SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ નામકોશ- ખરતરગચ્છીય રત્નસારના શિષ્ય સહજકીર્તિની આ રચના છે. લિંગનિર્ણય સાથે એ છ કાંડમાં રચાઈ છે. [સુશીલનામમાલા- આ. સુશીલસૂરિ. પ્ર. સુશીલ. જ્ઞાન. સિરોહી.] આંશિક કોશો સામાન્ય રીતે કોશમાં સમગ્ર વર્ણમાળાના અક્ષરોને સ્થાન હોય છે અને સાથે સાથે એમાં વિવિધ વિષયના શબ્દો રજૂ કરાયેલા હોય છે. પરંતુ કેટલીક વાર અમુક જ અક્ષરોના બનેલા શબ્દોનો અથવા તો કોઈ એક જ વિષયને લગતા શબ્દોનો કોશ નજરે પડે છે. જે કોશ અમુક જ વર્ણવાળા શબ્દોનો બોધ કરાવે છે અને હું “આંશિક કોશ” કહું છું. એવી રીતે જે કોશ અમુક જ વિષય પૂરતા શબ્દો રજૂ કરે છે તેને પણ હું “આંશિક કોશ” કહું છું. આમ આંશિક કોશ બે પ્રકારના છે. તેમાં પ્રથમ પ્રકારના કોશોની હવે હું નોંધ લઉં છું. P ૧૨૨ પંચવર્ગસંગ્રહનામમાલા (લ. વિ. સં. ૧૫૨૫)- આ ‘સહસ્રાવધાની' મુનિસુંદરસૂરિના શિષ્ય શુભશીલગણિની કૃતિ છે. એનું નામ વિચારતાં એમ લાગે છે કે જો એ “કોશ'જ હોય તો એમાં ક-વર્ગ ઇત્યાદિ પાંચ વર્ગના જ શબ્દોની સૂચી અપાઈ હશે. આ ગણિએ વિ. સં. ૧૫૧૮માં શત્રુંજયકલ્પકથા અને વિ. સં. ૧૫૪૦માં શાલિવાહનચરિત્ર રચેલ છે. ચક્ષરનામમાલા-આ કૃતિનું નામ વિચારતાં બે વિકલ્પ હુરે છે : (૧) એમાં બબ્બે અક્ષરવાળા બધી જાતના શબ્દો હશે. (૨) અમુક જ બે અક્ષરવાળા શબ્દો હશે. પંચવર્ગપરિહારનામમાલા-આ જાતની કૃતિમાં કુ થી મે સુધીના ૨૫ અક્ષરોને જતા કરી બાકીના યુ, ૨, , વ, શ, ષ, સું અને હું એ આઠ અક્ષરો પૈકી ઓછાવત્તા અક્ષરોના બનેલા શબ્દોને સ્થાન અપાય છે. વર્ણોની ઉત્પત્તિના અધિકરણ-ભાવને ધારણ કરનારું શરીરનું અવયવ એ વર્ણોનું સ્થાન ગણાય છે. આવા સ્થાનો તરીકે (૧) છાતી, (૨) કંઠ, (૩) મસ્તક, (૪) જીભનું મૂળ, (૫) દાંત, (૬) નાક, (૭) બે હોઠ અને (૮) તાળવું એમ આઠ સ્થાનો નિમ્નલિખિત પદ્યમાં ગણાવાયાં છે - કઈ થાનનિ વનામુ: 8: શિરતથી | નિવામૂનં ટુતાર્શ નાસિ%ોકી ૨ તાતુ ૨ આ પૈકી ઓષ્ઠસ્થાનીય વર્ણ તરીકે નીચે મુજબના અક્ષરો ગણાવાય છે:P ૧૨૩ પ-વર્ગ, – (દંતોક્ય) ઉં, ઊ, ઓ, ઔ અને ઉપબાનીય – ૫, ફ, બ, ભૂ અને મેં એ પાંચ વર્ણો પ-વર્ગના ગણાય છે. એ ઉચ્ચારવા માટે હોઠની જરૂર પડે છે. અસલના જમાનામાં કેટલીક વાર એવી વાક્ચાતુર્યની (acrobatic feat) હરીફાઈ યોજાતી હતી કે એમાં ભાગ લેનાર એવા શબ્દો ઉચ્ચારતો કે એમાં ૫ થી મ્ સુધીના પાંચ વર્ણો પૈકી એકેનો ઉચ્ચાર કરવાનો વારો ન આવે. આ હરીફાઈમાં ભાગ લેનારના ઉપલા હોઠે સિંદૂર લગાડાતો કે જેથી એ જો ભૂલેચૂકે પ-વર્ગનો વર્ણ બોલે તો એ હોઠ નીચલા હોઠને અડકે અને તેની ખબર એ સિંદૂરથી રંગાતાં તરત જ પડી જાય. ૧. આ નામની એક કૃતિ અપ્રસિદ્ધ છે. એની હાથપોથીઓ જેસલમેર અને કાશીના ભંડારમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy