SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧ છે અને એ વ્યાકરણ નાગવર્મકૃત કર્ણાટકભાષાભૂષણ કરતાં મોટું છે. વળી એમાં શબ્દમણિદર્પણ કરતાં અધિક વિષયો છે. પ્રસ્તુત વ્યાકરણમાં અકલંકે પોતાના ગુરુનો પરિચય આપ્યો છે. એમાં એમણે ચારકીર્તિને અંગે અનેક વિશેષણો વાપર્યા છે. "ભાષામંજરી- આ ઉપર્યુક્ત વ્યાકરણની સંસ્કૃત વૃત્તિ છે. મંજરીમકરન્દ- આ ઉપર્યુક્ત વ્યાકરણનું સંસ્કૃત વ્યાખ્યાન છે. P ૫૭ પરિશિષ્ટ ૧ : ચન્દ્ર-વ્યાકરણ ચન્દ્ર-વ્યાકરણ (ઉ. વિ. સં. ૫૫૦)- આ વ્યાકરણને ચાન્દ્ર વ્યાકરણ પણ કહે છે. એ બૌદ્ધ વિદ્વાન ચન્દ્રગીમીએ પાણિનીય અષ્ટા. અને મહાભાષ્યનો ઉપયોગ કરી રચ્યું છે. એમણે રાજતરંગિણીના કર્તા કલ્હણના કથન મુજબ “કાશ્મીર”ના નૃપતિ અભિમન્યુની પ્રેરણાથી આ વ્યાકરણ રચી મહાભાષ્યના પ્રચારાર્થે પ્રયાસ કર્યો હતો. ભર્તુહરિએ વાક્યપદીય (કાંડ ૨, શ્લોક. ૪૮૭-૮૮૯)માં કહ્યું છે કે બૈજી, સૌભવ અને હર્યક્ષ જેવા શુષ્ક તાર્કિકો સાંપ્રદાયિક અભિનિવેશને લઈને મહાભાષ્યનો નાશ કરવા લાગ્યા એ સમયે ચન્દ્રગોમીએ એની રક્ષા ન કરી હોત તો કાળ ક્યારનો યે એને સ્વાહા કરી ગયો હોત. ઉપર્યુક્ત અભિમન્યુનો સમય કલ્હણને મતે વિક્રમથી એક હજાર વર્ષ પૂર્વેનો છે, જ્યારે કેટલાક આધુનિક વિદ્વાનોને મતે એ ઇ. સ. ૪૨૩ અને ઇ. સ. ૫૦૦ વચ્ચેનો છે. ચન્દ્ર વ્યાકરણની સ્વપજ્ઞ વૃત્તિમાં “ગુણો ફૂપન'' એવું જે ઉદાહરણ છે તે ઉપરથી આ આધુનિક મત બંધાયો હોય એમ લાગે છે. ચન્દ્રગોમીએ ચન્દ્ર વ્યાકરણની સ્વોપજ્ઞ વૃત્તિમાં એને લઘુ, વિસ્પષ્ટ અને સંપૂર્ણ કહ્યું છે. સામાન્ય રીતે આ વ્યાકરણ છ અધ્યાયનું અને લૌકિક સંસ્કૃતનું મનાય છે, પણ એમાં સાતમો અધ્યાય વૈદિક ભાષાને લગતો અને આઠમો સ્વરપ્રક્રિયાને અંગેનો હતો એમ એમાં આઠ અધ્યાયો હતા અને એ લૌકિક અને વૈદિક ઉભય પ્રકારના સંસ્કૃતનું વ્યાકરણ હતું એમ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૧૭) જોતાં જણાય P ૫૮ છે. વિક્રમની બારમી સદીમાં વિદ્યમાન પુરુષોત્તમના સમય પહેલાં આ બે અધ્યાયો નાશ પામ્યા હતા. મેં પરિશિષ્ટરૂપે ચન્દ્ર વ્યાકરણનો પરિચય અહીં આપ્યો છે તેનું એક કારણ એ છે કે એ ઘણું પ્રાચીન અને મહત્ત્વનું વ્યાકરણ ગણાતું હોવાથી જૈન વૈયાકરણોએ એનો ઉપયોગ કર્યો છે. વિશેષમાં કવિવર ધનપાલે તો કાતંત્રની સાથે સાથે આ ચન્દ્ર વ્યાકરણનો પણ અભ્યાસ કર્યો હતો. ચિત્રાલંકાર કાવ્ય અને એક વિવેચન- લે. કમલા જૈન પ્ર. રત્નજૈન પુસ્તકાલય અહમદનગર More Documents at Jain Painting and Gujarati Paintings Of 16th and later Centuries- By Dr. U. P Shah. એલ. ડી. સિરિજ નં. ૫૧ ૧-૨. એજન. ૩. જુઓ સિ. હે. (અ. ૨, પા., સૂ. )ની બૃહદ્ વૃત્તિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy