SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ ઉક્તિરત્નાકર (લ. વિ. સં. ૧૬૭0) - આ ધાતુરત્નાકરના કર્તા ઉપર્યુક્ત સાધુસુન્દરગણિની કૃતિ છે. જૈ. ગ્રં. (પૃ. ૩૦૬)માં એને વ્યાકરણનો પરચૂરણ ગ્રંથ ગણ્યો છે. આ કૃતિ “ખરતરમ્ ગચ્છના જિનસિંહસૂરિના રાજ્ય દરમ્યાન એટલે કે વિ. સં. ૧૬૭૦થી ૧૬૭૪ના ગાળામાં રચાઈ છે. "લિંગાનુશાસન-આ કૃતિના કર્તા કલિ. હેમચન્દ્રસૂરિ છે. એમણે સૂત્રપાઠની જેમ એનું કોઈ વિશિષ્ટ નામ ન રાખતાં સામાન્ય નામ રાખ્યું છે. એ કૃતિને લિંગાનુશાસન કહી છે. એમણે આ કૃતિ ૨૫ જાતના ભિન્ન ભિન્ન છંદમાં ૧૩૯ પદ્યોમાં ગૂંથી છે, અને એનાં નાનાં-મોટાં આઠ પ્રકરણો પાડ્યાં છે :P ૯૪ પુલ્લિંગ (શ્લો. ૧૭), સ્ત્રી-લિંગ (૩૩), નપુંસક-લિંગ (૨૪), પે-સ્ત્રી-લિંગ (૧૨), પં-નપુંસકલિંગ (૩૬), સ્ત્રી-નપુંસક-લિંગ (૬), સ્વતઃ સ્ત્રી-લિંગ (૬) અને પર-લિંગ (૪). આ પ્રમાણેનાં ૧૩૮ પદ્યો પછી ઉપસંહારરૂપે એક પદ્ય છે. એ દ્વારા કર્તાએ પોતાનું નામ “આચાર્ય હેમચન્દ્ર’ એમ જણાવ્યું છે, અને આ કૃતિ નિઃશેષ (સમસ્ત) નામલિંગાનુશાસનો જોઈને મેં રચી છે એમ કહ્યું છે. જેમ સિ. હે. (૫-૨-૯૩)ની પુરવણીરૂપે ઉણાદિસૂત્રની રચના કરાઈ છે તેમ “પુસ્ત્રિયો: ચમૌનસ્' (૧-૧-૨૯)ની પુરવણીરૂપે આ લિંગાનુશાસન રચાયું છે. ડૉ. બેલ્પલકાર જવાનું કહેવું એ છે કે પ્રસ્તુત લિંગાનુશાસન એ શાકટાયનકૃત લિંગાનુશાસનનું કેવળ વિસ્તૃતીકરણ (enlargement) છે, પણ આ હકીકત અંશતઃ જ સત્ય છે, અને હૈમ લિંગાનુશાસન એ પ્રસ્તુત વિષયનો અંતિમ (final) અને પ્રમાણભૂત (authoritative) ગ્રંથ છે એમ જે પ્રો. હરિદામોદર P ૯૫ વેલણકરે સ્વપજ્ઞ વૃત્તિવાળી આવૃત્તિના અગ્રવચનમાં કહ્યું છે તેને હું મળતો થાઉં છું.” ૧. “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી શકસંવત્ ૧૮૧૮માં પ્રકાશિત અભિધાન સંગ્રહમાં આને સ્થાન અપાયું છે. “ય. જૈ. ગ્રં.”માં મૂળ કૃતિ કનકપ્રભકત લઘુન્યાસને આધારે યોજાયેલી અવસૂરિ સહિત ઈ. સ. ૧૯૦૫માં પ્રસિદ્ધ કરાઈ છે. ત્યાર બાદ મૂળ કૃતિ મુનિશ્રી કેશરવિજય દ્વારા ઉદ્ધત સંસ્કૃત ટિપ્પનિકા સહિત શ્રી0 વિનોદચંદ મોહનલાલ વૈદ્ય તરફથી વિ. સં. ૧૯૯૩માં છપાવાઈ છે. સ્વોપન્ન વૃત્તિનું તેમજ તેને અંગેની શ્રી વલ્લભવાચકીય દુર્ગપદ-પ્રબોધ નામની વૃત્તિ સહિત મૂળ કૃતિનું સંપાદન વિજયક્ષમાભદ્રસૂરિએ કર્યું છે અને એ શ્રી હીરાલાલ સોમચંદ શાહ તરફથી વિ. સં. ૧૯૯૬માં પ્રસિદ્ધ કરાયું છે. આ સંપાદકે દુર્ગપદ-પ્રબોધ નામની વૃત્તિમાંના ગુજરાતી શબ્દોની એક સૂચી આપી, સ્વોપજ્ઞ વૃત્તિગત સંસ્કૃત શબ્દોની પણ સૂચી આપી છે. આ ઉપરાંત એમણે આ બંને વૃત્તિગત સંસ્કૃત શબ્દોની પણ સૂચી આપી છે. આ ઉપરાંત એમણે આ બંને વૃત્તિમાંના વિશેષનામોની પણ આદ્ય સ્થળ પૂરતી એક એક સૂચી આપી છે. વળી અંતમાં મૂળ કૃતિ જે ભિન્ન ભિન્ન છંદોમાં રચાઈ છે એ છંદોનાં નામો એમણે રજૂ કર્યા છે. લિંગાનુશાસનરૂપ મૂળ કૃતિ છે. કુ. (પૃ. ૨૦૫-૨૨૪)માં પ્રકાશિત થયેલી છે. જુઓ પૃ. ૩૪. ૨. આ જાતની કૃતિઓનો મુખ્ય ઉદેશ શબ્દ-ભંડોળ રજૂ કરવાનો હોય છે. તેમ છતાં એ કૃતિઓ શબ્દોનાં લિંગ દર્શાવે છે. આવી કૃતિઓમાં સુપ્રસિદ્ધ અમર-કોશ મહત્ત્વનું સ્થાન ભોગવે છે. ૩. જુઓ ઉપરનું ટિ. ૧. ૪. પ્રત્યયોથી નિષ્પન્ન થતા સ્ત્રીલિંગી શબ્દોના નિરૂપણ માટે સિ. હે. (અ. ૨)નો આખો ચોથો પાદ કામમાં લેવાયો છે ખરો, પરંતુ આ પાદમાં સ્ત્રી-લિંગી શબ્દથી પ્રત્યયનું વિધાન કરાયું છે એટલે એ માટે સ્ત્રી-લિંગનો નિર્ણય કરવા અને અન્ય લિંગને જણાવવા માટે આવી સ્વતંત્ર કૃતિની આવશ્યકતા હોવાથી એ રચાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy