SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. આ. ૬૨-૬૬] ૩૭ યોજના- સ. હે.માં ચચ્ચાર પાદવાળા આઠ અધ્યાયો છે. પ્રથમના સાત અધ્યાયોમાં ૩૫૬૬ સૂત્રો દ્વારા સંસ્કૃત ભાષાનું નિરૂપણ છે, જયારે આઠમા (અંતિમ) અધ્યાયમાં ૧૧૧૯ સૂત્ર દ્વારા પાઇયના છ ભેદોનું નિરૂપણ છે. આ વ્યાકરણની રચના પ્રકરણાનુસારિણી છે અને એ રીતે એ કાતસ્ત્રનું સ્મરણ R ૬૫ કરાવે છે. ટૂંકમાં કહું તો એના આદ્ય સાત અધ્યાયોમાં નીચે મુજબના વિષયો રજૂ કરાયા છે. : (૧) સંજ્ઞા, (૨) સ્વર-સંધિ, (૩) વ્યંજન-સંધિ, (૪) “નામ, (૫) કારક, (૬) પત્રણત્વ, (૭) સ્ત્રી-પ્રત્યય, (૮) સમાસ, (૯) આખ્યાત, (૧૦) “કૃદંત અને (૧૧) તદ્ધિત. આઠમા અધ્યાયના મુખ્ય વિષયો નીચે મુજબ છે. - સંધિના નિયમો, સ્વરો અને સાદા વ્યંજનોમાં પરિવર્તન, સંયુક્ત વ્યંજનોનાં રૂપાંતરો, સ્વરભક્તિ, વ્યત્યય, સંસ્કૃત શબ્દોના આદેશો, પાઇય અવ્યયો, નામ, વિશેષણ, સર્વનામ અને ક્રિયાપદનાં રૂપાખ્યાનો, ધાત્વાદેશ તેમજ સોરસણીથી માંડીને અવહટ્ટ (પા. ૪, સૂ. ૩૨૯-૪૪૬) સુધીની ભાષાનું નિરૂપણ. સંજ્ઞા-સંજ્ઞા-વિધાનમાં સંજ્ઞાઓ પ્રાસાદિક એટલે કે ઝટ સમજાય તેવી રખાઈ છે અને એમ કરવામાં ઐન્દ્ર પરંપરા, પ્રાતિશાખ્ય પરંપરા અને કાતન્ન-પરંપરાનો ઉપયોગ કરાયો છે. કાત્યાયનકૃત ‘પાલિ ભાષાના વ્યાકરણમાં સિ. હે.ગત કેટલીક સંજ્ઞાઓ નજરે પડે છે. પાણિનીય અષ્ટા.ની ‘લો’ અને P ૬૬ ‘લિ"૧ સંજ્ઞાને બદલે કાતત્રની પેઠે સિ. હે.માં પંચમી અને ‘સપ્તમી' સંજ્ઞા છે. અષ્ટા.માં લટું, લિટું, લુ, લૂંટ, લે, લોટ, લ, લિ, લુડુ અને લૂ એમ દસ સંજ્ઞા છે. તેમાં ‘લે’ તો વેદમાં જોવાય છે. એથી એને બાજુએ રાખતાં “લો’ યાને આજ્ઞાર્થ એ “પંચમી” અને “લિ’ યાને વિધ્યર્થ એ “સપ્તમી' ગણાય. ૧-૨. પ્રથમના સાત અધ્યાયોનો ગ્રંથાગ્ર શ્લો. ૭૮૭ અને ૬ અક્ષર પૂરતો છે, જ્યારે આઠમાનો શ્લો. ૨૪૪ ને ૪ અક્ષર પૂરતો છે; સમગ્ર કૃતિનો ગ્રંથાગ્ર ગ્લો. ૧૦૩૧ અને ૧૦ અક્ષરનો છે. ૩. સંજ્ઞાઓ માટે પણ કાતત્રનું અનુસરણ કરાયું છે. ૪. એ પ્રત્યેકની સૂત્ર સંખ્યા ઇત્યાદિ માટે જુઓ શ્રી. મધુસૂદન મોદી કૃત હેમસમીક્ષા (પૃ. ૩૭-૪૦). [અન્ય વ્યાકરણો સાથે તુલના માટે જુઓ આ. હેમચન્દ્ર ઔર ઉનકા શબ્દાનુશાસન પ્ર. ચૌખંબા વિદ્યાભવન વારાણસી.] પ. આ વિષયને લગતા પ્રકરણને ‘સ્યાદિ-પ્રકરણ' તરીકે ઓળખાવાય છે. ૬. ધાતુ અને પ્રત્યયના યોગથી ક્રિયા સિદ્ધ થતી હોવાથી “આખ્યાત’ કહેવાય છે. ૭. આમાં દસ કાળના પ્રત્યયો વગેરેની હકીકત છે. ૮. ચતુષ્ક અને આખ્યાત પછી કરાય તે “કૃત' કહેવાય છે. ૯. કૃત’ પ્રત્યયની વિસ્તૃત અને જટિલ ચર્ચાને લગતો આ વિષય છે. ૧૦. પ્રકૃતિને હિતકારી અણાદિ પ્રત્યયોને હિતકારી તે “તદ્ધિત' કહેવાય છે. ૧૧. આ તેમજ અન્ય પાણિનીય સંજ્ઞા વગેરેનો વિચાર ક્ષિતીશચન્દ્ર ચેટરજીએ સત્યપ્રસાદ ભટ્ટાચારજી દ્વારા ઈ.સ. ૧૯૪૮માં પ્રકાશિત ““ઉષા સ્મારક ગ્રંથમાલા” ગ્રંથાક ૩ નામે Technical Terms and Technique of Sanskrit Grammar (part 1)Hi zuil ild sul 89. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy