SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩) જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ હસ્ત-સંજીવનયાને સિદ્ધજ્ઞાન (લ. વિ. સં. ૧૭૩૫)- આના કર્તા ચંદ્રપ્રભા વગેરેના પ્રણેતા ઉપા. મેઘવિજય છે. આ કૃતિમાં ૫૧૯ પદ્યો છે અને એનો ગ્રંથાગ્ર પ૨૫ શ્લોકનો છે. અષ્ટાંગ નિમિત્તને ઘટાવવાના ઉદેશથી રચાયેલો આ સમગ્ર ગ્રંથ ચાર અધિકારમાં વિભક્ત કરાયો છે. એનાં દર્શન, સ્પર્શન રેખા-વિમર્શન અને વિશેષ એમ અનુક્રમે નામ છે અને એનાં પદ્યોની સંખ્યા અનુક્રમે ૧૭૭, ૫૪, ૨૪૧ અને ૪૭ છે. આમ ત્રીજો અધિકાર સૌથી મોટો છે. શંખેશ્વર' પાશ્વનાથ, ઋષભદેવ અને વર્ધમાનસ્વામીને નમસ્કાર કરી પ્રથમ અધિકારનો પ્રારંભ P ૨૧૫ શાસ્ત્ર-પીઠિકા (શ્લો. ૧-૧૯)થી કરાયો છે. એમાં હાથની પ્રશંસા કરાઈ છે. ગ્લો. તેમાં હસ્તજ્ઞાન-દર્શન, સ્પર્શન અને રેખા-વિમર્શન એમ ત્રણ પ્રકારો છે એમ કહ્યું છે. ગ્લો. ૧૯માં હાથનો બ્રહ્માએ બનાવેલી અક્ષય જન્મપત્રી (જન્મોત્રી) તરીકે ઉલ્લેખ છે. હાથમાં ૩ તીર્થ, ૨૪ તીર્થકરો વગેરે રહેલા છે એ રીતે એનું ધ્યાન ધરવાની હકીકત અપાઈ છે. ત્યાર બાદ હાથ તેમજ એનાં પાંચ આંગળાં વગેરેનાં નામ અપાયાં છે. આના પછી ગુરુને હાથ દેખાડવાનો વિધિ અને પ્રસંગવશાત્ ગુરુનાં લક્ષણ એ બાબત આલેખાઈ છે. ત્યાર બાદ તિથિ, વાર વગેરેને લગતાં એકંદર ૧૭ ચક્રોની સમજણ અપાઈ છે. અંતમાં હાથના વર્ણાદિનો વિચાર કરાયો છે. આ અધિકારના અંતમાં સામુદ્રિક-ભૂષણમાંથી પદ્ય ઉદ્ઘત કરાયાં છે.' “સ્પર્શન’ નામના બીજા અધિકારમાં હાથમાં આઠ નિમિત્તો કેવી રીતે ઘટે તે સમજાવાયું છે." એમ કરતી વેળા પુસ્તક શકુન યાને શકુન-શલાકા તેમજ પાશક-કેવલી યાને પાસાકેવલીનો પણ વિચાર કરાયો છે. શ્લો. ૪૬માં ચૂડામણિનો ઉલ્લેખ છે. ત્રીજા અધિકારમાં જાતજાતની રેખાઓનું વર્ણન છે. ચોથામાં રેખાની વિશ્વા (વસા)–લંબાઈ, નખનાં અને આવર્તનાં લક્ષણો, સ્ત્રીઓની રેખા સંબંધી વિશેષ વક્તવ્ય, અને પુરુષના ડાબા હાથનું વર્ણન એ બાબતો રજૂ કરાઈ છે. ૧. આ કૃતિ “મોહનલાલજી જૈન ગ્રંથમાલા”માં છપાઈ છે. “જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથો” નામના સંસ્કરણમાં એ ગુજરાતી અનુવાદ સહિત છપાઇ છે (જુઓ પૃ. ૨૧૧) અને એમાં ચિત્રો, ચક્રો અને કોષ્ટકો અપાયાં છે. ૨. હાથ દ્વારા અષ્ટાંગ નિમિત્તને સંજીવન આપનારી આ કૃતિ હોવાથી એનું આ નામ સાર્થક ઠરે છે. ૩. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૬૧)માં તો આને હસ્તસંજીવનનો એક ભાગ કહ્યો છે. કોઈ કોઈ હસ્તસંજીવનને હસ્તસંજીવની કહે છે. પૃ. ૫૪માં નીચે મુજબની પુષ્મિકા છે : "इति श्रीहस्तसञ्जीवने सिद्धज्ञाने प्रथमे दर्शनाधिकारे शास्त्रपीठिका" ૪. આમુખમાં (પૃ. ૭, ૧૦ ઈ.)માં એ વાત ઉપર ભાર મૂકાયો છે કે આ હસ્તસંજીવનમાં નષ્ટ-જાતક-પદ્ધતિ નથી. પ. જુઓ આમુખ (પૃ. ૨). શું ગ્લો. ૯૭થી ૧૦૪ સામુદ્રિક-ભૂષણમાંના છે? જો એમ હોય તો એ માટે પ્રમાણ રજૂ થવું ઘટે. આ સંબંધમાં સ્વોપજ્ઞ વિવૃતિ તપાસવી ઘટે. ૬. જુઓ શ્લો. પ૨. ૭. વસંતરાજે, રાજમૃગાંકે (શકસંવત્ ૯૬૪) અને નરપતિએ આનો ઉલ્લેખ કર્યો છે. વિશેષ માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૭૧-૧૭૨). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy