SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ [70]. જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ P-૫૮ (૪) અલંકારશાસ્ત્રઃ ૨૯ જેન કૃતિ (વિક્રમની નવમી સદીથી અઢારમી સદી) કાવ્યશાસ્ત્રને અંગે જે ૨૯ કૃતિઓ છે તેમાં ચાર આંશિક છે. આ શાસ્ત્રમાં શ્વેતાંબરોનો ફાળો દિગંબરો કરતાં વિશેષ છે, કેમકે દિ. કૃતિ ગણીગાંઠી છે બપ્પભટ્ટિસૂરિ કરતાં પહેલાં આ વિષયની કોઈ સ્વતન્નકૃતિ રચાઈ હોય એમ જણાતું નથી. “થારાપદ્ર' ગચ્છના નમિસાધુએ રુદ્રટત કાવ્યાલંકાર ઉપર વિ. સં. ૧૧૨૫માં ટીકા રચી. એમને હાથે આ જાતનું દ્વાર યોગ્ય પ્રમાણમાં ખુલ્લું મૂકાતાં આગળ ઉપર આ માર્ગે અન્ય જૈન લેખકો વિવરણકાર તરીકે વિહરે છે. એ દરમ્યાનમાં વાલ્મટ અને “કલિ0' હેમચન્દ્રસૂરિ જેવા તો સ્વતંત્ર કૃતિ પણ રચે છે. સમસ્ત કૃતિઓમાં હૈમ કાવ્યનુશાસન સૌથી મોખરે છે. એની બે સ્વોપજ્ઞ ટીકા એની મહત્તામાં વૃદ્ધિ કરે છે. આ કાવ્યાનુશાસન ગદ્યમાં સૂત્રરૂપે છે. એટલે પદ્યાત્મક કૃતિઓમાં તો અલંકારમહોદધિ ઉત્તમ છે. P.૫૯ (૫) નાટ્યશાસ્ત્ર : ૧ જેન કૃતિ (લ. વિ. સં. ૧૨૦૦). નાટ્યશાસ્ત્રને અંગે નાટ્યદર્પણ ઉપરાંત કોઇ સ્વતંત્ર ગ્રંથ જૈનોએ રચ્યો હોય એમ જણાતું નથી એટલે એ વિષે વિશેષ કહેવાનું રહેતું નથી. (૬) સંગીતશાસ્ત્ર : ૭ જેન કૃતિ (વિ. સં. ૧૩૫૦- લ. વિ. સં. ૧૫૦૦) સંગીતશાસ્ત્રને લગતી સાત કૃતિઓ છે. તેમાંની ચાર તો. લ. વિ. સં. ૧૩૫૦થી લ. વિ. સં. ૧૪૯૦ના ગાળામાં રચાયેલી છે. બાકીની ત્રણ કૃતિ વિષે વિશેષ માહિતી મળી શકી નથી. આ પરિસ્થિતિમાં આ બધી કૃતિમાં દિ. પાર્શ્વચન્દ્રની કૃતિને હું અગ્ર સ્થાન આપું છું. સુધાકલશની બંને કૃતિ અત્યારે તો અપ્રસિદ્ધ છે અને એમાંની પહેલી તો અદ્યાપિ અપ્રાપ્ય છે એટલે બીજી પ્રસિદ્ધ કરાય તો આ દિશામાં વિશેષ પ્રકાશ પડે. (0) કામશાસ્ત્રઃ ૩ જૈન કૃતિ (વિક્રમની ૧૭મી સદી) કામશાસ્ત્રને અંગે જૈન કૃતિઓ ત્રણથી વધારે નથી અને તેમાં બે તો અપ્રકાશિત છે. વળી કંદર્પચૂડામણિ જૈને કૃતિ હોય તો પણ તે વિ. સં. ૧૬૩૩ની રચના છે. આ વિષય જૈનોને હાથે એમના ધાર્મિક વલણને લઈને લગભગ અણખેડાયેલો જ રહ્યો છે એમ કહું તો કેમ ? (૮) સ્થાપત્ય : ૧ જૈન કૃતિ (ઉ. વિ. સં. ૧૪૦૦) એકસંધિએ શિલ્પશાસ્ત્ર નામની કૃતિ રચી છે. એ ઉપરાંત કોઇ જૈને આ વિષયની કોઈ કૃતિ રચ્યાનું જણાતું નથી તેમજ ઉપર્યુક્ત કૃતિ વિષે વિશેષ માહિતી મને મળી શકી નથી એટલે મૂલ્યાંકન અંગે હું કશું કહેતો નથી. ૧. શૃંગાર-ચંદ્રિકા, શૃંગાર-મંજરી અને નેમિકુમારના પુત્ર વામ્ભટે રચેલું કાવ્યાનુશાસન. આ વાગ્લટ દિગંબર હશે એવી સંભાવના “નૈન સદિત્ય ગૌર તિદાસ' (પૃ.-૪૮૭)માં કરાઈ છે. ૨. આમાંથી એક અવતરણ થશોવિજયગણિએ પ્રતિમાશતક (શ્લોક.-૧૬)ની સ્વપજ્ઞવૃત્તિ (પત્ર-૬૫)માં આપ્યું છે એમ એ વત્તિગત નિમ્નલિખિત પાઠ ઉપરથી જાણી શકાય છે. * * *પર્યાયોગૅI[]ો$િ: પર્યાયો' રૂતિ હૈમવવન' “ચ1થી પર્યાયોમ્" એ હૈમકાવ્યાનુશાસનના છઠ્ઠા-અધ્યાયનું નવમું સૂત્ર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy