SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર : પ્રિ. આ. ૨૧૪-૨૧૭] ૧૩૧ રચના-સમય-સામુદ્રિક-લહરી નામની સ્વોપજ્ઞ વિવૃતિમાં વિ.સં. ૧૭૩૭ની સાલનું ઉદાહરણ P ૨૧૬ છે. એ ઉપરથી મૂળ કૃતિ આ વર્ષની આસપાસમાં રચાયાનું મનાય છે. સ્વપજ્ઞ ટિપ્પણ અને સામુદ્રિક-લહરી- મૂળ કૃતિને અંગે ગ્રંથકારે ટિપ્પણ રચ્યું છે અને એ બંનેના વિશદીકરણ માટે જીવરામ કવિના આગ્રહથી સામુદ્રિક-લહરી નામની ૩૮૦૦ શ્લોક જેવડી ‘વિવૃતિ રચી છે. આ વિવૃતિમાં સામુદ્રિક-ભૂષણ અને શૈવ-સામુદ્રિક એ બે કૃતિઓનો પરિચય અપાયો છે. વિશેષમાં આ વિવૃતિમાં ૪૩ ગ્રંથોની સાક્ષી અપાઈ છે અને હસ્ત-બિંબ, હસ્તચિહ્ન-સૂત્ર, કરરેહાપયરણ (કરરેખા-પ્રકરણ), વિવેકવિલાસ વગેરેનો ઉપયોગ કરાયો છે. લોકકલ્પ (ઉં. ઇ. સ. પૂર્વે ૩00)- આના કર્તા શ્રુતકેવલી ‘સમન્તભદ્ર છે અને એમણે પોતાની ઇચ્છાથી આ શાસ્ત્ર વિદ્યાપ્રવાદ નામના પૂર્વમાંથી ઉદ્ધત કર્યું હતું એમ જિનદત્તસૂરિએ શકુનરહસ્યની પ્રશસ્તિમાં કહ્યું છે. એ લોકકલ્પ હજી સુધી તો અપ્રાપ્ય છે. એટલે એની રચના સંસ્કૃતમાં કરાઈ હશે કે કેમ તે જાવણું બાકી રહે છે. બાકી એના આધારે શકુનરહસ્ય રચાયું છે એટલે એ લોકકલ્પમાં શુકનનો તો અધિકાર હોવો જોઈએ એમ બેધડક કહી શકાય. શકુન-શાસ્ત્ર શુકન અને અપશુકનની માન્યતા જગજૂની જણાય છે. તેમ છતાં વિક્રમની તેરમી સદી સુધી કોઈ જૈન ગ્રંથકારે આ વિષયની સ્વતંત્ર ગણનાપાત્ર કૃતિ સંસ્કૃતમાં રચી હોય એમ જણાતું નથી. નરપતિજયચર્યા (વિ. સં. ૧૯૧૨૩૨) – આના કર્તા ધારાના આમૃદેવા પુત્ર જૈન ગૃહસ્થ નરપતિ ૨૧૭ છે એમણે અજયપાલના રાજ્યમાં અણહિલપુરમાં વિ. સં. ૧૨૩૨માં આ કૃતિ રચી છે. એમાં એમણે ૧૧સ્વરો ઉપરથી શુકન જોવાની અને ખાસ કરીને તો માંત્રિક યંત્રો વડે યુદ્ધમાં વિજય મેળવવા માટે શુકન જોવાની હકીકત આલેખી છે. આ પ્રમાણે જૈ. સા. સં. ઈ. (પૃ. ૩૩૫)માં કહ્યું છે. પરંતુ જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથોના આમુખ (પૃ. ૩૫-૩૬)માં નરપતિજયચર્યાના ટીકાકાર હરિવંશ કવિનું જે લખાણ રજૂ ૧. આને કેટલાંક ‘ભાષ્ય' કહે છે અને એનું રેખા-શાસ્ત્ર એવું નામ રજૂ કરે છે. જુઓ “સંપાદકીય નિવેદન” (પૃ. ૧૭). ૨. આની ઈ. સ. ૧૬૮૦થી ૧૭૦૦ના ગાળામાં લખાયેલી એક હાથપોથીના નિર્દેશ માટે જુઓ “જૈ. સિ. ભા.” (ભા. ૮, પૃ. ૨૫). ૩. જુઓ અ. ૩ ગ્લો. ૧૮૭ની વિવૃતિ. ૪. આમાંથી ત્રણ ચિત્રો મેઘવિજયે ઉદ્ભૂત ક્યાં છે. પ-૬. શું આ બે ગ્રંથો તેમજ સામુદ્રિક-ભૂષણ મળે છે ? 9. ઉલ્લેખ વાસ્તવિક છે એમ માની મેં લોકકલ્પનો સમય દર્શાવ્યો છે. ૮. અભિ. ચિ. (કાંડ ૧, શ્લો. ૩૨-૩૩)માં જે છ શ્રુતકેવલી ગણાવાયા છે તેમાં એમનું નામ નથી. ૯. ‘શકુન’ એ સંસ્કૃત શબ્દ છે. એને ગુજરાતીમાં ‘શુકન તથા “શકન' પણ કહે છે. ૧૦.જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૩૩૫). ૧૧. આ ઉપરથી કેટલાક પ્રસ્તુત કૃતિને “સ્વરોદય' કહે છે. આ નામની એક કૃતિ યશકીર્તિએ રચી છે તેમજ અન્ય કોઈએ પણ રચી છે For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy