SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ [2] જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ શકુનશાસ્ત્રને અંગે સમતભદ્ર રચેલી કૃતિ નામે લોકકલ્પ તો મળતી નથી એટલે નરપતિજયચર્યા આ વિષયની પ્રથમ કૃતિ ગણાય. વિ. સં. ૧૨૨૦માં રચાયેલું સ્વપ્નશાસ્ત્ર એ સ્વપ્નશાસ્ત્રની આદ્ય કૃતિ હોય એમ લાગે છે. નિમિત્તશાસ્ત્રોમાં મેઘમહોદય એકંદર રીતે વિશેષ મહત્ત્વની કૃતિ છે. નિમિત્તશાસ્ત્ર સંબંધી કોઈ વિશિષ્ટ કૃતિ વિક્રમની ૧૮મી સદી પછી રચાયેલી જણાતી નથી. વિશેષમાં આ શાસ્ત્રને અંગે કોઇ દિગંબરે કેવલજ્ઞાનપ્રશ્નચૂડામણિ ઉપરાંત મહત્ત્વની કોઇ કૃતિ સંસ્કૃતમાં રચી હોય એમ જાણવા જોવામાં નથી. જો એમ જ હોય તો તેનું શું કારણ ? નિમિત્તશાસ્ત્રને અંગે જેટલી જૈન કૃતિઓ રચાઇ છે એટલી લાક્ષણિક સાહિત્યના કોઈ અંગ વિષે રચાયેલી જણાતી નથી. વળી આ વિષયની તેર-અજૈનકૃતિઓ ઉપર જૈન વિવરણો રચાયાં છે એટલે વ્યાકરણ વગેરેને લગતી અજૈનકૃતિઓનાં જૈન વિવરણોમાં આ વિવરણોની સંખ્યા સૌથી વધારે છે. P-૬૨ (૧૨) વૈદકશાસ્ત્ર : ૩૬ જેન કૃતિ (લ. વિ. સં. ૬૦૦-લ. વિ. સં. ૧૦૧૦) વૈધકને અંગે સાત કૃતિઓ કલ્યાણકારકમાં નોંધાયેલી છે પરંતુ વૈદ્યકગ્રન્થ તેમજ કલ્યાણકારક જે પૂજ્યપાદની રચના ગણાય છે તે પૈકી એકે આ સાત કૃતિમાં આવી જાય છે કે નહિ તેનો નિર્ણય કરવો બાકી રહે છે. એને સ્વતંત્ર ગણીએ તો પૂજયપાદે ઓછામાં ઓછી ત્રણ અને વધારેમાં વધારે પાંચ કૃતિ રચેલી ગણાય કેમકે “પૂજ્યપાદ' એવા કર્તાના નામવાળી કૃતિઓ પૈકી કેટલી એકકણ્વક છે તેની તપાસ કરવી બાકી રહે છે. ઉપર્યુક્ત નવ કૃતિઓમાંની એક તે સમતભદ્ર રચેલો સિદ્ધાન્તરસાયનકલ્પ છે. એ સૌથી પ્રાચીન જણાય છે. ત્યાર પછીનો વૈદ્યકગ્રંથ તે દિ. ઉગ્રસેનક્ત કલ્યાણકારક છે અને એ પ્રકાશિત છે એથી જ નહિ, પણ એ મધ, મધ અને માંસના સેવન વિના રોગીના રોગ દૂર કરવાની માહિતી પૂરી પાડે છે એ દૃષ્ટિએ ખાસ મહત્ત્વનો છે. કોઈ શ્વેતાંબર કૃતિ વિક્રમની નવમી સદી પહેલાં-બલ્ક સત્તરમી સદી પહેલાં રચાઈ હોય એમ જણાતું નથી. એવી રીતે યોગરત્નાકર કરતાં વૈદકની કોઈ પ્રાચીન ગુજરાતી કૃતિ હોય એમ પણ જણાતું નથી. પૃ.૧૪૪માં નોંધાયેલી આઠ સંદિગ્ધ કૃતિ વિષે ચોક્કસ કંઈ કહી શકાય નહિ એટલે અવશિષ્ટ કૃતિઓ વિચારવાની રહે છે ખરી, પણ એ સંબંધમાં વિશેષ માહિતી મળ્યા વિના શું કહેવાય? (૧૩) પાકશાસ્ત્રઃ ૧ જેન કૃતિ (ઉ. વિક્રમની છઠ્ઠી સદી) પોરાગમ એ પાકશાસ્ત્રની જ કૃતિ હોય તો પણ એ અનુપલબ્ધ છે એટલું જ નહિ પણ P-૬૩ એનો વિશિષ્ટ પરિચય પણ પૂરું પાડનારું કોઈ સાધન જણાતું નથી તો આ પરિસ્થિતિમાં પાકશાસ્ત્રને લગતી કૃતિના મૂલ્યાંકનની વાત જતી જ કરવી પડે ને? (૧૪) વિજ્ઞાનઃ ૨૧ જેન કૃતિ (લ. વિ. સં. ૧૨૦પ-વિ. સં. ૧૮૦૦) અમરચન્દ્રસૂરિકૃત કલાકલાપના વિષય વિશે આપણે અજ્ઞાત છીએ એટલે એ કૃતિને બાજુએ રાખતાં આ પ્રકરણમાં નોંધાયેલી સંસ્કૃત કૃતિઓને આપણે ચારવર્ગમાં વિભક્ત કરી શકીએ. ૧. શાલાક્યતન્ન, વૈઘકગ્રન્થ, કલ્યાણકારક, નાડી પરીક્ષા અને નિદાનમુક્તાવલી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy