SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ : અજૈન વ્યાકરણોનાં જૈન વિવરણો ઃ [પ્ર. આ. ૨૮૮-૨૯૧] પદપ્રકાશ–સરસ્વતીકંઠાભરણ ઉપર પાર્શ્વચન્દ્રના પુત્ર આજડે પદપ્રકાશ નામની આ ટીકા રચી છે. આ ટીકાની પુષ્પિકા તેમજ આ ટીકામાંથી કેટલાક ઉત્કૃત ભાગો પત્તન. સૂચી (ભાગ ૧, પૃ. ૩૭૩૯)માં અપાયેલાં છે. ચન્દ્રાલોક (લ. વિ. સં. ૧૨૭૫)– આના કર્તા જયદેવ છે.૧ કાવ્યાસ્નાય– શું એ ઉપર્યુક્ત કૃતિની ટીકા છે ? વિદગ્ધમુખમંડન (ઉ. વિ. સં. ૧૩૧૦) – આ ધર્મદાસ નામના બૌદ્ધની કૃતિ છે. એમાં ચાર પરિચ્છેદો છે. એમાં પ્રહેલિકાઓ (emigmatology) અને ચિત્ર-કાવ્યોને સ્થાન અપાયું છે. રત્નાપણ P ૨૯૦ અને શાŚધરપદ્ધતિમાં આ કૃતિનો ઉલ્લેખ છે. ઇ. સ.ની ૧૩મી સદીની પૂર્વેની આ કૃતિ છે. એના ઉપર નીચે મુજબની જૈન ટીકાઓ છે :– (૧) અવચૂર્ણિ – આના કર્તા ‘ખરતર’ ગચ્છના જિનપ્રભસૂરિ છે. એમણે ૭૦૦ સ્તોત્રો રચ્યાં છે. - (૨) ટીકા – ‘ખરતર’ ગચ્છના જિનસિંહસૂરિના શિષ્ય લબ્ધિચન્દ્રના શિષ્ય શિવચન્દ્રે આ ટીકા વિ. સં. ૧૬૬૯માં રચી છે. (૩) વૃત્તિ – આ વિનયસુન્દરના શિષ્ય વિનયરત્નની રચના છે. એઓ ૧૭મી સદીમાં થઈ ગયા છે. (૪) ટીકા – આ ‘ખરતર' ગચ્છના સુમતિકલશના શિષ્ય વિનયસાગરે વિ. સં. ૧૬૯૯માં રચી છે. (૫) ટીકા–આના કર્તા ભીમવિજય છે. (૬) અવસૂરિ–આના કર્તાનું નામ જાણવામાં નથી. (૭) ટીકા - ૧૭૯ આના કર્તા કુ (? ક) કુદાચાર્યના સંતાનીય (?) છે.પ (૮) બાલાવબોધ–સટ્ટિસયગપયરણ, વાગ્ભટાલંકાર ઇત્યાદિ વિવિધ કૃતિઓ ઉપર બાલાવબોધ રચનાર ઉપા– મેરુસુંદરે ૧૪૫૪ શ્લોક જેવડો આ બાલાવબોધ રચ્યો છે. એઓ જિનચન્દ્રસૂરિ (વિ. સં. ૧૪૮૭૧૫૩૦)ના શિષ્ય થાય છે. આ બાલાવબોધની શરૂઆતમાં પાંચ પદ્યો સંસ્કૃતમાં છે. એમાં મૂળ પદ્યાત્મક કૃતિનું P. ૨૯૧ કટકે કટકે સંસ્કૃતમાં વિવરણ અપાયું છે અને સાથે સાથે ગુજરાતીમાં એની સમજૂતી અપાઈ છે. (૫) ગણિત ગણિતસાર–આના કર્તા શ્રીધર છે. શું ત્રિશતિકાના કર્તા શ્રીધર (ઇ. સ. ૭૫૦) તે જ આ છે ? ૨. જુઓ પૃ. 106. ૧. જુઓ પૃ. 106. ૩. આ કૃતિ અનેક સ્થળેથી છપાઈ છે. ૪. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૫૫)માં એક અજ્ઞાતકર્તૃક ટીકાનો પ્રારંભ ‘મૃત્લાનિનેન્દ્રમપિ''થી થાય છે એવો ઉલ્લેખ છે. ૫. જુઓ શ્રી અગરચંદ નાહટાનો પૃ. 168માં નિર્દિષ્ટ લેખ. ૬. આનો નમૂનો ષષ્ટિશતક પ્રકરણની પ્રસ્તાવના (પૃ. ૨૦-૨૨ અને ૨૯)માં અપાયો છે. ૭. આ પ્રકાશિત છે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy