SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત [71] ૭૧ P.૬૦ (૯) મુદ્રાશાસ્ત્ર આ શાસ્ત્ર માટે તો કોઇ જૈને સંસ્કૃત કૃતિ રચી જ જણાતી નથી તો મૂલ્યાંકનની વાત જ શી કરવી ? (૧૦) ગણિતશાસ્ત્ર : ૬ જેન કૃતિ (લ. વિ. સં. ૯૦૦-લ. વિ. સં. ૧૪૦૦) ગણિતશાસ્ત્રને અંગેની આઠકૃતિ પૈકી છ ના કર્તા જૈન છે અને એ છે કે કૃતિ સંસ્કૃતમાં છે એમ માની લઇએ તો પાટીગણિતની ચાર અને ક્ષેત્રગણિતનીં બે કૃતિ છે એમ કહેવાય. આ બધી કૃતિઓમાં લ. વિ. સં. ૯00માં રચાયેલ ગણિતસારસંગ્રહ વિશેષતઃ નોંધપાત્ર છે. એ પૂર્વે વિદ્યાવારિધિ ઉમાસ્વાતિ જેવા જૈન ગણિતજ્ઞો થઈ તો ગયા છે પણ એમની કોઇ સ્વતન્નકૃતિ હજી સુધી તો મળી આવી નથી. જૈનભૂગોળ અને ખગોળ જોતાં ગણિતની અને ખાસ કરીને ક્ષેત્રગણિતની મહત્ત્વની કૃતિઓ સર્જાયાની આશા તો રખાય, પણ કોણ જાણે કેમ એ દિશામાં વિક્રમની ચૌદમી સદી પછી અંધકારપટ છવાયો હોય એમ લાગે છે. આજે થોડાક જૈન ગૃહસ્થો ગણિતની વિવિધ શાખાના સારા જાણકાર છે પણ એમાં સંસ્કૃત ગ્રંથ રચે તેવા તો કોઈક જ છે ને? આથી અત્યારે તો ગણિતશાસ્ત્રની વિવિધ શાખાઓ ઉપર પ્રકાશ પાડતી સબળ સંસ્કૃતકૃતિ રચાય એવો સંભવ બહુ જ ઓછો છે. (૧૧) નિમિત્તશાસ્ત્ર ૪૯ જેવકૃતિ (લ. વિ. સં. ૧૦પ-લ. વિ. સં. ૧૯૫૫) નિમિત્તશાસ્ત્ર સંબંધી જૈન કૃતિઓને આપણે આઠ વિભાગમાં વિભક્ત કરી શકીએ. (૧) જયોતિષ (ફલાદેશ), (૨) સામુદ્રિક, (૩) શકુન, (૪) સ્વપ્ન, (૫) રમલ, (૬) અંગવિદ્યા, (૭) પ્રશ્નવિચાર અને (૮) પ્રકીર્ણક, આ વિભાગોની કૃતિઓની સંખ્યા અનુક્રમે નીચે પ્રમાણે છે. ૧૬, ૪, ૮, ૯, ૩, ૨, ૪ અને ૨. નિમિત્તશાસ્ત્રની આદ્ય બે કૃતિઓ નામે પ્રશ્નપ્રકાશ અને કાલજ્ઞાન વિક્રમની બીજી સદીમાં થઈ ગયેલા પાદલિપ્તસૂરિની રચના છે, પરંતુ એ સંસ્કૃતમાં છે કે કેમ તે જાણવું બાકી રહે છે. વિશેષમાં એમાંથી એકે કૃતિ હજી સુધી તો મળી આવી નથી. જ્યોતિષની કૃતિઓમાં નિમ્નલિખિત કૃતિઓ નોંધપાત્ર જણાય છે. ગ્રહભાવપ્રકાશ, આરંભસિદ્ધિ, નારચંદ્ર, જ્યોતિસાર અને માનસાગરીપદ્ધતિ. વિ. સં. ૧૨૧૬થી લ. વિ. સં. ૧૭૩૫ના ગાળામાં સામુદ્રિકશાસ્ત્ર સંબંધી કૃતિઓ રચાઇ છે. તેમાં હસ્તસંજીવન મોખરે છે. ૧ ગણિતસાર અને ગણિતતિલક એ બે તો અજૈનકૃતિ છે. ૨. સિદ્ધભૂપદ્ધતિ જૈનની ક્ષેત્રગણિતને અંગેની કૃતિ હોય એમ લાગે છે. ૩. પ્રશ્નપ્રકાશ એ પ્રશ્નવિચારની કૃતિ હોય તો આ સંખ્યા ૧૫ની અને પ્રશ્નવિચારની કૃતિઓની સંખ્યા પાંચની ગણાય. P-૬૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy