SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ : કોશ યાને નામમાલા : પ્રિ. આ. ૧૧૪-૧૧૮] ૬૭ (૧) ‘તપા' ગચ્છના હીરવિજયસૂરિના શિષ્ય શુભવિજયગણિએ વિ. સં. ૧૯૬૧માં રચેલી કૃતિ. (૨) દેવવિમલગણિકૃત કૃતિ. (૩) અજ્ઞાતકર્તુક કૃતિ. અભિધાન-ચિંતામણિ-નામમાલા-પ્રતીકાવલી-આની એક હાથપોથી “ભાં. પ્રા. સં. મું.”માં છે. P ૧૧૭ કર્તાનું નામ જાણવામાં નથી.' શેષનામમાલા યાને શેષસંગ્રહનામમાલા-અભિ. ચિ.માં નહિ નોંધાયેલા એવા કેટલાક શબ્દોનો આ કોશ છે. એ પણ હેમચન્દ્રસૂરિની રચના છે. એમાં ૨૦૪ (૧+૯+૬૩૪૧+૨+૮) શ્લોક છે. આ શબ્દકોશ ઉપર શ્રીવલ્લભગણિની અને કોઈક અન્યની એકેક ટીકા છે. શિલોંછ (વિ. સં. ૧૪૩૩)- અભિ. ચિ.નાં બીજા વધારા તરીકે ૧૪૦ શ્લોકનો શિલોંછ જિનદેવે “ત્રિ-વસુ-ઇન્દુ(?)થી સૂચિત વર્ષમાં રચ્યો છે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૮૩) પ્રમાણે આ રચના વિ. સં. ૧૪૩૩માં થઈ છે. જ્ઞાનવિમલના શિષ્ય શ્રીવલ્લભે વિ. સં. ૧૬૫૪માં આના ઉપર ટીકા રચી છે. શબ્દરપ્રદીપ (ઉ. વિ. સં. ૧૨૯૫)- સુમતિગણિએ ગણતરસદ્ધસયગની વિ. સં. ૧૨૯૫માં રચેલી વૃત્તિમાં આનો અનેક વાર ઉલ્લેખ કર્યો છે. કલ્યાણમલ્લે પણ શબ્દરત્નપ્રદીપ રચ્યો છે તે તો આ કૃતિ નથી ? જો એ જ હોય તો આ અજૈન કૃતિ છે. શબ્દચન્દ્રિકા- આ કોશની ૧૭પત્રોની હસ્તલિખિત પ્રતિ લા. દ.વિદ્યામંદિરમાં છે. એના કર્તાનું નામ જાણવામાં નથી. આ પ્રતિ અપૂર્ણ હોય તો એના પછીના પત્રમાં કદાચ કર્તાનું નામ હશે. આના આદ્ય પદ્ય ઉપરથી એનું નામ “બાલબોધ-પદ્ધતિ અને દ્વિતીય ઉપરથી મનોરમા નામ હોવાનું અનુમનાય છે. હિાંસિયામાં શબ્દચન્દ્રિકા' છે. સુન્દરપ્રકાશ, પદાર્થચિન્તામણિ કિંવા શબ્દાર્ણવ (ઉ0 વિ. સં. ૧૬૧૯)-પદ્મમેરુના શિષ્ય ૨ ૧૧૮ પદ્મસુંદરે આ કોશ પાંચ પ્રકરણમાં રચ્યો છે. એની એક હાથપોથી વિ. સં. ૧૬૧૯માં લખાયેલી છે. આ કોશને કેટલાક પદાર્થચિત્તામણિ અને શબ્દાર્ણવ એ નામથી પણ ઓળખાવે છે. દિ. આનંદમેરુના શિષ્ય પદ્મમેરુના શિષ્ય પદ્મસુંદરે ચોવીસ તીર્થંકરના ચરિત્રરૂપ અને રાયમલ્લ નામના શ્રાવકના નિર્દેશપૂર્વકનું રાયમલ્લાન્યુદય કાવ્ય વિ. સં. ૧૬૧૫માં રચ્યું છે તો ઉપર્યુક્ત પદ્મસુંદર તે જ આ છે ? શબ્દભેદનામમાલા (ઉ. વિ. સં. ૧૬૫૦)- આ મહેશ્વરની કૃતિ છે. એના ઉપર “ખરતર' ગચ્છના ભાનુમેરુના શિષ્ય જ્ઞાનવિમલે વિ. સં. ૧૬૫૪માં ૩૮૦૦ શ્લોક જેવડી વૃત્તિ રચી છે. શું આ ૧. નાગવર્માએ જે અભિધાન-રત્નમાલા રનો જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૪)માં ઉલ્લેખ છે તેને પ્રસ્તુત અભિ. ચિસાથે કંઈ સંબંધ છે ખરો ? ૨. “ય. જે. ગ્રં.”ની આવૃત્તિમાં “શેષa”ના ઉલ્લેખપૂર્વક એ શબ્દો તે તે સ્થાનમાં વિવૃતિમાં અપાયા છે, જ્યારે બોટલિંક અને રિયુની આવૃત્તિમાં એ પરિશિષ્ટ રૂપે છપાયા છે અને અભિધાન-સંગ્રહમાં સાતમા કોશ તરીકે અપાયા છે. “દે. લા. જૈ. પુ. સં.”ની આવૃત્તિમાં પણ આ કોશ છે. ૩. જુઓ હમસમીક્ષા (પૃ. ૭૭-૭૮). ૫. “દે, લા. જૈ. પુ. સં.” તરફથી પ્રસિદ્ધ થયેલી આવૃત્તિમાં ૧૮૩૧નો ઉલ્લેખ છે તે બ્રાંત છે. ૬. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૮૩). ૭. જૈ. ગ્રં. (પૃ. ૩૧૧)માં જે મહેશ્વરની કૃતિ તરીકે લિંગભેદનામમાલાનો ઉલ્લેખ છે તેઓ જ આ છે? અહીં લિંગભેદનામમાલાની કોઈએ વૃત્તિ રચ્યાની નોંધ છે. વિશ્વકોશના રચનારનું નામ પણ મહેશ્વર છે. ૮. જુઓ જિ. ૨. કો. (નં. ૧, પૃ. ૩૭૩). અહીં આ કૃતિનું શબ્દભેદપ્રકાશ એવું નામાંતર અપાયું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy