SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ર : વ્યાકરણ : પ્રિ. આ. ૫૩-૫૭] ૩૩ એમણે નીચે મુજબની કૃતિઓની વૃત્તિ રચી છે - (૧) (હૈમ) અનેકાર્થ નામમાલા, (૨) કાદંબરી (ઉત્તરાર્ધ), (૩) ભક્તામર-સ્તોત્ર, (૪) P ૫૫ વાસવદત્તા, (૫) શોભન-સ્તુતિ અને (૬) સપ્તસ્મરણ. શું ભક્તામર સ્તોત્ર આ સપ્તસ્મરણમાં આવી જાય છે? સૂિર્યસહસ્ત્રનામ, સ્વોપજ્ઞટીકા સાથે આનું સંપાદન આ. ધુરંધરસૂરિ મ. સા. કરી રહ્યા છે. ] "મિશ્રલિંગકોશ, મિશ્રલિંગનિર્ણય કિંવા લિંગાનુશાસન (લ. વિ. સં. ૧૭૦)) - આના કર્તા કલ્યાણસાગર છે. એઓ “અંચલ ગચ્છના ધર્મમૂર્તિના શિષ્ય થાય છે. એમણે પોતાના શિષ્ય વિનીતસાગર માટે આ કોશ રચી, એક કરતાં વધારે લિંગનાં એટલે કે જાતિનાં નામોની સૂચી પૂરી પાડી છે. [આમાં ૬કાંડ અને ૧૫૪૨ શ્લોકમાં ૧૩000 શબ્દો છે. “લિંગનિર્ણય” નામથી મહા. વિનયસાગર સંશોધિત આ કૃતિ આ. કલાપ્રભસાગરસૂરિ દ્વારા સંપાદિત થઈ “આર્યજયકલ્યાણકેંદ્ર” મુંબઈથી વિ.સં. ૨૦૩૭માં પ્રસિદ્ધ થઈ છે. પરિશિષ્ટમાં શબ્દોની અકારાદિસૂચી અભિ ચિ.ના સ્થળ નિર્દેશ અને ગુજ: અનુવાદપૂર્વક આપી છે.] ઉણાદિપ્રત્યય- આની હાથપોથી દિના ભંડારમાં જોવાય છે. એ હિસાબે એ દિ. કૃતિ હશે. એના કર્તા વસુનંદિ છે. એમણે આ કૃતિ ઉપર સ્વપજ્ઞ ટીકા રચી છે. આ બંનેની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૧)માં લેવાઈ છે. પારસી(ક)ભાષાનુશાસન- આ પારસીક યાને ફારસી ભાષાનું સંસ્કૃતમાં પાંચ અધ્યાયમાં રચાયેલું ? પ૬ વ્યાકરણ છે. એના કર્તા વિક્રમસિંહ છે. એઓ મદનપાલ ઠક્કરના પુત્ર અને આનંદસૂરિના શિષ્ય થાય છે. આની એક હાથપોથી પંજાબના ભંડારમાં છે. એમાંથી કેટલાક ઉતારા “A Catalogue of Manuscripts in the Punjab Jain Bhandars (pt. 1)4i 244141 C. કર્ણાટક-શબ્દાનુશાસન (શકસંવત્ ૧૫૨૬=વિ. સં. ૧૬૬૧)- આ વ્યાકરણ દિ. અકલંકે શકસંવત્ ૧૫૨૬માં ચાર પાદમાં પ૯૨ સૂત્રમાં રચ્યું છે.૧૦ આ “કાનડી' ભાષાનું વ્યાકરણ છે. એ સર્વોત્તમ ગણાય ૧. વસંતરાજકૃત શકુનશાસ્ત્રની ભાનુચન્દ્રમણિએ રચેલી વૃત્તિનું એમણે સંશોધન કર્યું છે. ૨. આ “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી છપાઈ છે. ૩. આ સ્તોત્રની વૃત્તિ “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ઈ. સ. ૧૯૩૨માં છપાયેલી “ભક્તામર-કલ્યાણમન્દિર નમિઊણ-સ્તોત્રત્રય'ની મારી આવૃત્તિમાં પ્રકાશિત થયેલી છે. ૪. આની વૃત્તિ શોભન-સ્તુતિની ચાર ટીકા સહિતની મારી ઇ.સ. ૧૯૩૦માં “આ. સ.” તરફથી પ્રકાશિત થયેલી આ વૃત્તિમાં છપાયેલી છે. ૫ ઉદયસાગરે વિ. સં. ૧૭૭૪માં રચેલી સ્નાત્રપંચાશિકામાં આનો શિવસિબ્ધ તરીકે ઉલ્લેખ છે. ૬. જૈ. ગ્રં. (પૃ. ૩૦૭)માં આ નામની કૃતિની નોંધ છે અને ત્યાં કર્તાનું નામ કલ્યાણસૂરિ અપાયું છે, પરંતુ મને તો આ બંને કૃતિ એક જ હોય અને કર્તાનું નામ કલ્યાણસાગર હોય એમ લાગે છે. ૭. જૈ. ગ્રં. (પૃ. ૩૧૧)ના ટિપ્પણમાં આ કલ્યાણસાગરને “સૂરિ' કહી દેવમૂર્તિસૂરિના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે, અને સાથે સાથે આ દેવમૂર્તિસૂરિને વિ. સં. ૧૪૯૬માં વિક્રમચરિત્ર રચનારા કહ્યા છે. ૮. આ સૂચીપત્ર લાહોરથી ઈ.સ. ૧૯૩૯માં પ્રકાશિત કરાયું છે. ૯. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧ પૃ. ૪૬૫). ૧૦. જુઓ “અનેકાન્ત” (વર્ષ ૧, કિ. ૬-૭, પૃ. ૩૩૫). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy