SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ ઓટ-આ પ્રમાણે આ વ્યાકરણના પઠન-પાઠન અને પ્રચાર માટે આ રાજવીએ પરિશ્રમ કરવામાં કચાસ ન રાખી. એમણે કરેલી વ્યવસ્થાનો અમલ એમના પછી કુમારપાલે પણ ચાલુ રાખ્યો હશે, પરંતુ ત્યાર બાદ આ કાર્યમાં ઓટ આવી. આનાં મુખ્ય બે કારણ જણાય છે : (૧) દુનિયામાં વિદ્વાનો મળવા મુશ્કેલ છે અને તેમાં પણ પરસ્પર મત્સરભાવ ન સેવનારની સંખ્યા તો અતિશય અલ્પ છે. આ પરિસ્થિતિને લઈને હેમચન્દ્રસૂરિની કીર્તિલતાને વિસ્તરતી જોઈ સંતપ્ત બનનાર કેટલાક તેજોષી વિપ્રો આ ઓટમાં કારણરૂપ બન્યા. (૨) કુમારપાલ પછી એમનો ભત્રીજો અજયપાલ (વિ. સં. ૧૨૩૦-૧૨૩૩) રાજા ગાદીએ આવ્યો. એ રાજા નિબુદ્ધિ, નિર્દય અને જૈનોનો ઢષી હતો. એણે અનેક જૈન મંદરિોનો નાશ કર્યો. એ દુષ્ટ રાજા હૈમ વ્યાકરણના અભ્યાસને ઉત્તેજન શેનો આપે ? એમ પણ બન્યું હોય કે એનું પઠન-પાઠન શિક્ષાને પાત્ર ગણાવાયું હોય. ગમે તેમ પણ આ વ્યાકરણનો અભ્યાસ કરાવનારની સંખ્યા અલ્પ થઈ ગઈ અને ગુજરાતનું આ ‘પ્રધાનતમ વ્યાકરણ” વિસારે પડ્યું. એનો ઉદય ફરીથી હમણાં ત્રણેક દસકાથી થયો છે. સ્વાદિશબ્દસમુચ્ચય (લ. વિ. સં. ૧૨૮૦) - આના કર્તા “વાયડ ગચ્છના જિનદત્તસૂરિના શિષ્ય “વણીકૃપાણ’ અમરચંદ્રસૂરિ છે. એમણે નીચે મુજબની કૃતિઓ રચી છે - P ૯૮ (૧) પહ્માનંદ-મહાકાવ્ય, (૨) ચતુર્વિશતિ-જિનેન્દ્ર-સંક્ષિપ્ત-ચરિત, (૩) બાલભારત, (૪) સૂકતાવલી, (૫) છાન્દોરત્નાવલી, (૬-૭) કાવ્ય-કલ્પલતા અને એની પ્રવૃત્તિ, કવિશિક્ષા (૮) કાવ્યકલ્પલતાપરિમલ, (૯) કાવ્યકલ્પલતામંજરી, (૧૦) અલંકારપ્રબોધ, (૧૧) કલાકલાપ અને (૧૨) એકાક્ષરનામમાલા. - એઓ વીસલદેવ (ઈ. સ. ૧૨૪૩-૧૨૬૧)ના રાજ્ય દરમ્યાન વિદ્યમાન હતા. એમની મૂર્તિ પં. મહેન્દ્રના શિષ્ય મદનચન્દ્ર વિ. સં. ૧૩૩૯માં કરાવી.” ૧. આ કૃતિ જયાનંદસૂરિકૃત અવસૂરિ સહિત કાશીથી વીરસંવત્ ૨૪૪૧માં પ્રકાશિત થઈ છે. એ ચન્દ્રસાગરજી દ્વારા સંપાદિત થઈ પ્રસિદ્ધિમાં મૂકાઈ છે (જુઓ પૃ.૭૨). ૨-૩. આ બંનેનું સંપાદન મેં કર્યું છે. એ બંને કૃતિ “ગાયકવાડ પૌર્વાત્ય ગ્રંથમાલા”માં ગ્રંથાંક ૫૮ તરીકે ઈ. સ. ૧૯૩૨માં પ્રકાશિત થયેલી છે. આ પૈકી પ્રથમ કૃતિની એક હાથપોથી વિ. સં. ૧૨૯૭માં લખાયેલી મળે છે. ૪. “પંડિત” ગ્રંથ ૪-૬ માં બનારસથી આ કાવ્ય પ્રસિદ્ધ થયું છે. વળી એ “કાવ્યમાલા”માં ઈ. સ. ૧૮૯૪માં (બીજી આવૃત્તિ, ઈ. સ. ૧૯૨૬માં) છપાયું છે. પ-૬, કાવ્યકલ્પલતાવૃત્તિનું ૫. જગન્નાથ શાસ્ત્રીએ સંપાદન કર્યું છે અને એ બનારસથી ઈ. સ. ૧૯૩૧માં પ્રકાશિત થયેલ છે. ૭. આનો અમરચંદ્રસૂરિની કૃતિ તરીકે જિ. ૨૦ કો. (ખંડ ૧, પૃ. ૬૧)માં ઉલ્લેખ છે ૮. જુઓ જિનવિજયજી દ્વારા સંપાદિત પ્રાચીન જૈન લેખસંગ્રહ (ભા. ૨, લેખાંક પર૩). આ ભદ્રાસનસ્થ મૂર્તિ પાટણના ટાંગડિયાવાડાના જિનમંદિરમાં છે. આની નોંધ જૈન ચિત્ર કલ્પદ્રુમ (ચિત્રવિવરણ પૃ. ૧૦૩)માં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy