SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ P ૬૧ પૃ. ૩૪માં સૂચવ્યા મુજબ હું હવે અહીં કિલિ.” હેમચન્દ્રસૂરિકૃત વ્યાકરણનો પરિચય આપું છું અને એનો પ્રારંભ એના પ્રથમ અંગરૂપ સૂત્રપાઠ નામે સિદ્ધહેમચન્દ્રથી કરું છું. રસિદ્ધહેમચન્દ્ર- આ નામમાં બે અંશ છે : (૧) “સિદ્ધ અને (૨) હેમચન્દ્ર. પ્રથમ અંશ “સોલંકી યાને “ચૌલુક્ય વંશના વિદ્યારસિક નરેશ્વર સિદ્ધરાજ જયસિંહ (વિ. સં. ૧૧૫૧-૧૧૯૯)ના નામનો ઘાતક છે, અને એનું કારણ એ છે કે આ શબ્દાનુશસનની યોજના એ નરેશ્વરની અભ્યર્થનાનું પરિણામ છે.' દ્વિતીય અંશ એના પ્રણેતા “કલિ.” હેમચન્દ્રસૂરિના નામનો ઘાતક છે. આમ આ બે અંશો અનુક્રમે રે ૬૨ અમોઘ-વૃત્તિ અને બુદ્ધિસાગર વ્યાકરણ જેવાં નામોનું સ્મરણ કરાવે છે. “કલિ.’ હેમચન્દ્રસૂરિનું નામ દેશવિદેશના સંસ્કૃતજ્ઞોને સુપરિચિત છે. ગુજરાતના એ પનોતા પુત્રે ગુજરાતીઓના કાનમાં અસ્મિતાનો મંત્ર ફેંક્યો હતો અને ગુજરાતને સાહિત્યની પ્રત્યેક શાખામાં પગભર કરવા માટે એને સર્વતન્ત્ર-સ્વતંત્ર બનાવવા માટે ભગીરથ પ્રયાસ સેવ્યો હતો. એમણે રચેલા તમામ ગ્રંથો મળતા નથી, પણ જે મળે છે તે વ્યાકરણ, કોશ, છંદ, અલંકાર, કાવ્ય, ન્યાય, તત્ત્વજ્ઞાન, યોગ એમ વિવિધ વિષયોનો સચોટ બોધ કરાવે છે. આ ‘પૂર્ણતલ' ગચ્છના સૂરિવર્યનો જન્મ વિ. સં. ૧૧૪પમાં કાર્તિક પૂર્ણિમાએ ધંધુકામાં “મોઢ' જ્ઞાતિના ચર્ચા, ચાચિગ અને ચાચ એમ ત્રિવિધ નામે ઓળખાવાતા વણિકને ત્યાં થયો હતો. એમની માતા બનવાનું સૌભાગ્ય “ચામુંડ'-ગોત્રીય ચાહિણી, પાહિણી અને ચંગી એમ ત્રિવિધ નામે પ્રસિદ્ધ જૈન ભામિનીને પ્રાપ્ત થયું હતું. માતાપિતાએ એમનું નામ ચંગદેવ કે ચાંગદેવ રાખ્યું હતું. વિ. સં. ૧૧૫૪માં અને મતાંતર પ્રમાણે ૧૧૫૦માં ચાંગદેવે "દેવચન્દ્રસૂરિ પાસે દીક્ષા લીધી ત્યારે એમનું નામ સોમચંદ કે સોમદેવ રખાયું હતું. એ ઉત્સવમાં ઉદયન મંત્રીએ અગ્રભાગ ભજવ્યો હતો. વિ. સં. ૧૧૬રમાં અને મતાંતર પ્રમાણે ૧૧૬૬માં એઓ સૂરિ બન્યા ત્યારે એમનું નામ બદલી ને હેમચન્દ્ર રખાયું. ગુજરાતના બે મહાનૃપતિઓ સિદ્ધરાજ અને પરમાત” કુમારપાલ આ આચાર્યના પરમ ભક્ત હતા. ૧. એમનાં જીવન અને કવનની આછી રૂપરેખા મેં “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ એટલે ?” એ નામના મારા લેખમાં આલેખી છે. આ લેખ “ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક” (વ. ૩, અં. ૪, પૃ. ૫૬૧-૬૦૪)માં ઈ. સ. ૧૯૩૯માં પ્રસિદ્ધ થયો છે. અનેક પૌર્વાત્ય વિદ્વાનોએ તેમજ કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ આ સૂરિવર્યનો પરિચય આપ્યો છે. આવી એક સૂચી મેં ઉપર્યુક્ત લેખમાં આપી છે. ૨. આ મૂળ કૃતિનાં વિવિધ સંપાદનો થયાં છે. એ પૈકી મારી સામે અત્યારે “જૈન ગ્રંથ પ્રકાશક સભા” તરફથી વિ. સં. ૧૯૯૮માં દીપિકા સહિત જે સંપાદનમાં આઠ અધ્યાયો છપાયાં છે તે છે. એમાં ૩૫ પદ્યો કટકેકટક-પ્રત્યેક પદને અંતે એકેક અને અંતિમ પદને અંતે ચાર અપાયાં છે. આ સંપાદનમાં આઠ અધ્યાયોનો પાદ દીઠ ગ્રંથાગ્ર અપાયો છે. વળી આઠમા અધ્યાયને અંગે ભાષાદીઠ સૂત્રોનો પણ ગ્રંથાગ્ર અપાયો છે. ૩. જુઓ સિ. હે.ની પ્રશસ્તિ (શ્લો. ૩૫) તેમજ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રની પ્રશસ્તિ (શ્લો. ૧૮) ૪. કુમારપાલની વિજ્ઞપ્તિથી યોગશાસ્ત્ર, વીતરાગસ્તોત્ર અને ત્રિષષ્ટિ. એ ત્રણ કૃતિઓ રચાઈ છે. ૫. સં. વ્યા. ઇ. (ભા. ૧, પૃ. ૪૪૯)માં “ચન્દ્રદેવસૂરિ' એવો ઉલ્લેખ છે તે બ્રાન્ત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy