SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮O જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ "વૃત્તિ-ગણિતસાર ઉપર ‘ઉપકેશ' ગચ્છના સિદ્ધિસૂરિએ વૃત્તિ રચી છે. ગણિતતિલક યાને ગણિત-પાટી (લ. વિ. સં. ૧૧00)– આના કર્તા શ્રીપતિ છે. એમણે શકસંવત્ ૯૬૧માં ધીકોટિદ-કરણ, શકસંવત્ ૯૭૮માં ધ્રુવમાનસ, ઈ. સ. ૧૦૪૦ની આસપાસમાં “સિદ્ધાન્ત-શેખર ઇત્યાદિ કૃતિઓ રચી છે એઓ લીલાવતીના કર્તા ભાસ્કરાચાર્યના પુરોગામી છે. એમણે સર્વ દર્શનોને સંમત થાય એવું મંગલાચરણ કરી પરિભાષાઓ સમજાવી છે. એમણે પાટીગણિતને લગતી P ર૯૨ વિવિધ બાબતો ઉદાહરણપૂર્વક જાતજાતના છંદોમાં રજૂ કરી છે. જેમકે પૂર્ણાક તેમજ અપૂર્ણાકનાં સંકલિત વગેરે આઠ પરિકર્મો, કલાસવર્ણ, ઐરાશિક વગેરે બાબતો. એ માટે એમણે ત્રિશતીનો પુષ્કળ ઉપયોગ કર્યો હોય એમ લાગે છે. - વૃત્તિ–આ વૃત્તિ ગણિતતિલક ઉપર વિબુધચન્દ્રસૂરિના શિષ્ય અને મંત્રરાજરહસ્ય વગેરેના કર્તા સિંહતિલકસૂરિએ વિ. સં. ૧૩૩૦ની આસપાસમાં રચી છે. એમણે લીલાવતીનો તેમજ ત્રિશતીનો કેટલેક સ્થળે ઉલ્લેખ કર્યો છે. એમણે પૃ. ૩૦માં લીલાવતીની વૃત્તિ જોવાની ભલામણ કરી છે. શું આ વૃત્તિના કર્તા એઓ જાતે છે કે અન્ય કોઈ ? પૃ. ૮૫માં એમણે ગણિતની કોઈ કૃતિમાંથી એક અવતરણ આપ્યું છે. (૬) નિમિત્તશાસ્ત્ર લઘુજાતક (લ.વિ.સં. ૫૬૨) આના કર્તાશકસંવત્૪૨૭માં પંચસિદ્ધાંતિકારચનારાવરાહમિહિર છે. વૃત્તિ–લઘુજાતક ઉપર ખરતર' ગચ્છના ભક્તિલાભ વિ. સં. ૧૫૭૧માં વિક્રમપુરમાં આ રચી છે." જાતક(કર્મ)પદ્ધતિ (લ. વિ. સં. ૧૧૦૦)- આના કર્તા શ્રીપતિ છે. ટીકા–જાતકપદ્ધતિ ઉપર “અંચલ' ગચ્છના હર્ષરત્નના શિષ્ય સુમતિહર્ષે વિ. સં. ૧૬૭૩માં પદ્માવતીપત્તનમાં આ ટીકા રચી છે. એમણે આ અરસામાં બૃહસ્પર્વમાલા રચી છે. વિશેષમાં એમણે તાજિકસાર, કરણતૂહલ અને હોરામકરન્દ ઉપર એકેક ટીકા રચી છે. ૧. જુઓ શ્રી. અગરચંદ નાહટાનો લેખ. “જૈનેતર ગ્રન્થોં પર જૈન ટીકાર્યો” ૨. આ કૃતિ સિંહતિલકસૂરિકૃત વૃત્તિ સહિત “ગા. પૌ. ગ્રં.”માં ગ્રંથાંક ૭૮ તરીકે ઈ.સ. ૧૯૩૭માં છપાઈ છે. એનું સંપાદન મેં કર્યું છે. એના અંગ્રેજી ઉપોદ્દઘાતમાં મેં “ગણિતશાસ્ત્રને અંગેનો જૈનોનો ફાળો’ એ વિષય વિસ્તારથી ચર્યો છે. ૩. આ નામ સિંહતિલકસૂરિએ યોજ્યું છે. એમ કરવામાં એમણે પોતાના નામનો એક અંશ જોડ્યો હોય એમ જણાય છે. ૪. શ્રીપતિએ “ખિત પાટી" એમ કહ્યું છે. એ ઉપરથી મેં આ નામ યોજ્યું છે; બાકી સામાન્ય રીતે પાટીગણિત” એવું નામ હોય. ૫. આમાં જૈનોની બે સૂર્ય, બે ચન્દ્ર ઈત્યાદિને લગતી માન્યતાનું ખંડન કરાયું છે. ૬. લઘુજાતક ઉપર અતિસાગરે ભાષામાં વિ. સં. ૧૬૦૫માં વચનિકા રચી છે અને ખુશાલસુંદરે વિ. સં. ૧૮૩૯માં ટબ્બો રચ્યો છે. ૭. ‘ઉપકેશ' ગચ્છના ખુશાલસુંદરે બાલાવબોધ રચ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy