SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ કુમારપાલના અવસાન પૂર્વે એક વર્ષ પહેલાં એટલે કે વિ. સં. ૧૨૨૯માં આ સૂરિવર્તનો ૮૪ P ૬૩ વર્ષની વયે દેહોત્સર્ગ થયો, અને તેમ થતાં ગુજરાત એક વિરલ વિભૂતિના જ્યોતિપુંજથી વંચિત બન્યું. રૂપરેખાસિદ્ધહેમચન્દ્રને સંક્ષેપમાં સિદ્ધહેમ પણ કહે છે. એ કેવળ સંસ્કૃત ભાષા પૂરતું વ્યાકરણ નથી. પરંતુ પાઇય ભાષાના મહટ્ટી, સોરસણી, માગવી, પેસાઈ, ચૂલિયાપેસાઈ તેમજ અવહઢ એ છ ભેદો ઉપર પણ પ્રકાશ પાડનારું વ્યાકરણ છે. અવહટ્ટને અંગે તો આપણે એમને “ગુજરાતના પાણિનિ' કહી શકીએ. જેમ પાણિનિએ “ઇસ' અને 'ના' કહી વૈદિક ભાષાનો પરિચય કરાવ્યો છે તેમ આ આચાર્ય આર્ષ' કહી જૈનોના પ્રાચીન અને મહામૂલ્યશાળી આગમોની અ. મા. ભાષાની વિશેષતાઓની પ્રસંગોપાત નોંધ લીધી છે. પાલિ એ પણ પાઇય ભાષાનો એક પ્રકાર છે. તેમ છતાં વરરુચિ વગેરે પ્રાચીન વૈયાકરણોએ જેમ એનું નિરૂપણ કર્યું નથી તેમ આ આચાર્યે પણ આ ભાષાનું વ્યાકરણ રચ્યું નથી. જો એ કાર્ય એમણે કરી નવો ચીલો પાડ્યો હોત તો એમના પંચાંગી વ્યાકરણની સાંગોપાંગતા સોળે કળાએ ખીલી ઊઠત. પરિમાણ- મેરૂતુંગસૂરિએ વિ. સં. ૧૩૬૧માં રચેલા પ્રબંધચિંતામણિમાં કહ્યું છે કે સવા લાખ P ૬૪ શ્લોક જેવડું સિદ્ધહેમ નામનું નવું પંચાંગ વ્યાકરણ હેમચન્દ્રાચાર્યે એક વર્ષમાં રચ્યું. કેટલાક આ વર્ષ તરીકે વિ.સં. ૧૧૯૩-૯૪ ગણાવે છે. ૧. વિ. સં. ૧૨૩૦માં આ રાજા જતાં ગુજરાતમાં સોલંકીઓના વૈભવનો અસ્તકાળ શરૂ થયો. ૨.પ્રા. હરિવલ્લભ ચુ. ભાયાણીનું ભાષણ નામે “હેમચન્દ્રીય અપભ્રંશનું સ્વરૂપ” “ફા.ગુ. સ. 2.” (પૃ. ૧૬, અં. ૪, પૃ. ૧૬૧-૧૭૧)માં છપાયું છે તે જોઈ જવું ઘટે. ૩. સિ. કૌ.માં અંતમાં વૈદિક પ્રક્રિયા અપાઈ છે. એમાં “ઇસ'' એવા ઉલ્લેખવાળાં કેટલાંક સૂત્રો છે. એને હિસાબે “નિ'' એવા ઉલ્લેખવાળાં સૂત્રો તો બહુ જ થોડાં છે. ૪. એના ઉદાહરણ માટે જુઓ ૭-૨-૬૪ અને ૭-૪-૭૪. ૫. હેમચન્દ્રસૂરિએ સાડા ત્રણ કરોડ શ્લોક જેટલો ગ્રંથરાશિ યોજ્યો હતો એમ કહેવાય છે. રોજ બીજું કામ કરવાનું બાજુએ રાખી, ફક્ત પંચાંગ વ્યાકરણ રચવા પાછળ જ સમય અપાયો હોય તો એ હિસાબે રોજના લગભગ સાડી ત્રણસો (કલાકના પંદરેક) શ્લોક જેટલું લખાણ તૈયાર થાય તો એક વર્ષમાં સવા લાખ શ્લોક જેટલું પંચાંગ વ્યાકરણ બને. આજે આ વ્યાકરણની વિવિધ અંગોની જે સ્વપજ્ઞ વૃત્તિ મળે છે તેનું પરિમાણ નીચે મુજબ છે :સિ. હે. (અ. ૧-૭)ની લધુવૃત્તિ ૬૦) સિ. હે. (અ. ૮)ની લઘુવૃત્તિ ૨૨૦૦ સિ. હે. ની બૃહદ્રવૃત્તિ ગ્લો. ૧૮૦૦૦ સિ. હે. નો ન્યાસ નામે શબ્દ-મહાર્ણવ શ્લો. ૨૦OOO ઉણાદિ-ગણસૂત્ર (સટીક) ગ્લો ૩૨૫૦ ધાતુ-પારાયણ શ્લો પ૬OO લિંગાનુશાસન (સટીક) ૩૬૮૪ ૫૮૭૩૪ આમાં ન્યાસનો ૬૪૦૦૦ શ્લોક જેટલો ભાગ નાશ પામ્યાની વાત સ્વીકારી એ સંખ્યા ઉમેરાય તો લગભગ સવા લાખ શ્લોક થઈ રહે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy