SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ P ૧૮૦ પ્રકરણ ૭ : નાટ્યશાસ્ત્ર નાટ્ય’નો અર્થ નૃત્ય અને અભિનય એમ કરાય છે. એની કળાને “નાટ્યકળા' કહે છે. એ કળાનું શાસ્ત્રીય નિરૂપણ પૂરા પાડનારા ગ્રંથને “નાટ્યશાસ્ત્ર' તરીકે ઓળખાવાય છે. ઉપલબ્ધ જૈન સાહિત્ય જોતાં આ જાતના સ્વતંત્ર ગ્રંથો વિક્રમની દસમી સદી કરતાં પ્રાચીન સમયમાં રચાયા હોય તો પણ તે હજી સુધી તો મળ્યા નથી. આથી આ જાતનો આદ્ય ગ્રંથ નાટ્યદર્પણ ગણાય. આ વિષયનો બીજો કોઈ સ્વતંત્ર જૈન ગ્રંથ આ પછી રચાયો હોય એમ જોવા-જાણવામાં નથી. આમ જ હોય તો આ બાબતમાં જૈન સાહિત્ય જેવું જોઈએ તેવું સમૃદ્ધ નથી એમ કહેવું પડે. નાટ્યદર્પણ (લ. વિ. સં. ૧૨00)- આના કર્તા “કલિ.” હેમચન્દ્રસૂરિના બે શિષ્ય છે : (૧) કવિ-કટારમલ્લ’ સ્વાતંત્ર્યપ્રિય રામચન્દ્રસૂરિ અને (૨) એમના ગુરુભાઈ (સતીશ્મ) ગુણચન્દ્રમણિ. આમ P ૧૮૧ આ કૃતિ તેમજ એની વિવૃતિ સટીક દ્રવ્યાલંકારની જેમ દ્રિકર્તક છે. આ ઐવિદ્યવેદી રામચન્દ્રસૂરિએ સો "પ્રબંધો યાને ગ્રંથો રચ્યા છે. તેમાંના નીચે મુજબના એમના અગિયાર ગ્રંથોનો ઉલ્લેખ તો આ કૃતિના ઉપર્યુક્ત બંને કર્તાના સંયુક્ત પરિશ્રમના પરિપાકરૂપ વિવૃતિમાં જોવાય છે : (૧) કૌમુદીમિત્રાણંદ (પ્રકરણ) પૃ. ૭૦. (૨) નવવિલાસ (નાટક) પૃ. ૩૧-૩૪, ૪૦, ૪૫, ૫૦, ૫૧, ૬૯, ૭૫, ૭૯, ૧૦૬, ૧૩૫, ૧૪૭, ૧૪૮ અને ૧૫૬. (૩) નિર્ભય-ભીમ (બાયોગ) પૃ. ૬૮. (૪) મલ્લિકા-મકરન્દ (પ્રકરણ) પૃ. ૧૭૧. (૫) યાદવાલ્યુદય (નાટક) પૃ. ૪૨, ૬૩, ૮૪, ૯૪, ૧૦૫, ૧૧૨, ૧૧૩ ને ૧૧૫. (૬) રઘુવિલાસ (નાટક) પૃ. ૩૬, ૩૭, ૨૭, ૮૦, ૮૨, ૮૫, ૯૦, ૯૨, ૯૪, ૯૭, ૧૦૭, ૧૧૦, ૧૩૬, ૧૪૫ ને ૧૫૬. ૧. રાયપ્પલેણ ઈજ્જ નામના વિંગ (સુ. ૨૩)ની વૃત્તિ (પત્ર પર આ)માં મલયગિરિસૂરિએ નાટટ્યવિધિપ્રાભૃત (પા. નાયવિહિપાહુડ)નો ઉલ્લેખ કર્યો છે. એ પાહુડમાં નાટ્યશાસ્ત્રને લગતું નિરૂપણ હશે. આ ઉવંગમાં સૂર્યાભદેવે ભજવી બતાવેલાં બત્રીસ નાટકોને અંગે માહિતી અપાઈ છે. ૨. ચાર વિવેક પૂરતો આ ગ્રંથ, એની બે ગ્રંથકારે રચેલી વિવૃતિ અને ત્રણ પરિશિષ્ટરૂપે આ વિવૃતિમાં (અ) ઉદાહરણરૂપે અપાયેલાં પદ્યોની, (આ) વીસ ગ્રંથકારનાં નામની અને (ઈ) સેંસઠ ગ્રંથોનાં નામની સૂચી તેમજ અંગ્રેજી પ્રસ્તાવના સહિત “ગા. પી. ચં.”માં ગ્રંથાંક ૪૮ તરીકે ઈ. સ. ૧૯૨૯માં છપાયો છે. શું આ ગ્રંથ અહીં પૂર્ણ થયો નથી કે જેથી એનો પ્રથમ ભાગ તરીકે ઉલ્લેખ છે ? ટિી.સી. ઉપરેતી સંપાદિત નાટ્યદર્પણ પાર્શ્વપ્રકાશન અમદાવાદથી અને આચાર્ય વિશ્વેશ્વરસંપાદિત ‘દિલ્લી વિશ્વવિદ્યાલય'થી ઇ.સ. ૧૯૬૧માં પ્રસિદ્ધ છે.) ૩. ઉદયચન્દ્ર, દેવચન્દ્ર, બાલચન્દ્ર, મહેન્દ્રસૂરિ, યશશ્ચચન્દ્રગણિ અને વર્ધમાનગણિ એ પણ એમના ગુરુભાઈ ગણાય છે, કેમકે એ બધા એક જ ગુરુના શિષ્યો છે. ૪. આ મૂળના તેમજ એની ટીકાના કર્તા પણ આ રામચન્દ્રસૂરિ તેમજ એમના ગુરુભાઈ ગુણચન્દ્રમણિ છે. દ્રિવ્યાલંકાર સટીક મુનિશ્રી જંબૂવિજય ધ્વારા સંપાદિત થઈ એલ. ડી. ઇસ્ટી. અમદાવાદથી પ્રસિદ્ધ થયું છે.] પ. રઘુવિલાસમાં દ્રવ્યાલંકારને પ્રબંધ કહ્યો છે અને એ ભજવી શકાય નહિ એમ કહ્યું છે. આથી સો પ્રબંધ એટલે સો નાટક એવો અર્થ થઈ શકે નહિ. [દ્રવ્યાલંકારમાં પદ્રવ્યનું દાર્શનિક શૈલિએ પ્રથમવાર નિરૂપણ થયું છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy