SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. આ. ૯૭-૧00] ૫૭. ઉપર્યુક્ત સ્વાદિ-શબ્દસમુચ્ચય એ નામ, સર્વનામ અને સંખ્યાવાચક શબ્દોના લિંગ ઉપર પ્રકાશ પાંડે છે. એ પદ્યાત્મક કૃતિ ચાર ઉલ્લાસમાં વિભક્ત છે. એમાં અનુક્રમે સ્વરાંત શબ્દો વ્યંજનાન્ત શબ્દો, P ૯૯ સર્વનામ અને સંખ્યાને લગતા ૨૬, ૨૩, ૨ અને ૩ પદ્યો છે. આના ઉપર ‘ઉકેશ' ગચ્છના પ્રતિસાગરના શિષ્ય વિનયભૂષણે એક ટીકા રચી છે અને એની એક હાથપોથી વિ. સં. ૧૫૩૬માં લખાયેલી છે. જયાનંદસૂરિએ ૧૦૫૦ શ્લોક પૂરતી અવસૂરિ રચી છે. એને “દીપિકા' પણ કહે છે. એમાં શબ્દોની પ્રક્રિયા સિ. હે. અનુસાર અપાઈ છે. શબ્દનાં રૂપ સિ. હે. મુજબ સિદ્ધ કરાયાં છે. ન્યાયાર્થમંજૂષા (વિ. સં. ૧૫૧૬) - આના કર્તા રત્નશેખરસૂરિના શિષ્ય ચારિત્રરત્નમણિના શિષ્ય પહેમહંસગણિ છે. એમણે આરંભસિદ્ધિ ઉપર વિ. સં. ૧૫૧૪માં સુધી શૃંગાર નામની વૃત્તિ રચી છે. હૈમ બૃહદ્રવૃત્તિમાં જે ૫૭ ન્યાયો “કલિ.’ હેમચન્દ્રસૂરિએ આપ્યા છે તેમાં આ ગણિએ ૮૪ ન્યાય ઉમેરી એકંદર ૧૪૧ ન્યાયો રજૂ કર્યા છે. એના સંગ્રહને આ ગણિએ ન્યાયસંગ્રહસૂત્ર એવું નામ આપ્યું છે. એના ઉપર આ ગણિએ જે વૃત્તિ વિ. સં. ૧૫૧૬માં રચી છે તેને ન્યાયાર્થમંજૂષા કહે છે. કેટલાક એને હૈમવ્યાકરણ-ન્યાયસંગ્રહ કહે છે. ચાસ- ન્યાયાર્થમંજૂષા ઉપર હેમહંસગણિએ જાતે ન્યાસ રચ્યો છે. P ૧૦૦ ‘ક્રિયારત્નસમુચ્ચય (વિ. સં. ૧૪૬૬)-આના કર્તા ગુણરત્નસૂરિ છે. એમણે કલ્પાન્તર્વાચ્ય અને વાસોન્નિકાદિપ્રકરણ યાને અંચલમતનિરાકરણ રચ્યાં છે. વળી એમણે હારિભદ્રીય ષદર્શન-સમુચ્ચય ઉપર તર્કરહસ્યદીપિકા નામની વૃત્તિ રચી છે. આ ઉપરાંત એમણે નિમ્નલિખિત કૃતિઓ ઉપર અવસૂરિ રચી છે :૧. મુનિ (હવે પં.) દક્ષવિજયજીએ સ્યાદ્યન્તરત્નાકર રચ્યો છે અને એના પ્રથમ તરંગ પૂરતો ભાગ “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી અમદાવાદથી વિ. સં. ૧૯૯૫માં છપાવાયો છે. સાદિ અને ત્યાદિ એમ જે બે પ્રકારની વિભક્તિ ગણાય છે તે પૈકી પહેલી નામને અંગે છે. એનાં રૂપો સાધનિકો સહિત આ કૃતિમાં અપાયાં છે. ૨. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૫૭)માં એકંદર ૫૩ પદ્યો હોવાનો ઉલ્લેખ છે. ૩. આ પ્રકાશિત છે જુઓ પૃ. ૭૨ = 41 ટિ. ૨. ૪. આ વૃત્તિ ન્યાયસંગ્રહ તેમજ સ્વોપજ્ઞ ન્યાસ સહિત શ્રી. હર્ષચન્દ્ર ભૂરાભાઈ તરફથી બનારસથી વીરસંવત્ ૨૪૩૭માં પ્રકાશિત થઈ છે. આ વ્યાસ મુનિ રત્નવલ્લભવિ. ના ગુજ. વિવેચન સાથે ૐકારસૂરિજ્ઞાનમંદિર સૂરતથી અને મુનિ નદિઘોષવિ.ના હિન્દી વિવેચન સાથે ‘શા.ચી.એ.” અમદાવાદથી પ્રગટ થયો છે.] ૫. જયચંદ્રસૂરિના શિષ્ય હેમહંસગણિએ “પડાવશ્યક” ઉપર બાલાવબોધ વિ. સં. ૧૫૦૧માં રચ્યો છે. ૬. આ કૃતિ સુધીશૃંગાર સહિત “લ. જૈ. ગ્રં.”માં ઈ. સ. ૧૯૪૨માં પ્રકાશિત કરાઈ છે. ૭. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૪. બ્રહવૃત્તિ-પ્રક્રિયાના પરિશિષ્ટમાં ન્યાયોનું નિરૂપણ છે તે આ ન્યાયાર્થમંજૂષાને અંગે રચાયું છે. ૮. આ “જૈનું યશોવિજયગ્રંથમાલા”માં ગ્રંથાંક ૧૦ તરીકે વીરસંવત્ ૨૪૩૪માં છપાયો છે. અંતમાં ગ્રંથબીજ તરીકે નવ ગણોના બધા મળીને ૮૧૬ ધાતુઓ, સૌત્ર ધાતુઓ અને નામધાતુઓની સૂચી અપાઈ છે અને પ્રશસ્તિની નોંધ કરાઈ છે. આ ઉપરાંત ધાતુઓની અકારાદિ ક્રમે પણ સૂચી અપાઈ છે. [આનું પુનર્મુર્ણ થયું છે.] ૯. આ કૃતિ વિ. સં. ૧૪૫૭માં રચાઈ છે. ૧૦. આ વૃત્તિ મૂળ સહિત “જૈ. આ. સ.” તરફથી ભાવનગરથી વિ. સં. ૧૯૭૪માં પ્રકાશિત થઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy