈ છે. જુઓ પૃ. ૧૧૨. ૨. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૯૫). ૩. એના મુખ્ય પ્રધાન અબુલ ફજલે આઈન-એ-અકબરીમાં અકબરના દરબારના એક ઉલ્લેખયોગ્ય વિદ્વાન તરીકે ભાનુચન્દ્રમણિની નોંધ લીધી છે. બાદશાહ જહાંગીરે જહાંગીરેનામામાં પણ એમનો વિદ્વાન તરીકે નિર્દેશ કર્યો છે. ૪. આના ઉત્તરાર્ધની ટીકા સિદ્ધિચન્દ્રમણિએ રચી છે. આ ગુરુ-શિષ્યની ટીકા સહિત મૂળ કૃતિની છઠ્ઠી આવૃતિ નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઈ. સ. ૧૯૨૧માં છપાઈ છે. [આનું સંપાદન મુનિ હિતવર્ધનવિ. કરે છે.] ૫. આ કૃતિ “વેંકટેશ્વર મુદ્રાણાલય” તરફથી વિ. સં. ૧૯૬૩માં છપાઈ છે. ૬. આ કૃતિ “ડાયમંડ જ્યુબિલિ પ્રેસ”ના વ્યવસ્થાપકે અમદાવાદથી ઈ. સ. ૧૮૯૮માં પ્રકાશિત કરી હતી. ત્યાર બાદ એ આગ્રાથી “સરસ્વતી-ગ્રંથમાલા”માં ગ્રથાંક ૧ તરીકે વિ. સં. ૧૯૭૬માં પ્રસિદ્ધ કરાઈ છે. ૭. આની વૃત્તિ વિ. સં. ૧૬૭૧માં રચાઈ છે. ૮.જિ.૨. કો. (ખંડ ૧, પૃ. ૪૫૨)માં સૂર્યસહસ્ત્રનામની વૃત્તિના રચનાર તરીકે પ્રસ્તુત ભાનુચન્દ્રમણિનો ઉલ્લેખ છે. સ્વિોપજ્ઞટીકા સાથે સૂર્યસહસ્રનામનું સંપાદન આ. ધર્મધુરંધરસૂરિ કરી રહ્યા છે.] ૯. આ સિ. જે. ગ્રં. માં ઇ. સ. ૧૯૪૧માં પ્રકાશિત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy