SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ : કોશ યાને નામમાલા : [પ્ર. આ. ૧૧૮-૧૨૧] "શબ્દ-સંદોહ-સંગ્રહ-આ કૃતિ જૈ. ગ્રં. (પૃ. ૩૧૩)માં નોંધાયેલી છે અને અહીં એની ૪૭૯ પત્રની તાડપત્રીય પ્રતિ હોવાનો ઉલ્લેખ છે. આ હકીકત બરાબર હોય તો આ મહત્ત્વની કૃતિ ગણાય. - શારદીયનામમાલા યાને શારદીયાભિધાનમાલા - (લ. વિ. સં. ૧૬૬૦) - આ “નાગપુરીય તપા’ ગચ્છના હર્ષકીર્તિસૂરિની રચના છે. એઓ ચન્દ્રકીર્તિસૂરિના શિષ્ય થાય છે. એમણે યોગચિન્તામણિ અને વૈદ્યકસારોદ્ધાર એ બે વૈદ્યક કૃતિઓ રચી છે. એ ઉપરાંત એમણે જ્યોતિઃસાર રચ્યો છે. વળી એમણે નિમ્નલિખિત કૃતિઓની ટીકા રચી છે : કલ્યાણ મંદિર-સ્તોત્ર, બૃહચ્છાન્તિ-સ્તોત્ર, સિજૂર-મકર, શ્રુતબોધ, ધાતુપાઠ અને સે-અનિકારિકા. શેષનામમાલા યાને શેષસંગ્રહનામમાલા (લ. વિ. સં. ૧૬૭૦ ?) - આ સાધુકીર્તિની કૃતિ છે. P ૧૨૧ શું એ કોઈ નામમાલાની પુરવણીરૂપ રચના છે ? વળી આ સાધુ કીર્તિ કયા ગચ્છના છે અને એઓ કોના શિષ્ય છે એની પણ તપાસ થવી ઘટે. શું એઓ ધાતુરત્નાકર ઉપર વિ. સં. ૧૬૮૭માં ક્રિયાકલ્પલતા રચનાર સાધુસુંદરગણિના ગુરુ છે ? "શબ્દરત્નાકર (લ. વિ. સં. ૧૬૮૦)-આના કર્તા “ખરતર' ગચ્છના સાધુસુન્દરગણિ છે. એમણે ઉક્તિરત્નાકર તેમજ ક્રિયાકલાપ નામની સ્વપજ્ઞ વૃત્તિથી વિભૂષિત ધાતુરત્નાકર (યુક્તિસંગ્રહ, પાર્થસ્તુતિ વગેરે) રચ્યા છે. આ વૃત્તિ એમણે વિ. સં. ૧૬૮૦માં રચી છે. શબ્દરત્નાકર એ પદ્યાત્મક કૃતિ છે. એ છ કાંડમાં વિભક્ત કરાઈ છે. એનાં નામો અનુક્રમે અર્હત, દેવ, માનવ, તિર્યચ, નારક અને સામાન્ય એમ રખાયાં છે. લઘુતમનામકોશ(વિ.સં. ૨૦૦૫)- આ આગમોદ્ધારકે બાલજીવોને ઉદેશીને પદ્યમાં રચેલી કૃતિ છે. આ ઘણો નાનો કોશ છે. એ અભિ. ચિ.ના પ્રવેશદ્વારની ગરજ સારે તેમ છે. ૧. આની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૧૪)માં જૈ. ગ્રંટના આધારે કરાઈ છે. અહીં આની કોઈ બીજી હાથપોથીનો ઉલ્લેખ નથી. ૨. આ હર્ષકીર્તિસૂરિની પોતાની કૃતિ છે અને એ સારસ્વત વ્યાકરણને અંગે છે. એ વિ. સં. ૧૬૬૩માં રચાઇ છે. એના ઉપર ધાતુરંગિણી નામની સ્વપજ્ઞ વૃત્તિ છે. ૩. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ૦ ૪૫૨) પ્રમાણે તો આ મૂળ કૃતિ પણ હર્ષકીર્તિસૂરિએ વિ. સં. ૧૬૬૨માં રચી છે. એની સ્વોપજ્ઞ વૃત્તિ વિ. સં. ૧૬૬૯માં રચાઈ છે. ૪. જૈ. સા. સં. ઈ. (પૃ. ૧૯૩) પ્રમાણે હર્ષકીર્તિસૂરિએ સારસ્વતદીપિકા રચી છે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૩૩)માં તો આ નામની કૃતિના કર્તા તરીકે ચન્દ્રકીર્તિસૂરિનો ઉલ્લેખ છે અને એ એમણે વિ. સં. ૧૬૬૪માં રચી છે. ૫. “ય. જૈ. ગ્રં.”માં ગ્રંથાંક ૩૬ તરીકે આ કૃતિ વીરસંવત્ ૨૪૩૯માં પ્રકાશિત કરાઈ છે. એમાં અંતમાં શબ્દોની અકારાદિ ક્રમે સૂચી છે. ૬. આ કૃતિ “જૈ. પુ. પ્ર. સં.” તરફથી સુરતથી વિ. સં. ૨૦૦૫માં પ્રકાશિત કરાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy