SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત [59] ૬૯ બહુજ અલ્પ પ્રમાણમાં નજરે પડે છે. આથી પહેલી તકે બે કાર્ય થવાં જોઈએ. (૧) ખૂટતા શબ્દો P- પ૬ રજૂ થવા જોઇએ અને (૨) કંઈ નહિ તો કથાનુયોગને લગતી જૈન સંસ્કૃત કૃતિઓમાં આવતા પારિભાષિક શબ્દો અર્થ સહિત અપવા જોઇએ. આ તો એક કામચલાઉ પુરવણીની વાત થઈ. બાકી બીજાં બે વિશેષ મહત્ત્વનાં કાર્ય કરવાં જેવાં છે. એક તો જૈનોના પ્રૌઢ અને પ્રાચીન સંસ્કૃત ગ્રંથોના નિર્દેશપૂર્વકનો કોશ જોઇએ. બીજો કોશ વિશેષ પ્રયાસ માંગી લે તેમ છે, કેમકે એમાં સમય અને સ્થાનને લઇને જે શબ્દના અર્થમાં પરિવર્તનો થયાં હોય તેની પણ નોંધ હોવી ઘટે. ખરી રીતે તો સમગ્ર જૈન તેમજ અજૈન સંસ્કૃત સાહિત્યને લક્ષીને આ બીજી જાતનો મહાકોશ રચાવો જોઈએ, એ કાર્ય સુગમ બને તે માટે પણ જૈન વિભાગ તો જુદો તૈયાર થવો ઘટે. ફારસીકોશ- જેમ ફારસી ભાષાનું સંસ્કૃત વ્યાકરણ વિક્રમસિંહ નામના જૈને રચ્યું છે તેમ P-૫૭ આ ભાષાનો શબ્દકોશ કેટલાકને મતે સપાદલક્ષ નામના જૈને રચ્યો છે. (૩) છન્દઃશાસ્ત્રઃ રર જેવકૃતિ (વિક્રમની છઠ્ઠી સદીથી ચૌદમી સદી) છંદને અંગે જે બાવીસ જૈન કૃતિઓ રચાઈ છે એમાં દસેક સંદિગ્ધ છે. પૂજ્યપાદ તેમજ બુદ્ધિસાગરસૂરિએ રચેલું એકેક છન્દ શાસ્ત્ર હજી સુધી તો મળી આવ્યું નથી. આથી છન્દ શાસ્ત્રને લગતી બાકીની ઉપલબ્ધ કૃતિઓમાં જયદેવ અને દિ. જયકીર્તિની કૃતિઓ સૌથી પ્રાચીન ગણાય. એ પછીની કૃતિઓ તે છન્દ શેખર, હૈમ છન્દોડનુશાસન ઇત્યાદિ છે. આ બધી કૃતિઓમાં હૈમ છંદોડનુશાસન એની સ્વપજ્ઞવૃત્તિ વગેરેને લઈને ઘણું અગત્યનું સ્થાન ભોગવે છે. ઉપર્યુક્ત પૂજ્યપાદ એ સર્વાર્થસિદ્ધિના કર્તા જ હોય તો છન્દ શાસ્ત્રની સ્વતંત્ર રચનાની શરૂઆત વિક્રમની. છઠ્ઠી સદીથી ગણાય. વિક્રમની ચૌદમી સદી પછી કોઈ સ્વતન્ત્ર નોંધપાત્ર રચના થઇ હોય એમ જણાતું નથી. છન્દ શાસ્ત્રને અંગે જેમ પદ્યાત્મક રચના મળે છે. તેમ હૈમ છન્દોડનુશાસન જેવી કૃતિ ગદ્યમાંસૂત્રરૂપે યોજાયેલી મળી આવે છે. કંઠસ્થ કરનારની દૃષ્ટિએ પદ્યાત્મક કૃતિ વિશેષ અનુકૂળ ગણાય. કાનડી છન્દ શાસ્ત્ર- જેમ કાનડી ભાષાનું સંસ્કૃતમાં વ્યાકરણ મળે છે (જુઓ. પૃ.-૫૬) તેમ જયકીર્તિકૃત છન્દોડનુશાસન કેટલાક કાનડી છંદો ઉપર પ્રકાશ પાડે છે. ૧. આવા શબ્દો શબ્દરનમહોદધિ નામના સંસ્કૃત-ગુજરાતી કોષમાં અપાયા છે. આ મહકાય કોશના સંગ્રાહક પંન્યાસ શ્રીમુક્તિવિજયગણિ (જન્મવર્ષ વિ. સં. ૧૯૪૨) છે. આ કોશ “શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન ગ્રંથમાલા”માં બે ભાગમાં અનુક્રમે ઇ. સ. ૧૯૩૭ અને ઇ. સ. ૧૯૪૧માં પ્રકાશિત કરાયો છે (એની એક નકલ મને ૫ સંપવિજયજી તરફથી ભેટ મળી હતી). તાજેતરમાં આ. ભ. હેમપ્રભસૂરિ મ. સા.ની પ્રેરણાથી આનું પુન:પ્રકાશન કેટલાક શબ્દો ઉમેરવાપૂર્વક ત્રણ ભાગમાં થયું છે.] વિ. સં. ૧૯૫૬માં ભાવનગરથી દોલતરાય મગનલાલ શાહે પ્રસિદ્ધ કરેલો અને સાવધલાલ વિ. છોટાલાલ વો'રોએ યોજેલો શબ્દચિંતામણિ નામનો સંસ્કૃત-ગુજરાતી કોશ અપ્રાપ્ય બનતાં એ ખોટ પુરી પાડવાના ઉદેશથી આ કોશ યોજાયો હતો. ૨. આવો કોશ હોય તો તત્ત્વાર્થાધિગમસૂત્ર (અ.૫, સુ.૪૨)માંના “અનાદિ અને “આદિમાન્' શબ્દના અર્થ ઉપર પ્રકાશ પડે આ બે શબ્દના પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ અર્થને અંગે થોડીક ચર્ચા ૫. સુખલાલે એમના ગુજરાતી વિવેચન (પૃ. ૨૪૮-૨૪૯, તૃતીય આવૃત્તિ, ઇ. સ. ૧૯૪૯)માં કરી છે. ૩. જુઓ પૃ.૮૨-૮૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy