SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ - ૬૮ [62] જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ સંસ્કૃત ભાષાની જેના નામમાલા (૪૨) એકાર્થક (૩૫) અનેકાર્થક (૭) એકાક્ષરી (૬) અનેકાક્ષરી (૨૯) છે. (૨) દિ. (૫) છે. (૫) દિ. (૧) સંપૂર્ણ (૨૦). આંશિક (૯) છે. (૧૮) દિ. (૨) શબ્દતઃ (૫) વિષયતઃ (૪) P.૫૫ પધાત્મક રચના- આ તમામ નામમાલાઓ પદ્યાત્મક છે. આ ઘટના મુખ્યતયા નામમાલા કંઠસ્થ કરવાની અનુકૂળતાને આભારી જણાય છે. શ્વેતાંબર અને કાક્ષરી એકાર્થક કોશોમાં જેમ ‘અનટ્ટમ્' છન્દમાં ૧૮૮ પદ્યોમાં રચાયેલો લઘુતમનામકોશ સૌથી નાનો છે તેમ દિગંબર કોશોમાં ધનંજયનામમાલા છે. ત્રણેક દસકા ઉપર કેટલાયે શ્વેતાંબર મુનિઓ (દા.ત. શ્રીવિજયપ્રતાપસૂરિજી) પોતાના પ્રાથમિક અભ્યાસ દરમ્યાન આ નામમાલા કંઠસ્થ કરતા હતા એ એની અભ્યાસની દૃષ્ટિએ ઉપયોગિતા સૂચવે છે. પ્રથા- જેમ મુખ્યતયા અજૈનોમાં અમરકોશ કંઠસ્થ કરવાની પ્રથા આજે પણ જોવાય છે તેમાં ખાસ કરીને શ્વેતાંબરોમાં-તેરાપંથની કેટલીક સાધ્વીઓમાં સુદ્ધાં અભિધાનચિંતામણિ મોઢે કરવાની પ્રથા છે. ન્યૂનતા- અભિ૦ ચિત્રમાં કેટલાક શબ્દો પૂરતી ન્યૂનતા જણાતાં શેષનામમાલા અને શિલોંછની રચના કરાઈ અને એ દ્વારા એ કોશને પરિપૂર્ણ બનાવવા પ્રયાસ કરાયો, પરંતુ હજી પણ કોઈ કોઈ શબ્દ (દા.ત. પાટીર) એમાં જણાતા નથી. વિશેષમાં આ તેમજ અન્ય જૈન કોશો જે મેં અહીં નોંધ્યા છે. તેમાં જૈનોના પારિભાષિક શબ્દો. ૧. પારસીક કોશ પણ છે. ૨ નાનાર્થ-કોશના કર્તા અસંગને દિગંબર અને નાનાર્થસંગ્રહને અનેકાર્થક ગણી આ સંખ્યા દર્શાવાઈ છે. ૩. શબ્દભેદનામમાલા આંશિક કોશ હોય તો નવને બદલે ‘દસ” જોઇએ અને સંપૂર્ણની સંખ્યા વીસને બદલે ઓગણીસ' જોઇએ. ૪. આ શબ્દ યશોવિજયગણિકત જ્ઞાનસારના “ભાવપૂજાષ્ટક” નામના ૨૯મા અષ્ટકના દ્વિતીય પદ્યમાં વપરાય છે. ૫. દાર્શનિક સાહિત્યને લગતો પારિભાષિક શબ્દોનો કોશ પણ સત્વર રચાવો જોઇએ પણ એ વાત હું અહીં જતી કરું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy