SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. ઓ. ૯૩-૯૬] ૫૫ ઉલ્લેખ–અભિ. ચિ. (કાંડ ૧, શ્લો. ૧૯)માં આ લિંગાનુશાસનનો ઉલ્લેખ છે, કેમકે “નિકું તુ ? તિનુશાસના” એમ આ શ્લોકમાં કહી એની સ્વોપજ્ઞ વિવૃતિ (પૃ. ૮)માં આ પોતાની કૃતિ હોવાનું કહ્યું છે. સ્વોપજ્ઞ વૃત્તિ- કલિ.” હેમચન્દ્રસૂરિએ પોતાના લિંગાનુશાસન ઉપર વેધક પ્રકાશ પાડનારી લગભગ ૪000 શ્લોક જેવડી વૃત્તિ રચી છે. એમાં એમણે ૫૭ જેટલા ગ્રંથો અને ગ્રંથકારોની સાક્ષી આપી છે. દુર્ગાદપ્રબોધ–ઉપર્યુક્ત સ્વોપન્ન વૃત્તિમાં જે સ્થળો મંદ બુદ્ધિ ધરાવનારી વ્યક્તિઓને સહેલાઈથી સમજાય તેવાં ન જણાયાં તેના સ્પષ્ટીકરણરૂપે દુર્ગપદપ્રબોધ નામની વૃત્તિ “ખરતર' ગચ્છના ઉપા. જ્ઞાનવિમલના શિષ્ય વાચક શ્રીવલ્લભે વિ. સં. ૧૯૬૧માં યોધપુર (જોધપુર)માં રચી છે. આમાં સંસ્કૃત શબ્દોના ગુજરાતી પર્યાયો અપાયા છે એથી આનું મહત્ત્વ વધ્યું છે. ટીકા અને અવચૂરિ–૧૨૧૧ શ્લોક જેવડી જયાનંદસૂરિકૃત ટીકાની તેમજ એક અજ્ઞાતકર્તુક અવચૂરિની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૩૮)માં છે. જૈ. ગ્રં. (પૃ. ૩૦૧)માં રત્નશેખરે ૧૦૭૫ શ્લોક જેવડી અવચૂરિ રચ્યાનો ઉલ્લેખ છે, પરંતુ જિ. ૨. કો.માં એની નોંધ નથી. "સન્માન–મ (પંચાગ વ્યાકરણ રચાતાં એ ગ્રંથને સિદ્ધરાજ નૃપતિની સવારીના હાથી ઉપર P ૯૬ રાખી એ રાજાના દરબારમાં લાવવામાં આવ્યો હતો. હાથી ઉપર બેઠેલી બે ચામર ધરનારી સ્ત્રીઓ એ વ્યાકરણની બંને બાજુએ ચામર ઢાળતી હતી અને એ વ્યાકરણ ઉપર શ્વેત છત્ર ધરવામાં આવ્યું હતું. એનું પૂજન રાજસભાના વિદ્વાનોએ કર્યું અને રાજાએ પૂજોપચાર કર્યો ત્યાર બાદ રાજકીય સરસ્વતીકોષમાં એને સ્થાન અપાયું હતું. પ્રચાર-હૈમ પંચાંગ વ્યાકરણના પ્રચાર માટે સિદ્ધરાજ જયસિંહે પુષ્કળ પ્રયાસ કર્યો હોય એમ જણાય છે. પ્ર. ચ. (શંગ ૨૨, શ્લો. ૧૦૪) પ્રમાણે આ રાજવીએ ૩૦૦ કુશળ લહિયાઓ રાખી એની નકલો જલદી તૈયાર કરાવી અને પછી આપણા આ ભારતવર્ષના અંગ, બંગ, કલિંગ ઇત્યાદિ વિવિધ દેશોમાં એ મોકલાવી અને તેમાં પણ વીસ નકલો તો એકલા કાશ્મીરના જ સરસ્વતી-ભંડાર માટે એમણે મોકલાવી. આઠ વ્યાકરણમાં નિષ્ણાત એવા કાકલ નામના કાયસ્થની મુખ્ય અધ્યાપક તરીકે એમણે નિમણૂંક કરી. આ વ્યાકરણના અભ્યાસીઓની દર મહિને સુદ પાંચમે (જ્ઞાન-પંચમીએ) પરીક્ષા લેવાય એવો એમણે પ્રબંધ કર્યો. આ વ્યાકરણનો અભ્યાસ કરનારને ઉત્તેજનાર્થે કંકણ અપાતું અને એમાં નિષ્ણાત થનારને રેશમી વસ્ત્રો, સુવર્ણનાં આભૂષણો સુખાસન અને છત્ર અપાતાં એક સ્થળે એવો ઉલ્લેખ છે કે સિદ્ધરાજની હકુમત હેઠળના પ્રદેશમાં આ વ્યાકરણ ભણવા માટે ? ૯૭ એમણે હુકમ બહાર પાડ્યો હતો. ૧. ઈ. સ. ની છઠ્ઠી સદીમાં થયેલા મેઠે હયગ્રીવવધ નામનું કાવ્ય રચ્યું છે. એ દેશના એ સમયના રાજા તરફથી એની એવી કદર કરાઈ હતી કે જેથી એ કવિને રાજાએ કહ્યું કે અર્પણ કરવા માટે સુવર્ણના કરંડકમાં એ કાવ્યને મૂકો. જુઓ Sanskrit Literature (PE.N; p. 111) ૨. આની સંપૂર્ણ યાદી પ્ર. ચ. (શંગ ૨૨, શ્લો. ૧૦૬-૧૭૯)માં છે. ૩. આનાં નામ કોઈ સ્થળે અપાયાં છે ખરાં ? ૪. એમ કહેવાય છે કે ભટ્ટોજિ દીક્ષિતે (લ. વિ. સં. ૧૫૧૦-૧૫૭૫) સિદ્ધાંત કૌમુદી કંઠસ્થ કરનારને સારી રકમ રાજા તરફથી ભેટ મળે એવો પ્રબંધ કરાવ્યો હતો અને એ રીતે એના પ્રચારને વેગ અપાવ્યો હતો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy