SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭: નાટ્યશાસ્ત્ર : પ્રિ. આ. ૧૮૦-૧૮૩] ૧૦૯ (૭) રાઘવાળ્યુદય (નાટક) પૃ. ૪૭, ૪૯, ૫૨, ૧૩, ૬૧, ૬૩, ૬૬, ૧૦૨, ૧૦૬ ને ૧૭૦. (૮) રોહિણી-મૃગાંક (પ્રકરણ) પૃ. ૬૧ ને ૬૮. (૯) વનમાલા (નાટિકા) પૃ. ૧૭૧. (૧૦) સત્યહરિશ્ચન્દ્ર (નાટક) પૃ. ૩૦, ૩૬, ૪૨, ૫૪, ૫૮, ૭૧, ૭૮, ૧૩૯, ૧૫૪, ૧૫૭ ને ૧૫૮. મે ૧૮૨ (૧૧) સુધાકલશ (કોશ) પૃ. ૧૪૭, ૧૪૮ ને ૧૬૫. આ રામચન્દ્રસૂરિની અન્ય સ્વતંત્ર કૃતિઓ તરીકે નીચે મુજબની કૃતિઓ ગણાવાય છે : આદિદેવસ્તવ, કુમારવિહારશતક, જિનસ્તોત્રો, નેમિસ્તવ, મુનિસુવ્રતસ્તવ, યદુવિલાસ, લઘુન્યાસ અને સોળ સાધારણ-જિન-સ્તવ. આ ઉપરાંત નિમ્નલિખિતાવિંશિકાઓને પણ કેટલાક આરામચન્દ્રસૂરિની કૃતિ તરીકે ઓળખાવે છે :(૧) પ્રસાદ-દ્વાáિશિકા, (૨) યુગાદિદેવ-દ્વાચિંશિકા અને (૩) વ્યતિરેક-દ્વાáિશિકા. આ પ્રમાણેની વિવિધ કૃતિઓ રચનારા રામચન્દ્રસૂરિનો કાવ્યાદિના ગુણદોષોના પરીક્ષક તરીકે તેમજ સમસ્યા-પૂર્તિની શક્તિ ધરાવનારા તરીકેનો ઉલ્લેખ કેટલીક જૈન કૃતિઓમાં જોવાય છે. પ્ર. ચ. (શંગ ૨૨, શ્લોક. ૧૩૯) અને પ્ર. ચિ.માં સિદ્ધરાજ સાથેના એમના સમાગમ પછી એમની એક આંખ ગયાનો ઉલ્લેખ છે. પ્ર. ચિ. અને પ્ર. ચ. (પૃ. ૨૦૧) પ્રમાણે આ બહુશ્રુત સૂરિનાં અપમૃત્યુ માટે અજયપાલ રાજા જવાબદાર છે. આ રામચન્દ્રસૂરિ સિદ્ધરાજ, કુમારપાલ અને અજયપાલ એ ત્રણેનાં રાજ્ય દરમ્યાન વિદ્યમાન P ૧૮૩ હતા. એમના ગુરુને આચાર્ય-પદ વિ. સં. ૧૧૬૬માં મળ્યું હતું એ બાબત આ સાથે વિચારતાં એમનો સમય લ. વિ. સં. ૧૧૫પથી લ. વિ. સં. ૧૨૩૦ સુધીનો ગણાય. આમ રામચન્દ્રસૂરિનો સંક્ષિપ્ત પરિચય પૂરો થાય છે એટલે ગુણચન્દ્રગણિનો વિચાર કરવો ઘટે છે, પરંતુ એમણે રામચન્દ્રસૂરિના સહયોગપૂર્વક નિમ્નલિખિત કૃત્તિઓ રચી છે અને એ સિવાય વિશેષ ખાસ કંઈ જાણવામાં નથી : (૧) દ્રવ્યાલંકાર, (૨) દ્રવ્યાલંકારની વૃત્તિ, (૩) નાટચદર્પણ અને (૪) નાટ્યદર્પણની વિકૃતિ. પરિમાણ અને વિષય- પ્રસ્તુત નાટ્યદર્પણ એ ૨૦૭ પદ્યની કૃતિ છે. એ ચાર “વિવેક'માં વિભક્ત છે. એમાં અનુક્રમે ૬૫, ૩૭, ૫૧ અને ૨૪ પદ્યો છે. ‘નાટક-નિર્ણય' નામના પ્રથમ વિવેકમાં નાટક સંબંધી સર્વે બાબતોનું નિરૂપણ છે. એના શ્લો. ૩-૪માં નીચે મુજબનાં બાર રૂપકો ગણાવાયાં છે : (૧) નાટક, (૨) પ્રક્રણ, (૩) નાટિકા, (૪) પ્રકરણી, (૫) વ્યાયોગ, (૬) સમવકાર, (૭) ભાણ, (૮) પ્રહસન, (૯) ડિમ, (૧૦) અંક (૧૧) ઈહામૃગ અને (૧૨) વીથિ. ૧. આમાંથી નાટ્યદર્પણની વિવૃતિમાં જે અવતરણો અપાયાં છે એ જોતાં આ પાઈય સુભાષિતોનો કોશ હશે એમ લાગે છે. ૨. ઉપર્યુક્ત રઘુવિલાસમાં આનો ઉલ્લેખ છે. ૩. આનું જ બીજું નામ ષોડશ-ષોડશિકા છે કે એમની એ અન્ય કૃતિ છે ? ૪. આને અંગે કોઈ અવતરણ વિવૃતિમાં જણાતું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy